Ahmedabadમાં ઈન્કમ ટેક્સ વિભાગનું મેગા ઓપરેશન, જાણો કોના ત્યાં ત્રાટક્યું ઈન્કમ ટેક્સ વિભાગ?


  • Published By : Admin
  • Published Date : 2023-09-21 15:12:04

ઈન્કમટેક્સ વિભાગ દ્વારા અમદાવાદમાં સુપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર તવાહી બોલાવી હતી. તે ઉપરાંત સ્વાતિ સાથે કનેક્શન ધરાવતા એક મોટા કેમિકલ ગ્રુપ ઉપર પણ તવાહી બોલાવી છે. સ્વાતિ બિલ્ડકોનના અશોક અગ્રવાલ અને સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. આંબલી રોડ પર આવેલી મુખ્ય ઓફિસમાં ઈન્કમટેક્સ વિભાગ ત્રાટક્યું હતું. અમદાવાદમાં 35થી 40 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ મેગા ઓપરેશનમાં અમદાવાદના અધિકારીઓ સિવાય બરોડા અને રાજકોટના અધિકારીઓ પણ જોડાયા હતા. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે. મહત્વનું છે કે ઈન્કમ ટેક્સ વિભાગ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યું છે.    


અલગ અલગ સ્થળો પર પાડવામાં આવ્યા દરોડા  

સુરત બાદ અમદાવાદમાં ઈન્કમ ટેક્સ વિભાગે સુપર ઓપરેશન હાથ ધર્યું હતું. શહેરના જાણીતા બિલ્ડરો પર આઈટીએ તવાઈ બોલાવી છે. સ્વાતિ બિલ્ડોન પર સવારથી આઈટી વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત સ્વાતિ બિલ્ડકોન સાથે કનેક્શન ધરાવતા એક મોટા કેમિકલ ગ્રુપ પર પણ દરોડા પાડ્યા હતા. સ્વાતિના અશોક અગ્રવાલ તેમજ સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં તપાસ હાથ ધરી હતી. અલગ અલગ જગ્યાઓ પર તપાસ હાથ ધરી છે.   




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.