Gujarat આવી પહોંચી મેઘસવારી, જાણો આગામી દિવસોમાં ક્યાં વરસી શકે છે વરસાદ? બદલાઈ ગઈ હવામાન વિભાગની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-06-11 18:51:18

ગુજરાતમાં ચોમાસાની પધરામણી ક્યારે થશે તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા હતા. આતુરતાથી રાહ જોવાઈ રહી હતી ચોમાસાની.. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 15-16 તારીખ સુધીમાં ગુજરાતમાં મેઘસવારી આવી જશે એટલે કે ચોમાસુ બેસી જશે પરંતુ ચોમાસુ ચાર દિવસ પહેલા જ બેસી ગયું છે. ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી કરી દીધી છે. ગુજરાતના નવસારી સુધી ચોમાસુ આવી ગયું છે. ગુજરાતમાં ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે અને હવામાન વિભાગે આગામી દિવસો માટે આગાહી કરી છે.

News18 Gujarati

News18 Gujarati

ચાર દિવસ પહેલા આવી ગયું ચોમાસું.. 

ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અસહ્ય ગરમી હતી જેને કારણે ઘરની બહાર નિકળતા પહેલા લોકોને વિચાર કરવો પડતો હતો. કામ વગર ઘરની બહાર લોકો નિકળતા ના હતા. ગરમીથી ક્યારે છૂટકારો મળે તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે લોકો. મેઘરાજા પધરામણી કરે અને ગરમીથી આંશિક રાહત મળે તેવી લોકોને આશા હતી.. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 14-15 તારીખ સુધીમાં ચોમાસું આવી જશે ત્યારે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે.

News18 Gujarati

આવતી કાલે આ વિસ્તારો માટે કરાઈ વરસાદની આગાહી

ચોમાસાના આગમન બાદ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આવતી કાલે એટલે કે બુધવારે અનેક વિસ્તારો માટે મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે. મહીસાગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, વલસાડ. ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

News18 Gujarati


News18 Gujarati

News18 Gujarati

ક્યાં આવી શકે છે વરસાદ? 

13 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, છોટાઉદેપુર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, ખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય 14 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ગીર સોમનાથ માટે વરસાદ વરસી શકે છે. 15 તારીખે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, સુરત, વલસાડમાં વરસાદ આવી શકે છે. મહત્વનું છે કે ચોમાસું ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે એટલે ધરતીપુત્રોમાં આનંદની લાગણી પ્રવર્તિ ઉઠી છે, 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે