દાહોદ જિલ્લાના મારગાળામાં પરિણીતાને પરિવારજનોએ જાહેરમાં ઢોર માર માર્યો, ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં


  • Published By :
  • Published Date : 2023-05-31 14:13:03

પ્રેમી યુગલોને અવારનવાર પ્રતાડિત કરવામાં આવતા રહે છે, પ્રેમ કરીને તેમણે જાણે કોઈ મોટો જઘન્ય અપરાધ કર્યો હોય તેમ જાહેરમાં ઢોર માર મારવો એ જાણે સામાન્ય બની ગયું છે. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં મહિલાને તાલીબાની સજા આપતો વીડિયો સામે આવ્યો છે. પરિણીત મહિલા પ્રેમી સાથે ભાગી જતા પતિ અને તેના પરિવારજનોએ ગ્રામજનોની હાજરીમાં નિર્મમતાપૂર્વક માર માર્યો હતો.  


મહિલાને જાહેરમાં તાલિબાની સજા


દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં પરિણીત મહિલા પ્રેમી સાથે ભાગી જતા પતિ અને તેના પરિવારજનોએ ગામની વચ્ચે મહિલાને ઢસડી ગયા હતા. જ્યાં તેની સાડી ઉતારી નાખીને જાહેરમાં માર માર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવતા પોલીસ એક્શનમાં આવી ગઈ છે.


સમગ્ર ઘટના શું છે?


દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલા મારગાળામાં પરિણીત મહિલા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જે બાદ મહિલા અને પ્રેમીને પકડી લાવીને તેના પતિ અને કુટુંબીજનોએ જાહેરમાં માર માર્યો હતો. તથા મહિલાના કપડા પણ ઉતારી નાખીને લોકોની સામે જ તેને જમીન પર ઢસડી હતી. આ ક્રૂર ઘટના બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરતા 3થી 4 આરોપીઓની અટકાયત કરીને તેમની પૂછપરછ કરી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.