રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થયા બાદ અનેક રાજનેતાઓએ આપી પ્રતિક્રિયા, જાણો કયા નેતાએ શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-03-24 15:44:29

મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને લઈ સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. ત્યારે શુક્રવારે રાહુલ ગાંધીને મોટો ઝટકો મળ્યો છે. રાહુલ ગાંધીનું સંસદનું સભ્ય પદ રદ્દ થઈ ગયું છે. લોકસભા સચિવાલય ખાતેથી આ સંબંધમાં એક પત્ર  બહાર પાડવામાં આવ્યો છે. જે મુજબ રાહુલ ગાંધી પૂર્વ સાંસદ થઈ ગયા છે. આ નિર્ણય બાદ કોંગ્રેસના અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે.

 

પ્રિયંકા ગાંધીએ લલિત મોદી અને નિરવ મોદીનો કર્યો ઉલ્લેખ 

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રતિક્રિયા આપી છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે લોકતંત્રની રક્ષા કરવા માટે જો  અમારે જેલ જવું પડશે તો અમે જેલ પણ જઈશું. ઉપરાંત પ્રિયંકા ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે. પ્રિયંકા ગાંધીએ અનેક કૌભાંડોને યાદ કર્યા છે. નીરવ મોદી કૌભાંડ- 14000 કરોડ, લલિત મોદી કૌભાંડ - 425 કરોડ, મેહુલ ચોકસી કૌભાંડ 13500 કરોડ. જે લોકોએ દેશના પૈસા લૂંટયા છે, ભાજપ તેમના બચાવમાં કેમ ઉતરી છે? તપાસથી કેમ ભાગી રહી છે? જે લોકો આ સવાલ ઉઠાવે છે કે લોકો પર કેસ કરવામાં આવે છે. શું ભાજપ ભ્રષ્ટાચારીનું સમર્થન કરી રહી છે? 

કોંગ્રેસના અનેક નેતાઓએ આપી પ્રતિક્રિયા 

તે સિવાય રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા ખતમ કરવીએ તાનાશાહીનું વધુ એક ઉદાહરણ છે. બીજેપી એ ના ભૂલે કે આ જ પદ્ધતિ ઈન્દિરા ગાંધી વિરુદ્ધ પણ અપનાવી હતી. રાહુલ ગાંધી દેશનો અવાજ છે જે તાનાશાહી વિરુદ્ધ હવે વધારે મજબૂત થશે. અશોક ગેહલોતે પણ નીરવ મોદી અને લલિત મોદીના નામનો ઉલ્લેખ કર્યો હતો. ગરીબોના હકને લૂટી વિદેશ ભાગી જવા વાળા નીરવ મોદી, લલિત મોદી ચોર નથી? જયરામ રમેશે પણ આ અંગે ટ્વિટ કરી છે. તેમણે કહ્યું કે રાજકીય રીતે અને કાયદાકીય રીતે અમે આ મામલે લડીશું.

મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા 

શશિ થરૂરે કહ્યું કે આ કાર્યવાહી જે ઝપડથી થઈ રહી છે તેનાથી હું હેરાન છું. કોર્ટના ચૂકાદાના 24 કલાકની અંદર જ આ કાર્યવાહી કરવામાં આવી છે. મમતા બેનર્જીએ પણ આ વાતને લઈ પ્રતિક્રિયા આપી છે. ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવે આ વાતને સમર્થન આપ્યું છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે રાહુલ ગાંધી રાજનીતિક નિવેદન ન આપી રહ્યા હતા પરંતુ પછાત વર્ગના લોકોનું અપમાન કરી રહ્યા હતા.     




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.