રખડતાં ઢોરનો આતંક : સમસ્યા પર નિયંત્રણ લાવવા AMC દ્વારા કરાઈ આ કામગીરી, હાઈકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું, જાણો


  • Published By :
  • Published Date : 2023-07-19 12:32:07

રાજ્યમાં રખડતા ઢોરનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. રસ્તા પર અવર જવર કરતા લોકો માટે તે ત્રાસ બની જતા હોય છે. ત્યારે વધતા રખડતા ઢોરને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ઉપરાંત અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્યારે શહેરમાં રખડતા ઢોરોના આતંકને શાંત કરવા હાઈકોર્ટે તંત્રને આદેશ આપ્યો હતો. હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી હતી તેમાં ઢોર પકડવા માટે શું કામગીરી કરવામાં આવી તે અંગે પૂછવામાં આવ્યું હતું. ત્યારે હાઈકોર્ટમાં તંત્ર દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તંત્રએ 11 મહિનામાં 17 હજાર રખડતાં ઢોર પકડ્યા છે ઉપરાંત  અનેક ઢોરમાલિકો વિરૂદ્ધ કેસ નોંધવામાં આવી છે. 


હાઈકોર્ટમાં રજૂ કરાયું સોગંદનામું!

એક તરફ ખરાબ રસ્તાથી લોકો પરેશાન છે તો બીજી તરફ રસ્તા પર ફરતા રખડતાં ઢોરને લઈ લોકોની પરેશાની વધી છે. અનેક લોકો રખડતાં ઢોરની અડફેટે આવી જતા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને જ્યારે અનેક લોકોએ પોતાના સ્વજનને ગુમાવ્યા છે. ત્યારે હાઈકોર્ટના હુકમોનું પાલન નથી થતું તેવી પિટિશન હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. રખડતાં ઢોરનો ત્રાસ તેમજ બિસ્માર રસ્તાના સુધારા અંગે કામ કરવામાં આવ્યું નથી. ત્યારે હાઈકોર્ટમાં એએમસીના સીએનસીડી ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરફથી સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. 


11 મહિનામાં પકડાયા આટલા રખડતાં પશુ!

જે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું તેમાં ખુલાસો થયો છે કે છેલ્લા 11 મહિનામાં 17,049 જેટલા રખડતા પશુઓને પકડવામાં આવ્યા છે, જેમાં 980 જેટલી FIR ઢોરમાલિકો સામે નોંધવામાં આવી છે. જાહેરમાં રોડ પર કે ખુલ્લામાં ઘાસ વેચતા 66થી વધુ લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત 34,861 કિલો ઘાસનો જથ્થો પણ જપ્ત કરાયો છે. 32,541 ઢોરોના ટેગીંગ કરવામાં આવ્યા છે.  મહત્વનું છે રખડતા શ્વાનનો આતંક પણ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. અનેક એવા લોકો છે જે રખડતા શ્વાનના આતંકનો ભોગ બન્યા છે. ત્યારે રાહદારીઓ તેમજ વાહનચાલકોને પડતી મુશ્કેલીનો અંત આવે તે જરૂરી બન્યું છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.