રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થયા બાદ અનેક રાજનેતાઓએ આપી પ્રતિક્રિયા, જાણો કયા નેતાએ શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-03-24 15:44:29

મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને લઈ સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. ત્યારે શુક્રવારે રાહુલ ગાંધીને મોટો ઝટકો મળ્યો છે. રાહુલ ગાંધીનું સંસદનું સભ્ય પદ રદ્દ થઈ ગયું છે. લોકસભા સચિવાલય ખાતેથી આ સંબંધમાં એક પત્ર  બહાર પાડવામાં આવ્યો છે. જે મુજબ રાહુલ ગાંધી પૂર્વ સાંસદ થઈ ગયા છે. આ નિર્ણય બાદ કોંગ્રેસના અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે.

 

પ્રિયંકા ગાંધીએ લલિત મોદી અને નિરવ મોદીનો કર્યો ઉલ્લેખ 

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રતિક્રિયા આપી છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે લોકતંત્રની રક્ષા કરવા માટે જો  અમારે જેલ જવું પડશે તો અમે જેલ પણ જઈશું. ઉપરાંત પ્રિયંકા ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે. પ્રિયંકા ગાંધીએ અનેક કૌભાંડોને યાદ કર્યા છે. નીરવ મોદી કૌભાંડ- 14000 કરોડ, લલિત મોદી કૌભાંડ - 425 કરોડ, મેહુલ ચોકસી કૌભાંડ 13500 કરોડ. જે લોકોએ દેશના પૈસા લૂંટયા છે, ભાજપ તેમના બચાવમાં કેમ ઉતરી છે? તપાસથી કેમ ભાગી રહી છે? જે લોકો આ સવાલ ઉઠાવે છે કે લોકો પર કેસ કરવામાં આવે છે. શું ભાજપ ભ્રષ્ટાચારીનું સમર્થન કરી રહી છે? 

કોંગ્રેસના અનેક નેતાઓએ આપી પ્રતિક્રિયા 

તે સિવાય રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા ખતમ કરવીએ તાનાશાહીનું વધુ એક ઉદાહરણ છે. બીજેપી એ ના ભૂલે કે આ જ પદ્ધતિ ઈન્દિરા ગાંધી વિરુદ્ધ પણ અપનાવી હતી. રાહુલ ગાંધી દેશનો અવાજ છે જે તાનાશાહી વિરુદ્ધ હવે વધારે મજબૂત થશે. અશોક ગેહલોતે પણ નીરવ મોદી અને લલિત મોદીના નામનો ઉલ્લેખ કર્યો હતો. ગરીબોના હકને લૂટી વિદેશ ભાગી જવા વાળા નીરવ મોદી, લલિત મોદી ચોર નથી? જયરામ રમેશે પણ આ અંગે ટ્વિટ કરી છે. તેમણે કહ્યું કે રાજકીય રીતે અને કાયદાકીય રીતે અમે આ મામલે લડીશું.

મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા 

શશિ થરૂરે કહ્યું કે આ કાર્યવાહી જે ઝપડથી થઈ રહી છે તેનાથી હું હેરાન છું. કોર્ટના ચૂકાદાના 24 કલાકની અંદર જ આ કાર્યવાહી કરવામાં આવી છે. મમતા બેનર્જીએ પણ આ વાતને લઈ પ્રતિક્રિયા આપી છે. ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવે આ વાતને સમર્થન આપ્યું છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે રાહુલ ગાંધી રાજનીતિક નિવેદન ન આપી રહ્યા હતા પરંતુ પછાત વર્ગના લોકોનું અપમાન કરી રહ્યા હતા.     




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.