દાહોદ જિલ્લાના મારગાળામાં પરિણીતાને પરિવારજનોએ જાહેરમાં ઢોર માર માર્યો, ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં


  • Published By :
  • Published Date : 2023-05-31 14:13:03

પ્રેમી યુગલોને અવારનવાર પ્રતાડિત કરવામાં આવતા રહે છે, પ્રેમ કરીને તેમણે જાણે કોઈ મોટો જઘન્ય અપરાધ કર્યો હોય તેમ જાહેરમાં ઢોર માર મારવો એ જાણે સામાન્ય બની ગયું છે. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં મહિલાને તાલીબાની સજા આપતો વીડિયો સામે આવ્યો છે. પરિણીત મહિલા પ્રેમી સાથે ભાગી જતા પતિ અને તેના પરિવારજનોએ ગ્રામજનોની હાજરીમાં નિર્મમતાપૂર્વક માર માર્યો હતો.  


મહિલાને જાહેરમાં તાલિબાની સજા


દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં પરિણીત મહિલા પ્રેમી સાથે ભાગી જતા પતિ અને તેના પરિવારજનોએ ગામની વચ્ચે મહિલાને ઢસડી ગયા હતા. જ્યાં તેની સાડી ઉતારી નાખીને જાહેરમાં માર માર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવતા પોલીસ એક્શનમાં આવી ગઈ છે.


સમગ્ર ઘટના શું છે?


દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલા મારગાળામાં પરિણીત મહિલા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જે બાદ મહિલા અને પ્રેમીને પકડી લાવીને તેના પતિ અને કુટુંબીજનોએ જાહેરમાં માર માર્યો હતો. તથા મહિલાના કપડા પણ ઉતારી નાખીને લોકોની સામે જ તેને જમીન પર ઢસડી હતી. આ ક્રૂર ઘટના બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરતા 3થી 4 આરોપીઓની અટકાયત કરીને તેમની પૂછપરછ કરી છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.