Mehsana : મંત્રી ઋષિકેશ પટેલ હાજર હતા અને રામજી ઠાકોરને જીતાડવા માટે કરાઈ મંચ પરથી અપીલ! વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2024-04-22 12:20:09

આ લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એવા દ્રશ્યો જોવા પડી રહ્યા છે જેની કલ્પના કદાચ તેમણે ક્યારેય નહીં કરી હોય..ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ અનેક જગ્યાઓ પર ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો. એવું કદાચ પહેલી વખત બન્યું હશે કે ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ ભાજપે ઉમેદવારને બદલ્યા.. ત્યારે મહેસાણાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં મંચ પર ભાજપના વરિષ્ઠ નેતા બેઠા હતા અને મંચ પરથી કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે આહ્વાહન કરવામાં આવ્યું..! 

ભાજપના નેતા સ્ટેજ પર હાજર હતા અને પછી... 

ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે.. ઉમેદવારો દ્વારા પ્રચારની શરૂઆત કરવામાં આવી ગઈ છે. આ બધા વચ્ચે મહેસાણાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સ્ટેજ પર બેઠા હતા અને મંચ પરથી કોંગ્રેસના મહેસાણાના ઉમેદવારને જીતાડવા માટે આહ્વાહન કરવામાં આવ્યું.. જે વીડિયો સામે આવ્યો છે તે સમૂહલગ્નનો છે. એક વક્તા સ્ટેજ પરથી લોકોને અપીલ કરી રહ્યા હતા કે મહેસાણાના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરને મત આપવા અપીલ કરવામાં આવી હતી.. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે...


ઉમેદવારોનો થઈ રહ્યો છે વિરોધ!   

મહત્વનું છે કે ગુજરાતમાં ભાજપના ઉમેદવારોને લઈ વિરોધ જોવા મળ્યો હતો. અનેક ઉમેદવારોનો વિરોધ કરાઈ રહ્યો છે. રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે... ત્યારે આ વીડિયો પર તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવો... 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.