Gujarat આવી પહોંચી મેઘસવારી, જાણો આગામી દિવસોમાં ક્યાં વરસી શકે છે વરસાદ? બદલાઈ ગઈ હવામાન વિભાગની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-06-11 18:51:18

ગુજરાતમાં ચોમાસાની પધરામણી ક્યારે થશે તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા હતા. આતુરતાથી રાહ જોવાઈ રહી હતી ચોમાસાની.. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 15-16 તારીખ સુધીમાં ગુજરાતમાં મેઘસવારી આવી જશે એટલે કે ચોમાસુ બેસી જશે પરંતુ ચોમાસુ ચાર દિવસ પહેલા જ બેસી ગયું છે. ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી કરી દીધી છે. ગુજરાતના નવસારી સુધી ચોમાસુ આવી ગયું છે. ગુજરાતમાં ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે અને હવામાન વિભાગે આગામી દિવસો માટે આગાહી કરી છે.

News18 Gujarati

News18 Gujarati

ચાર દિવસ પહેલા આવી ગયું ચોમાસું.. 

ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અસહ્ય ગરમી હતી જેને કારણે ઘરની બહાર નિકળતા પહેલા લોકોને વિચાર કરવો પડતો હતો. કામ વગર ઘરની બહાર લોકો નિકળતા ના હતા. ગરમીથી ક્યારે છૂટકારો મળે તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે લોકો. મેઘરાજા પધરામણી કરે અને ગરમીથી આંશિક રાહત મળે તેવી લોકોને આશા હતી.. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 14-15 તારીખ સુધીમાં ચોમાસું આવી જશે ત્યારે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે.

News18 Gujarati

આવતી કાલે આ વિસ્તારો માટે કરાઈ વરસાદની આગાહી

ચોમાસાના આગમન બાદ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આવતી કાલે એટલે કે બુધવારે અનેક વિસ્તારો માટે મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે. મહીસાગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, વલસાડ. ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

News18 Gujarati


News18 Gujarati

News18 Gujarati

ક્યાં આવી શકે છે વરસાદ? 

13 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, છોટાઉદેપુર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, ખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય 14 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ગીર સોમનાથ માટે વરસાદ વરસી શકે છે. 15 તારીખે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, સુરત, વલસાડમાં વરસાદ આવી શકે છે. મહત્વનું છે કે ચોમાસું ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે એટલે ધરતીપુત્રોમાં આનંદની લાગણી પ્રવર્તિ ઉઠી છે, 



જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.