શહીદ Mahipalsinhને ત્યાં થયો દીકરીનો જન્મ, પરિવારના સભ્યોએ કહ્યું 'દીકરીની ઇચ્છા હશે તો તેને પણ ડિફેન્સ સર્વિસમાં મૂકીશું'


  • Published By :
  • Published Date : 2023-08-12 14:27:47

જમ્મુ કાશ્મીરમાં આતંકી સાથે થયેલી અથડામણમાં સરહદ પર મા ભોમની સેવા કરતો ગુજરાતનો જવાન શહીદ થઈ ગયા હતા. મહિપાલસિંહની જ્યારે અમદાવાદમાં અંતિમયાત્રા નિકળી હતી ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને શહીદને અંતિમ સલામી આપી હતી. આખી ઘટના જ કરૂણ હતી પરંતુ સૌથી દુ:ખદાયક દ્રષ્ય એ હતું જ્યારે તેમની સગર્ભા પત્નીએ તેમને અંતિમ વિદાય આપી હતી, અંતિમ સલામી આપી હતી. શહીદ મહિપાલસિંહ પોતાના સંતાનનું મુખ જોવે તે પહેલા જ તેમણે દુનિયાને ચીર વિદાય આપી દીધી હતી. ત્યારે આજે શહીદના ઘરે દીકરીનો જન્મ થયો છે. 


શહીદના પરિવારને ત્યાં થયો દીકરીનો જન્મ, નામ આપ્યું વિરલબા  

શહીદના ઘરે જ્યારે અમારી ટીમ ગઈ હતી ત્યારે શહીદની માતાએ વાત કરતા જણાવ્યું હતું કે અમારા ઘરે પારણું બંધાય અને દીકરો આવે તો મારા દીકરાની યાદી રહેશે. ત્યારે આજે મહિપાલ સિંહના ઘરે પારણું બંધાયું છે અને મહિપાલસિંહના પત્ની વર્ષા બેને દીકરીને જન્મ આપ્યો છે. તેમણે શુક્રવારે સાંજે બાળકીને જન્મ આપ્યો છે. જ્યારે મહિપાલસિંહ વાળાની પત્નીને પૂછ્યું હતું કે તમારા ઘરે પારણું બંધાશે તો તમે તમારા બાળકને સેનામાં મોકલશો? તો તેમણે કહ્યું હતું કે એ એમના બાળકને મા ભોમની સેવા કરવા મોકલશે .વીર જવાન મહિપાલસિંહ વાળાના ઘરે દીકરીનો જન્મ થયો ત્યારે આ દીકરીનું નામ વિરલબા રાખવામાં આવ્યું છે.

મહિપાલસિંહના કપડાનો સ્પર્શ કરાયા બાદ દીકરીને હાથમાં લીધી

મહિપાલસિંહના પત્ની વર્ષાબેનને જ્યારે હોસ્પિટલ લઈ જવાયા હતા, ત્યારે તેમની પાસે મહિપાલસિંહના કપડા રાખવામાં આવ્યા હતા. વર્ષાબેને વીરગતિ પામેલા પતિના કપડાને હાથ લગાડ્યા બાદ દીકરીને સ્પર્શ કર્યો હતો. આ દ્રશ્યો જોઈ આખો પરિવાર ચોધાર આસુંએ રડી પડ્યો હતો. એટલું જ નહીં પરિવારજનોએ કહ્યું કે દીકરી મોટી થશે અને એને ડિફેન્સમાં જવાની ઈચ્છા હશે તો તેને મોકલીશું.ચાર દિવસ પહેલા જે પરિવારે દીકરો ગુમાવ્યો, તે વાળા પરિવારને ફુલ જેવી દીકરીની ભગવાને ભેટ આપી. 

શહીદને અંતિમ સલામી આપવા ઉમટ્યું હતું માનવમહેરામણ

આતંકી સાથે અથડામણમાં જમ્મુ કાશ્મીરમાં ગુજરાતના જવાન શહીદ થયા હતા. વીર સપૂત મહિપાલસિંહ વાળા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના છે. પરંતુ તેઓ અમદાવાદમાં રહે છે. અમદાવાદના ઠક્કરબાપાનગરના લીલાનગર સ્મશાનમાં તેમના અંતિમસંસ્કર કરવામાં આવ્યા હતા. એક શહીદને છાજે તેવી વિદાય વીર જવાનને અપાઈ હતી. 


15 ઓગસ્ટના રોજ મહિપાલસિંહનો થયો હતો જન્મ! 

મૂળ સુરેન્દ્રનગરના મોજીદડા ગામના મહિપાલસિંહનો જન્મ 15 ઓગસ્ટ 1996માં થયો હતો. 15મી ઓગસ્ટના દિવસે જન્મેલા મહિપાલસિંહએ નાનપણથી જ આર્મીમાં જવાનું સપનું જોયું હતું. તેઓ છેલ્લે પોતાના જ સિમંત પ્રસંગમાં અમદાવાદ આવ્યા હતા. પરંતુ દુર્ભાગ્યવશ પત્ની બાળકને જન્મ આપે તે પહેલા જ તેઓ શહીદ થયા હતા. પરંતુ શહીદ વીરના ઘરે દીકરી વીરલબાનો જન્મ થયો છે. શહીદ પતિના કપડાને સ્પર્શ કરીને એક માતાએ દીકરીને હાથમાં લીધી હતી. ત્યારે પરિવાર માટે આ ક્ષણ ભારે ભાવુક હતી.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.