મૌલાના સાજીદના વિવાદિત નિવેદનથી દેશમાં ધાર્મિક એકતા ડહોળાવાની આશંકા


  • Published By :
  • Published Date : 2022-12-30 19:27:59

ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિયેશનના અધ્યક્ષ મૌલાના સાજીદ હંમેશા પોતાના વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. હવે તેમણે નવું નિવેદન આપ્યું છે કે, "અમારી આવનાર પેઢી રામ મંદિર તોડીને મસ્જીદ બનાવશે. આ દેશનો એક ઈતિહાસ લખવામાં આવશે."


"50-100 વર્ષ પછી ઈતિહાસ આવશે ત્યારે મંદિર તોડીને મસ્જીદ બનાવી દેવામાં આવ્યું હોય"

એક ટીવી ચેનલમાં વાત કરતા મૌલાના સાજીદે કહ્યું હતું કે, આજે મુસલમાન ચૂપ છે. પરંતુ ભાવી સમયમાં ભારતનો ઈતિહાસ લખવામાં આવશે કે 1992માં બાબરી મસ્જીદને તોડવામાં આવી હતી. અને ત્યાર બાદ ત્યારના પ્રધાનમંત્રીએ જઈને રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. જે ભારતના બંધારણને બિલકુલ વિરુદ્ધ છે. મૌલાના સાજીદ રશીદીએ કહ્યું હતું કે, આજે આપણે એક એવો ઈતિહાસ બનાવ્યો છે, જ્યાં મુસલમાન ચૂપ છે. પણ મારી આવનાર પેઢી, મારા છોકરા, અને તેના વંશજો 50-100 વર્ષ પછી જ્યારે તેની સામે ઈતિહાસ આવશે ત્યારે મંદિર તોડીને મસ્જીદ બનાવી દેવામાં આવ્યું હોય. હોઈ શકે કે મુસ્લીમ શાસક હોય, મુસ્લીમ જજ હોય અથવા મુસ્લીમ શાસન આવી ગયું હોય. કંઈ ના કહી શકાય ભવિષ્યમાં કયા ફેરફારો આવશે. તો શું તે ઈતિહાસના પાયા પર તે મંદિરને તોડીને મસ્જીદ બનાવવામાં આવે? રશીદીએ જ જવાબ આપતા કહ્યું હતું કે, બિલકુલ બની શકે. 

ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિયેશનના અધ્યક્ષ મૌલાના સાજીદ પોતાના નિવેદનોને લઈને હંમેશા વિવાદો કરતા રહે છે. આ પહેલા ઉત્તર પ્રદેશમાં ખાનગી મદરેસાના સર્વેનો સરકારે આદેશ આપ્યો હતો તેના પર પણ મૌલાના સાજીદ રશીદીએ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જ્યારે સર્વે કરવા આવે ત્યારે બુટ-ચપ્પલ લઈને સ્વાગત કરજો. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.