મહેસાણા: ટ્રેનના 4 ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા


  • Published By :
  • Published Date : 2022-11-04 13:31:20

મહેસાણા રેલવે સ્ટેશન નજીક ટ્રેનના 4 ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા, અન્ય ટ્રેનોની અવરજવર કરાઈ બંધ

મહેસાણા રેલવે ટ્રેક પર માલગાડીને અકસ્માત નડ્યો હતો. ટ્રેક પર જતી ટ્રેન આકસ્મિક કારણોસર બેકાબૂ થતાં 4 જેટલા ડબ્બાઓ ટ્રેક પરથી ઉતરી ગયા હતા. તેના કારણે ટ્રેનના ડબ્બામાં ભરેલા માલસામાન, રેલવે ટ્રેક સહિત ઈલેક્ટ્રિક લાઈનને નુકસાન પહોંચ્યું છે.આ આ માલગાડીમાં ગાડીઓ ભરેલી હતી 


રેલના પાટા ડેમેજ 

આ અકસ્માતના કારણે ટ્રેનના ડબ્બામાં રહેલા માલસામાન,રેલ્વે ટ્રેક સહિત ઇલેક્ટ્રિક લાઇનને ભારે નુકશાન પહોંચ્યું છે. તો રેલ્વે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી મેનલાઈન પરનો ટ્રાફિક દૂર કરવા જહેમત હાથ ધરવામાં આવી હતી


મેઈન લાઈનનું રીપેરીંગ શરૂ

આ અકસ્માતના કારણે મહેસાણા રેલ્વે સ્ટેશનથી પસાર થતી આબુ રોડ અને અમદાવાદ તરફની તમામ ટ્રેનોને ભાંડુ અને આંબલિયાસણ જંકશન ખાતે થોભાવી દઈ સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે.બીજી તરફ રેલ્વે તંત્ર દ્વારા મેઈન લાઇન પર રીપેરીંગ કરી ટૂંક સમયમાં ટ્રેક પુનઃ શરૂ કરવામાં આવશે તેવું રેલ્વે સૂત્રો જણાવી રહ્યા છે.જોકે અકસ્માત કેવી રીતે થયો તેનું કારણ જાણવા રેલ્વે તંત્ર દ્વારા હાલમાં તપાસ કરાઈ રહી છે




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.