રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થયા બાદ અનેક રાજનેતાઓએ આપી પ્રતિક્રિયા, જાણો કયા નેતાએ શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-03-24 15:44:29

મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને લઈ સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. ત્યારે શુક્રવારે રાહુલ ગાંધીને મોટો ઝટકો મળ્યો છે. રાહુલ ગાંધીનું સંસદનું સભ્ય પદ રદ્દ થઈ ગયું છે. લોકસભા સચિવાલય ખાતેથી આ સંબંધમાં એક પત્ર  બહાર પાડવામાં આવ્યો છે. જે મુજબ રાહુલ ગાંધી પૂર્વ સાંસદ થઈ ગયા છે. આ નિર્ણય બાદ કોંગ્રેસના અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે.

 

પ્રિયંકા ગાંધીએ લલિત મોદી અને નિરવ મોદીનો કર્યો ઉલ્લેખ 

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રતિક્રિયા આપી છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે લોકતંત્રની રક્ષા કરવા માટે જો  અમારે જેલ જવું પડશે તો અમે જેલ પણ જઈશું. ઉપરાંત પ્રિયંકા ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે. પ્રિયંકા ગાંધીએ અનેક કૌભાંડોને યાદ કર્યા છે. નીરવ મોદી કૌભાંડ- 14000 કરોડ, લલિત મોદી કૌભાંડ - 425 કરોડ, મેહુલ ચોકસી કૌભાંડ 13500 કરોડ. જે લોકોએ દેશના પૈસા લૂંટયા છે, ભાજપ તેમના બચાવમાં કેમ ઉતરી છે? તપાસથી કેમ ભાગી રહી છે? જે લોકો આ સવાલ ઉઠાવે છે કે લોકો પર કેસ કરવામાં આવે છે. શું ભાજપ ભ્રષ્ટાચારીનું સમર્થન કરી રહી છે? 

કોંગ્રેસના અનેક નેતાઓએ આપી પ્રતિક્રિયા 

તે સિવાય રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા ખતમ કરવીએ તાનાશાહીનું વધુ એક ઉદાહરણ છે. બીજેપી એ ના ભૂલે કે આ જ પદ્ધતિ ઈન્દિરા ગાંધી વિરુદ્ધ પણ અપનાવી હતી. રાહુલ ગાંધી દેશનો અવાજ છે જે તાનાશાહી વિરુદ્ધ હવે વધારે મજબૂત થશે. અશોક ગેહલોતે પણ નીરવ મોદી અને લલિત મોદીના નામનો ઉલ્લેખ કર્યો હતો. ગરીબોના હકને લૂટી વિદેશ ભાગી જવા વાળા નીરવ મોદી, લલિત મોદી ચોર નથી? જયરામ રમેશે પણ આ અંગે ટ્વિટ કરી છે. તેમણે કહ્યું કે રાજકીય રીતે અને કાયદાકીય રીતે અમે આ મામલે લડીશું.

મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા 

શશિ થરૂરે કહ્યું કે આ કાર્યવાહી જે ઝપડથી થઈ રહી છે તેનાથી હું હેરાન છું. કોર્ટના ચૂકાદાના 24 કલાકની અંદર જ આ કાર્યવાહી કરવામાં આવી છે. મમતા બેનર્જીએ પણ આ વાતને લઈ પ્રતિક્રિયા આપી છે. ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવે આ વાતને સમર્થન આપ્યું છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે રાહુલ ગાંધી રાજનીતિક નિવેદન ન આપી રહ્યા હતા પરંતુ પછાત વર્ગના લોકોનું અપમાન કરી રહ્યા હતા.     




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.