મૌલાના સાજીદના વિવાદિત નિવેદનથી દેશમાં ધાર્મિક એકતા ડહોળાવાની આશંકા


  • Published By :
  • Published Date : 2022-12-30 19:27:59

ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિયેશનના અધ્યક્ષ મૌલાના સાજીદ હંમેશા પોતાના વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. હવે તેમણે નવું નિવેદન આપ્યું છે કે, "અમારી આવનાર પેઢી રામ મંદિર તોડીને મસ્જીદ બનાવશે. આ દેશનો એક ઈતિહાસ લખવામાં આવશે."


"50-100 વર્ષ પછી ઈતિહાસ આવશે ત્યારે મંદિર તોડીને મસ્જીદ બનાવી દેવામાં આવ્યું હોય"

એક ટીવી ચેનલમાં વાત કરતા મૌલાના સાજીદે કહ્યું હતું કે, આજે મુસલમાન ચૂપ છે. પરંતુ ભાવી સમયમાં ભારતનો ઈતિહાસ લખવામાં આવશે કે 1992માં બાબરી મસ્જીદને તોડવામાં આવી હતી. અને ત્યાર બાદ ત્યારના પ્રધાનમંત્રીએ જઈને રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. જે ભારતના બંધારણને બિલકુલ વિરુદ્ધ છે. મૌલાના સાજીદ રશીદીએ કહ્યું હતું કે, આજે આપણે એક એવો ઈતિહાસ બનાવ્યો છે, જ્યાં મુસલમાન ચૂપ છે. પણ મારી આવનાર પેઢી, મારા છોકરા, અને તેના વંશજો 50-100 વર્ષ પછી જ્યારે તેની સામે ઈતિહાસ આવશે ત્યારે મંદિર તોડીને મસ્જીદ બનાવી દેવામાં આવ્યું હોય. હોઈ શકે કે મુસ્લીમ શાસક હોય, મુસ્લીમ જજ હોય અથવા મુસ્લીમ શાસન આવી ગયું હોય. કંઈ ના કહી શકાય ભવિષ્યમાં કયા ફેરફારો આવશે. તો શું તે ઈતિહાસના પાયા પર તે મંદિરને તોડીને મસ્જીદ બનાવવામાં આવે? રશીદીએ જ જવાબ આપતા કહ્યું હતું કે, બિલકુલ બની શકે. 

ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિયેશનના અધ્યક્ષ મૌલાના સાજીદ પોતાના નિવેદનોને લઈને હંમેશા વિવાદો કરતા રહે છે. આ પહેલા ઉત્તર પ્રદેશમાં ખાનગી મદરેસાના સર્વેનો સરકારે આદેશ આપ્યો હતો તેના પર પણ મૌલાના સાજીદ રશીદીએ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જ્યારે સર્વે કરવા આવે ત્યારે બુટ-ચપ્પલ લઈને સ્વાગત કરજો. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.