ભારતીયોની બચતવૃતિના કારણે mercedes-benzની ગાડીઓ વેચાતી નથી: CEO


  • Published By :
  • Published Date : 2022-12-03 16:23:37

દેશમાં mercedes-benzની ગાડીઓ વેચાતી નથી તે મુદ્દે કંપનીના સીઈઓએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કંપનીના સીઈઓ મોટર કારનું વેચાણ ઓછુ થવા માટે ભારતીયોની બચતની આદતને જવાબદાર ઠરાવી છે. ભારતના લોકો વધુ પડતી બચતવૃતિ ધરાવે છે તેના કારણે કંપનીની કારોનું વેચાણ ઘટ્યું છે. જો કે આ મુદ્દે લોકોએ કંપનીના સીઈઓની ખુબ ટીકા થઈ હતી.


શું કહ્યું મર્સિડીઝના CEOએ? 


તાજેતરમાં મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાના વેચાણ અને માર્કેટિંગના વાઇસ-પ્રેસિડેન્ટ સંતોષ અય્યર, , ટૂંક સમયમાં જ એમડી અને સીઈઓ તરીકેનો કાર્યભાર સંભાળશે. વડાએ ભારતમાં લોકોની બચતને મર્સિડીઝ કારના વેચાણ સાથે જોડી હતી. મર્સિડીઝ બેન્ઝના વડાએ કહ્યું હતું કે ભારતના લોકોની બચત કરવાની આદતને કારણે ભારતમાં તેમની કારનું વેચાણ વધી રહ્યું નથી. તેમણે કહ્યું હતું કે ભારતમાં લોકો બચત કરવાની આદતને કારણે મર્સિડીઝ જેવી મોંઘી કાર નથી ખરીદતા અને તેના કારણે તેમનું વેચાણ નબળું પડી રહ્યું છે.


નિવેદનનો જોરદાર વિરોધ 

 

મર્સિડીઝ ઈન્ડિયાના CEOના નિવેદનનો વ્યાપાર જગતમાં જોરદાર વિરોધ થયો હતો. કેટલાક લોકોએ કહ્યું કે બચત કરવાનું માઈન્ડ સેટ તમને મુશ્કેલ પરિસ્થિતીઓમાં મજબુતીથી ઉભા રહેવાને લાયક બનાવે છે. આ સમયે દેશ અને દુનિયામાં આર્થિક મંદીનો માહોલ છે અને  ભારત જેવા દેશના લોકોની બચત કરવાની આદત તેમને આર્થિક મંદીના આ સમયમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી શકે છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.