Ahmedabadમાં ઈન્કમ ટેક્સ વિભાગનું મેગા ઓપરેશન, જાણો કોના ત્યાં ત્રાટક્યું ઈન્કમ ટેક્સ વિભાગ?


  • Published By : Admin
  • Published Date : 2023-09-21 15:12:04

ઈન્કમટેક્સ વિભાગ દ્વારા અમદાવાદમાં સુપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર તવાહી બોલાવી હતી. તે ઉપરાંત સ્વાતિ સાથે કનેક્શન ધરાવતા એક મોટા કેમિકલ ગ્રુપ ઉપર પણ તવાહી બોલાવી છે. સ્વાતિ બિલ્ડકોનના અશોક અગ્રવાલ અને સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. આંબલી રોડ પર આવેલી મુખ્ય ઓફિસમાં ઈન્કમટેક્સ વિભાગ ત્રાટક્યું હતું. અમદાવાદમાં 35થી 40 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ મેગા ઓપરેશનમાં અમદાવાદના અધિકારીઓ સિવાય બરોડા અને રાજકોટના અધિકારીઓ પણ જોડાયા હતા. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે. મહત્વનું છે કે ઈન્કમ ટેક્સ વિભાગ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યું છે.    


અલગ અલગ સ્થળો પર પાડવામાં આવ્યા દરોડા  

સુરત બાદ અમદાવાદમાં ઈન્કમ ટેક્સ વિભાગે સુપર ઓપરેશન હાથ ધર્યું હતું. શહેરના જાણીતા બિલ્ડરો પર આઈટીએ તવાઈ બોલાવી છે. સ્વાતિ બિલ્ડોન પર સવારથી આઈટી વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત સ્વાતિ બિલ્ડકોન સાથે કનેક્શન ધરાવતા એક મોટા કેમિકલ ગ્રુપ પર પણ દરોડા પાડ્યા હતા. સ્વાતિના અશોક અગ્રવાલ તેમજ સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં તપાસ હાથ ધરી હતી. અલગ અલગ જગ્યાઓ પર તપાસ હાથ ધરી છે.   




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .