રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થયા બાદ અનેક રાજનેતાઓએ આપી પ્રતિક્રિયા, જાણો કયા નેતાએ શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-03-24 15:44:29

મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને લઈ સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. ત્યારે શુક્રવારે રાહુલ ગાંધીને મોટો ઝટકો મળ્યો છે. રાહુલ ગાંધીનું સંસદનું સભ્ય પદ રદ્દ થઈ ગયું છે. લોકસભા સચિવાલય ખાતેથી આ સંબંધમાં એક પત્ર  બહાર પાડવામાં આવ્યો છે. જે મુજબ રાહુલ ગાંધી પૂર્વ સાંસદ થઈ ગયા છે. આ નિર્ણય બાદ કોંગ્રેસના અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે.

 

પ્રિયંકા ગાંધીએ લલિત મોદી અને નિરવ મોદીનો કર્યો ઉલ્લેખ 

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રતિક્રિયા આપી છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે લોકતંત્રની રક્ષા કરવા માટે જો  અમારે જેલ જવું પડશે તો અમે જેલ પણ જઈશું. ઉપરાંત પ્રિયંકા ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે. પ્રિયંકા ગાંધીએ અનેક કૌભાંડોને યાદ કર્યા છે. નીરવ મોદી કૌભાંડ- 14000 કરોડ, લલિત મોદી કૌભાંડ - 425 કરોડ, મેહુલ ચોકસી કૌભાંડ 13500 કરોડ. જે લોકોએ દેશના પૈસા લૂંટયા છે, ભાજપ તેમના બચાવમાં કેમ ઉતરી છે? તપાસથી કેમ ભાગી રહી છે? જે લોકો આ સવાલ ઉઠાવે છે કે લોકો પર કેસ કરવામાં આવે છે. શું ભાજપ ભ્રષ્ટાચારીનું સમર્થન કરી રહી છે? 

કોંગ્રેસના અનેક નેતાઓએ આપી પ્રતિક્રિયા 

તે સિવાય રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા ખતમ કરવીએ તાનાશાહીનું વધુ એક ઉદાહરણ છે. બીજેપી એ ના ભૂલે કે આ જ પદ્ધતિ ઈન્દિરા ગાંધી વિરુદ્ધ પણ અપનાવી હતી. રાહુલ ગાંધી દેશનો અવાજ છે જે તાનાશાહી વિરુદ્ધ હવે વધારે મજબૂત થશે. અશોક ગેહલોતે પણ નીરવ મોદી અને લલિત મોદીના નામનો ઉલ્લેખ કર્યો હતો. ગરીબોના હકને લૂટી વિદેશ ભાગી જવા વાળા નીરવ મોદી, લલિત મોદી ચોર નથી? જયરામ રમેશે પણ આ અંગે ટ્વિટ કરી છે. તેમણે કહ્યું કે રાજકીય રીતે અને કાયદાકીય રીતે અમે આ મામલે લડીશું.

મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા 

શશિ થરૂરે કહ્યું કે આ કાર્યવાહી જે ઝપડથી થઈ રહી છે તેનાથી હું હેરાન છું. કોર્ટના ચૂકાદાના 24 કલાકની અંદર જ આ કાર્યવાહી કરવામાં આવી છે. મમતા બેનર્જીએ પણ આ વાતને લઈ પ્રતિક્રિયા આપી છે. ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવે આ વાતને સમર્થન આપ્યું છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે રાહુલ ગાંધી રાજનીતિક નિવેદન ન આપી રહ્યા હતા પરંતુ પછાત વર્ગના લોકોનું અપમાન કરી રહ્યા હતા.     




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.