Mehsana : મંત્રી ઋષિકેશ પટેલ હાજર હતા અને રામજી ઠાકોરને જીતાડવા માટે કરાઈ મંચ પરથી અપીલ! વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2024-04-22 12:20:09

આ લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એવા દ્રશ્યો જોવા પડી રહ્યા છે જેની કલ્પના કદાચ તેમણે ક્યારેય નહીં કરી હોય..ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ અનેક જગ્યાઓ પર ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો. એવું કદાચ પહેલી વખત બન્યું હશે કે ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ ભાજપે ઉમેદવારને બદલ્યા.. ત્યારે મહેસાણાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં મંચ પર ભાજપના વરિષ્ઠ નેતા બેઠા હતા અને મંચ પરથી કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે આહ્વાહન કરવામાં આવ્યું..! 

ભાજપના નેતા સ્ટેજ પર હાજર હતા અને પછી... 

ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે.. ઉમેદવારો દ્વારા પ્રચારની શરૂઆત કરવામાં આવી ગઈ છે. આ બધા વચ્ચે મહેસાણાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સ્ટેજ પર બેઠા હતા અને મંચ પરથી કોંગ્રેસના મહેસાણાના ઉમેદવારને જીતાડવા માટે આહ્વાહન કરવામાં આવ્યું.. જે વીડિયો સામે આવ્યો છે તે સમૂહલગ્નનો છે. એક વક્તા સ્ટેજ પરથી લોકોને અપીલ કરી રહ્યા હતા કે મહેસાણાના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરને મત આપવા અપીલ કરવામાં આવી હતી.. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે...


ઉમેદવારોનો થઈ રહ્યો છે વિરોધ!   

મહત્વનું છે કે ગુજરાતમાં ભાજપના ઉમેદવારોને લઈ વિરોધ જોવા મળ્યો હતો. અનેક ઉમેદવારોનો વિરોધ કરાઈ રહ્યો છે. રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે... ત્યારે આ વીડિયો પર તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવો... 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"