મહેસાણા: ટ્રેનના 4 ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા


  • Published By :
  • Published Date : 2022-11-04 13:31:20

મહેસાણા રેલવે સ્ટેશન નજીક ટ્રેનના 4 ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા, અન્ય ટ્રેનોની અવરજવર કરાઈ બંધ

મહેસાણા રેલવે ટ્રેક પર માલગાડીને અકસ્માત નડ્યો હતો. ટ્રેક પર જતી ટ્રેન આકસ્મિક કારણોસર બેકાબૂ થતાં 4 જેટલા ડબ્બાઓ ટ્રેક પરથી ઉતરી ગયા હતા. તેના કારણે ટ્રેનના ડબ્બામાં ભરેલા માલસામાન, રેલવે ટ્રેક સહિત ઈલેક્ટ્રિક લાઈનને નુકસાન પહોંચ્યું છે.આ આ માલગાડીમાં ગાડીઓ ભરેલી હતી 


રેલના પાટા ડેમેજ 

આ અકસ્માતના કારણે ટ્રેનના ડબ્બામાં રહેલા માલસામાન,રેલ્વે ટ્રેક સહિત ઇલેક્ટ્રિક લાઇનને ભારે નુકશાન પહોંચ્યું છે. તો રેલ્વે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી મેનલાઈન પરનો ટ્રાફિક દૂર કરવા જહેમત હાથ ધરવામાં આવી હતી


મેઈન લાઈનનું રીપેરીંગ શરૂ

આ અકસ્માતના કારણે મહેસાણા રેલ્વે સ્ટેશનથી પસાર થતી આબુ રોડ અને અમદાવાદ તરફની તમામ ટ્રેનોને ભાંડુ અને આંબલિયાસણ જંકશન ખાતે થોભાવી દઈ સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે.બીજી તરફ રેલ્વે તંત્ર દ્વારા મેઈન લાઇન પર રીપેરીંગ કરી ટૂંક સમયમાં ટ્રેક પુનઃ શરૂ કરવામાં આવશે તેવું રેલ્વે સૂત્રો જણાવી રહ્યા છે.જોકે અકસ્માત કેવી રીતે થયો તેનું કારણ જાણવા રેલ્વે તંત્ર દ્વારા હાલમાં તપાસ કરાઈ રહી છે




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.