રખડતાં ઢોરનો આતંક : સમસ્યા પર નિયંત્રણ લાવવા AMC દ્વારા કરાઈ આ કામગીરી, હાઈકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું, જાણો


  • Published By :
  • Published Date : 2023-07-19 12:32:07

રાજ્યમાં રખડતા ઢોરનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. રસ્તા પર અવર જવર કરતા લોકો માટે તે ત્રાસ બની જતા હોય છે. ત્યારે વધતા રખડતા ઢોરને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ઉપરાંત અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્યારે શહેરમાં રખડતા ઢોરોના આતંકને શાંત કરવા હાઈકોર્ટે તંત્રને આદેશ આપ્યો હતો. હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી હતી તેમાં ઢોર પકડવા માટે શું કામગીરી કરવામાં આવી તે અંગે પૂછવામાં આવ્યું હતું. ત્યારે હાઈકોર્ટમાં તંત્ર દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તંત્રએ 11 મહિનામાં 17 હજાર રખડતાં ઢોર પકડ્યા છે ઉપરાંત  અનેક ઢોરમાલિકો વિરૂદ્ધ કેસ નોંધવામાં આવી છે. 


હાઈકોર્ટમાં રજૂ કરાયું સોગંદનામું!

એક તરફ ખરાબ રસ્તાથી લોકો પરેશાન છે તો બીજી તરફ રસ્તા પર ફરતા રખડતાં ઢોરને લઈ લોકોની પરેશાની વધી છે. અનેક લોકો રખડતાં ઢોરની અડફેટે આવી જતા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને જ્યારે અનેક લોકોએ પોતાના સ્વજનને ગુમાવ્યા છે. ત્યારે હાઈકોર્ટના હુકમોનું પાલન નથી થતું તેવી પિટિશન હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. રખડતાં ઢોરનો ત્રાસ તેમજ બિસ્માર રસ્તાના સુધારા અંગે કામ કરવામાં આવ્યું નથી. ત્યારે હાઈકોર્ટમાં એએમસીના સીએનસીડી ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરફથી સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. 


11 મહિનામાં પકડાયા આટલા રખડતાં પશુ!

જે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું તેમાં ખુલાસો થયો છે કે છેલ્લા 11 મહિનામાં 17,049 જેટલા રખડતા પશુઓને પકડવામાં આવ્યા છે, જેમાં 980 જેટલી FIR ઢોરમાલિકો સામે નોંધવામાં આવી છે. જાહેરમાં રોડ પર કે ખુલ્લામાં ઘાસ વેચતા 66થી વધુ લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત 34,861 કિલો ઘાસનો જથ્થો પણ જપ્ત કરાયો છે. 32,541 ઢોરોના ટેગીંગ કરવામાં આવ્યા છે.  મહત્વનું છે રખડતા શ્વાનનો આતંક પણ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. અનેક એવા લોકો છે જે રખડતા શ્વાનના આતંકનો ભોગ બન્યા છે. ત્યારે રાહદારીઓ તેમજ વાહનચાલકોને પડતી મુશ્કેલીનો અંત આવે તે જરૂરી બન્યું છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.