Mehsana : મંત્રી ઋષિકેશ પટેલ હાજર હતા અને રામજી ઠાકોરને જીતાડવા માટે કરાઈ મંચ પરથી અપીલ! વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2024-04-22 12:20:09

આ લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એવા દ્રશ્યો જોવા પડી રહ્યા છે જેની કલ્પના કદાચ તેમણે ક્યારેય નહીં કરી હોય..ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ અનેક જગ્યાઓ પર ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો. એવું કદાચ પહેલી વખત બન્યું હશે કે ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ ભાજપે ઉમેદવારને બદલ્યા.. ત્યારે મહેસાણાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં મંચ પર ભાજપના વરિષ્ઠ નેતા બેઠા હતા અને મંચ પરથી કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે આહ્વાહન કરવામાં આવ્યું..! 

ભાજપના નેતા સ્ટેજ પર હાજર હતા અને પછી... 

ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે.. ઉમેદવારો દ્વારા પ્રચારની શરૂઆત કરવામાં આવી ગઈ છે. આ બધા વચ્ચે મહેસાણાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સ્ટેજ પર બેઠા હતા અને મંચ પરથી કોંગ્રેસના મહેસાણાના ઉમેદવારને જીતાડવા માટે આહ્વાહન કરવામાં આવ્યું.. જે વીડિયો સામે આવ્યો છે તે સમૂહલગ્નનો છે. એક વક્તા સ્ટેજ પરથી લોકોને અપીલ કરી રહ્યા હતા કે મહેસાણાના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરને મત આપવા અપીલ કરવામાં આવી હતી.. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે...


ઉમેદવારોનો થઈ રહ્યો છે વિરોધ!   

મહત્વનું છે કે ગુજરાતમાં ભાજપના ઉમેદવારોને લઈ વિરોધ જોવા મળ્યો હતો. અનેક ઉમેદવારોનો વિરોધ કરાઈ રહ્યો છે. રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે... ત્યારે આ વીડિયો પર તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવો... 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.