Ahmedabadમાં ઈન્કમ ટેક્સ વિભાગનું મેગા ઓપરેશન, જાણો કોના ત્યાં ત્રાટક્યું ઈન્કમ ટેક્સ વિભાગ?


  • Published By : Admin
  • Published Date : 2023-09-21 15:12:04

ઈન્કમટેક્સ વિભાગ દ્વારા અમદાવાદમાં સુપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર તવાહી બોલાવી હતી. તે ઉપરાંત સ્વાતિ સાથે કનેક્શન ધરાવતા એક મોટા કેમિકલ ગ્રુપ ઉપર પણ તવાહી બોલાવી છે. સ્વાતિ બિલ્ડકોનના અશોક અગ્રવાલ અને સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. આંબલી રોડ પર આવેલી મુખ્ય ઓફિસમાં ઈન્કમટેક્સ વિભાગ ત્રાટક્યું હતું. અમદાવાદમાં 35થી 40 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ મેગા ઓપરેશનમાં અમદાવાદના અધિકારીઓ સિવાય બરોડા અને રાજકોટના અધિકારીઓ પણ જોડાયા હતા. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે. મહત્વનું છે કે ઈન્કમ ટેક્સ વિભાગ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યું છે.    


અલગ અલગ સ્થળો પર પાડવામાં આવ્યા દરોડા  

સુરત બાદ અમદાવાદમાં ઈન્કમ ટેક્સ વિભાગે સુપર ઓપરેશન હાથ ધર્યું હતું. શહેરના જાણીતા બિલ્ડરો પર આઈટીએ તવાઈ બોલાવી છે. સ્વાતિ બિલ્ડોન પર સવારથી આઈટી વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત સ્વાતિ બિલ્ડકોન સાથે કનેક્શન ધરાવતા એક મોટા કેમિકલ ગ્રુપ પર પણ દરોડા પાડ્યા હતા. સ્વાતિના અશોક અગ્રવાલ તેમજ સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં તપાસ હાથ ધરી હતી. અલગ અલગ જગ્યાઓ પર તપાસ હાથ ધરી છે.   




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.