મૌલાના સાજીદના વિવાદિત નિવેદનથી દેશમાં ધાર્મિક એકતા ડહોળાવાની આશંકા


  • Published By :
  • Published Date : 2022-12-30 19:27:59

ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિયેશનના અધ્યક્ષ મૌલાના સાજીદ હંમેશા પોતાના વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. હવે તેમણે નવું નિવેદન આપ્યું છે કે, "અમારી આવનાર પેઢી રામ મંદિર તોડીને મસ્જીદ બનાવશે. આ દેશનો એક ઈતિહાસ લખવામાં આવશે."


"50-100 વર્ષ પછી ઈતિહાસ આવશે ત્યારે મંદિર તોડીને મસ્જીદ બનાવી દેવામાં આવ્યું હોય"

એક ટીવી ચેનલમાં વાત કરતા મૌલાના સાજીદે કહ્યું હતું કે, આજે મુસલમાન ચૂપ છે. પરંતુ ભાવી સમયમાં ભારતનો ઈતિહાસ લખવામાં આવશે કે 1992માં બાબરી મસ્જીદને તોડવામાં આવી હતી. અને ત્યાર બાદ ત્યારના પ્રધાનમંત્રીએ જઈને રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. જે ભારતના બંધારણને બિલકુલ વિરુદ્ધ છે. મૌલાના સાજીદ રશીદીએ કહ્યું હતું કે, આજે આપણે એક એવો ઈતિહાસ બનાવ્યો છે, જ્યાં મુસલમાન ચૂપ છે. પણ મારી આવનાર પેઢી, મારા છોકરા, અને તેના વંશજો 50-100 વર્ષ પછી જ્યારે તેની સામે ઈતિહાસ આવશે ત્યારે મંદિર તોડીને મસ્જીદ બનાવી દેવામાં આવ્યું હોય. હોઈ શકે કે મુસ્લીમ શાસક હોય, મુસ્લીમ જજ હોય અથવા મુસ્લીમ શાસન આવી ગયું હોય. કંઈ ના કહી શકાય ભવિષ્યમાં કયા ફેરફારો આવશે. તો શું તે ઈતિહાસના પાયા પર તે મંદિરને તોડીને મસ્જીદ બનાવવામાં આવે? રશીદીએ જ જવાબ આપતા કહ્યું હતું કે, બિલકુલ બની શકે. 

ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિયેશનના અધ્યક્ષ મૌલાના સાજીદ પોતાના નિવેદનોને લઈને હંમેશા વિવાદો કરતા રહે છે. આ પહેલા ઉત્તર પ્રદેશમાં ખાનગી મદરેસાના સર્વેનો સરકારે આદેશ આપ્યો હતો તેના પર પણ મૌલાના સાજીદ રશીદીએ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જ્યારે સર્વે કરવા આવે ત્યારે બુટ-ચપ્પલ લઈને સ્વાગત કરજો. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.