સુરતમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં સતત ઉછાળો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 19:05:40

ચોમાસાની વિદાય નજીક આવી રહી છે ત્યારે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. મેલેરિયા, ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં મેલેરિયા, ડેન્ગ્યુના કેસોએ આરોગ્ય વિભાગની ચિંતામાં વધારી દીધી છે. કેસ વધતા આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરાઈ રહ્યો છે તેમજ ફોગિંગની કામગીરી પણ ચાલી રહી છે.

પાણીજન્ય અને મચ્છરજન્ય કેસમાં વધારો

મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગોના કેસમાં સતત ઉછાડો થઈ રહ્યો છે. ગણેશ ઉત્સવ બાદ મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં ભારે ઉછાડો જોવા મળ્યો છે. સુરત આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર પ્રતિદિન 50 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 27, મેલેરિયાના 155 જેટલા કેસ સામે આવ્યા છે.

કેસ વધતા આરોગ્ય વિભાગ દોડતું થયું

પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધતા આરોગ્ય વિભાગે કેસને નિયંત્રિત કરવાના પ્રયાસ શરૂ કરી દીધા છે. હેલ્થ વર્કરો દ્વારા દરેક ઝોનમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉપરાંત દવાનો છંટકાવ અને ફોગિંગની કામગીરી પણ થઈ રહી છે. મેલેરિયા તેમજ ડેન્ગ્યુના કેસમાં ઘટાડો થાય તે માટે પ્રયાસો હાથ ધરાયા છે.  



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .