Mehsana : મંત્રી ઋષિકેશ પટેલ હાજર હતા અને રામજી ઠાકોરને જીતાડવા માટે કરાઈ મંચ પરથી અપીલ! વીડિયો થયો વાયરલ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-22 12:20:09

આ લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એવા દ્રશ્યો જોવા પડી રહ્યા છે જેની કલ્પના કદાચ તેમણે ક્યારેય નહીં કરી હોય..ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ અનેક જગ્યાઓ પર ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો. એવું કદાચ પહેલી વખત બન્યું હશે કે ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ ભાજપે ઉમેદવારને બદલ્યા.. ત્યારે મહેસાણાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં મંચ પર ભાજપના વરિષ્ઠ નેતા બેઠા હતા અને મંચ પરથી કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે આહ્વાહન કરવામાં આવ્યું..! 

ભાજપના નેતા સ્ટેજ પર હાજર હતા અને પછી... 

ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે.. ઉમેદવારો દ્વારા પ્રચારની શરૂઆત કરવામાં આવી ગઈ છે. આ બધા વચ્ચે મહેસાણાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સ્ટેજ પર બેઠા હતા અને મંચ પરથી કોંગ્રેસના મહેસાણાના ઉમેદવારને જીતાડવા માટે આહ્વાહન કરવામાં આવ્યું.. જે વીડિયો સામે આવ્યો છે તે સમૂહલગ્નનો છે. એક વક્તા સ્ટેજ પરથી લોકોને અપીલ કરી રહ્યા હતા કે મહેસાણાના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરને મત આપવા અપીલ કરવામાં આવી હતી.. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે...


ઉમેદવારોનો થઈ રહ્યો છે વિરોધ!   

મહત્વનું છે કે ગુજરાતમાં ભાજપના ઉમેદવારોને લઈ વિરોધ જોવા મળ્યો હતો. અનેક ઉમેદવારોનો વિરોધ કરાઈ રહ્યો છે. રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે... ત્યારે આ વીડિયો પર તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવો... 



આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.