મહેસાણા: ટ્રેનના 4 ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા


  • Published By :
  • Published Date : 2022-11-04 13:31:20

મહેસાણા રેલવે સ્ટેશન નજીક ટ્રેનના 4 ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા, અન્ય ટ્રેનોની અવરજવર કરાઈ બંધ

મહેસાણા રેલવે ટ્રેક પર માલગાડીને અકસ્માત નડ્યો હતો. ટ્રેક પર જતી ટ્રેન આકસ્મિક કારણોસર બેકાબૂ થતાં 4 જેટલા ડબ્બાઓ ટ્રેક પરથી ઉતરી ગયા હતા. તેના કારણે ટ્રેનના ડબ્બામાં ભરેલા માલસામાન, રેલવે ટ્રેક સહિત ઈલેક્ટ્રિક લાઈનને નુકસાન પહોંચ્યું છે.આ આ માલગાડીમાં ગાડીઓ ભરેલી હતી 


રેલના પાટા ડેમેજ 

આ અકસ્માતના કારણે ટ્રેનના ડબ્બામાં રહેલા માલસામાન,રેલ્વે ટ્રેક સહિત ઇલેક્ટ્રિક લાઇનને ભારે નુકશાન પહોંચ્યું છે. તો રેલ્વે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી મેનલાઈન પરનો ટ્રાફિક દૂર કરવા જહેમત હાથ ધરવામાં આવી હતી


મેઈન લાઈનનું રીપેરીંગ શરૂ

આ અકસ્માતના કારણે મહેસાણા રેલ્વે સ્ટેશનથી પસાર થતી આબુ રોડ અને અમદાવાદ તરફની તમામ ટ્રેનોને ભાંડુ અને આંબલિયાસણ જંકશન ખાતે થોભાવી દઈ સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે.બીજી તરફ રેલ્વે તંત્ર દ્વારા મેઈન લાઇન પર રીપેરીંગ કરી ટૂંક સમયમાં ટ્રેક પુનઃ શરૂ કરવામાં આવશે તેવું રેલ્વે સૂત્રો જણાવી રહ્યા છે.જોકે અકસ્માત કેવી રીતે થયો તેનું કારણ જાણવા રેલ્વે તંત્ર દ્વારા હાલમાં તપાસ કરાઈ રહી છે




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે