Gujarat આવી પહોંચી મેઘસવારી, જાણો આગામી દિવસોમાં ક્યાં વરસી શકે છે વરસાદ? બદલાઈ ગઈ હવામાન વિભાગની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-06-11 18:51:18

ગુજરાતમાં ચોમાસાની પધરામણી ક્યારે થશે તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા હતા. આતુરતાથી રાહ જોવાઈ રહી હતી ચોમાસાની.. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 15-16 તારીખ સુધીમાં ગુજરાતમાં મેઘસવારી આવી જશે એટલે કે ચોમાસુ બેસી જશે પરંતુ ચોમાસુ ચાર દિવસ પહેલા જ બેસી ગયું છે. ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી કરી દીધી છે. ગુજરાતના નવસારી સુધી ચોમાસુ આવી ગયું છે. ગુજરાતમાં ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે અને હવામાન વિભાગે આગામી દિવસો માટે આગાહી કરી છે.

News18 Gujarati

News18 Gujarati

ચાર દિવસ પહેલા આવી ગયું ચોમાસું.. 

ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અસહ્ય ગરમી હતી જેને કારણે ઘરની બહાર નિકળતા પહેલા લોકોને વિચાર કરવો પડતો હતો. કામ વગર ઘરની બહાર લોકો નિકળતા ના હતા. ગરમીથી ક્યારે છૂટકારો મળે તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે લોકો. મેઘરાજા પધરામણી કરે અને ગરમીથી આંશિક રાહત મળે તેવી લોકોને આશા હતી.. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 14-15 તારીખ સુધીમાં ચોમાસું આવી જશે ત્યારે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે.

News18 Gujarati

આવતી કાલે આ વિસ્તારો માટે કરાઈ વરસાદની આગાહી

ચોમાસાના આગમન બાદ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આવતી કાલે એટલે કે બુધવારે અનેક વિસ્તારો માટે મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે. મહીસાગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, વલસાડ. ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

News18 Gujarati


News18 Gujarati

News18 Gujarati

ક્યાં આવી શકે છે વરસાદ? 

13 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, છોટાઉદેપુર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, ખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય 14 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ગીર સોમનાથ માટે વરસાદ વરસી શકે છે. 15 તારીખે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, સુરત, વલસાડમાં વરસાદ આવી શકે છે. મહત્વનું છે કે ચોમાસું ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે એટલે ધરતીપુત્રોમાં આનંદની લાગણી પ્રવર્તિ ઉઠી છે, 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.