દાહોદ જિલ્લાના મારગાળામાં પરિણીતાને પરિવારજનોએ જાહેરમાં ઢોર માર માર્યો, ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં


  • Published By :
  • Published Date : 2023-05-31 14:13:03

પ્રેમી યુગલોને અવારનવાર પ્રતાડિત કરવામાં આવતા રહે છે, પ્રેમ કરીને તેમણે જાણે કોઈ મોટો જઘન્ય અપરાધ કર્યો હોય તેમ જાહેરમાં ઢોર માર મારવો એ જાણે સામાન્ય બની ગયું છે. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં મહિલાને તાલીબાની સજા આપતો વીડિયો સામે આવ્યો છે. પરિણીત મહિલા પ્રેમી સાથે ભાગી જતા પતિ અને તેના પરિવારજનોએ ગ્રામજનોની હાજરીમાં નિર્મમતાપૂર્વક માર માર્યો હતો.  


મહિલાને જાહેરમાં તાલિબાની સજા


દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં પરિણીત મહિલા પ્રેમી સાથે ભાગી જતા પતિ અને તેના પરિવારજનોએ ગામની વચ્ચે મહિલાને ઢસડી ગયા હતા. જ્યાં તેની સાડી ઉતારી નાખીને જાહેરમાં માર માર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવતા પોલીસ એક્શનમાં આવી ગઈ છે.


સમગ્ર ઘટના શું છે?


દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલા મારગાળામાં પરિણીત મહિલા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જે બાદ મહિલા અને પ્રેમીને પકડી લાવીને તેના પતિ અને કુટુંબીજનોએ જાહેરમાં માર માર્યો હતો. તથા મહિલાના કપડા પણ ઉતારી નાખીને લોકોની સામે જ તેને જમીન પર ઢસડી હતી. આ ક્રૂર ઘટના બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરતા 3થી 4 આરોપીઓની અટકાયત કરીને તેમની પૂછપરછ કરી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.