મહેસાણા: ટ્રેનના 4 ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા


  • Published By :
  • Published Date : 2022-11-04 13:31:20

મહેસાણા રેલવે સ્ટેશન નજીક ટ્રેનના 4 ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા, અન્ય ટ્રેનોની અવરજવર કરાઈ બંધ

મહેસાણા રેલવે ટ્રેક પર માલગાડીને અકસ્માત નડ્યો હતો. ટ્રેક પર જતી ટ્રેન આકસ્મિક કારણોસર બેકાબૂ થતાં 4 જેટલા ડબ્બાઓ ટ્રેક પરથી ઉતરી ગયા હતા. તેના કારણે ટ્રેનના ડબ્બામાં ભરેલા માલસામાન, રેલવે ટ્રેક સહિત ઈલેક્ટ્રિક લાઈનને નુકસાન પહોંચ્યું છે.આ આ માલગાડીમાં ગાડીઓ ભરેલી હતી 


રેલના પાટા ડેમેજ 

આ અકસ્માતના કારણે ટ્રેનના ડબ્બામાં રહેલા માલસામાન,રેલ્વે ટ્રેક સહિત ઇલેક્ટ્રિક લાઇનને ભારે નુકશાન પહોંચ્યું છે. તો રેલ્વે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી મેનલાઈન પરનો ટ્રાફિક દૂર કરવા જહેમત હાથ ધરવામાં આવી હતી


મેઈન લાઈનનું રીપેરીંગ શરૂ

આ અકસ્માતના કારણે મહેસાણા રેલ્વે સ્ટેશનથી પસાર થતી આબુ રોડ અને અમદાવાદ તરફની તમામ ટ્રેનોને ભાંડુ અને આંબલિયાસણ જંકશન ખાતે થોભાવી દઈ સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે.બીજી તરફ રેલ્વે તંત્ર દ્વારા મેઈન લાઇન પર રીપેરીંગ કરી ટૂંક સમયમાં ટ્રેક પુનઃ શરૂ કરવામાં આવશે તેવું રેલ્વે સૂત્રો જણાવી રહ્યા છે.જોકે અકસ્માત કેવી રીતે થયો તેનું કારણ જાણવા રેલ્વે તંત્ર દ્વારા હાલમાં તપાસ કરાઈ રહી છે




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.