સુરતમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં સતત ઉછાળો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 19:05:40

ચોમાસાની વિદાય નજીક આવી રહી છે ત્યારે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. મેલેરિયા, ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં મેલેરિયા, ડેન્ગ્યુના કેસોએ આરોગ્ય વિભાગની ચિંતામાં વધારી દીધી છે. કેસ વધતા આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરાઈ રહ્યો છે તેમજ ફોગિંગની કામગીરી પણ ચાલી રહી છે.

પાણીજન્ય અને મચ્છરજન્ય કેસમાં વધારો

મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગોના કેસમાં સતત ઉછાડો થઈ રહ્યો છે. ગણેશ ઉત્સવ બાદ મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં ભારે ઉછાડો જોવા મળ્યો છે. સુરત આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર પ્રતિદિન 50 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 27, મેલેરિયાના 155 જેટલા કેસ સામે આવ્યા છે.

કેસ વધતા આરોગ્ય વિભાગ દોડતું થયું

પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધતા આરોગ્ય વિભાગે કેસને નિયંત્રિત કરવાના પ્રયાસ શરૂ કરી દીધા છે. હેલ્થ વર્કરો દ્વારા દરેક ઝોનમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉપરાંત દવાનો છંટકાવ અને ફોગિંગની કામગીરી પણ થઈ રહી છે. મેલેરિયા તેમજ ડેન્ગ્યુના કેસમાં ઘટાડો થાય તે માટે પ્રયાસો હાથ ધરાયા છે.  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .