ભારતીયોની બચતવૃતિના કારણે mercedes-benzની ગાડીઓ વેચાતી નથી: CEO


  • Published By :
  • Published Date : 2022-12-03 16:23:37

દેશમાં mercedes-benzની ગાડીઓ વેચાતી નથી તે મુદ્દે કંપનીના સીઈઓએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કંપનીના સીઈઓ મોટર કારનું વેચાણ ઓછુ થવા માટે ભારતીયોની બચતની આદતને જવાબદાર ઠરાવી છે. ભારતના લોકો વધુ પડતી બચતવૃતિ ધરાવે છે તેના કારણે કંપનીની કારોનું વેચાણ ઘટ્યું છે. જો કે આ મુદ્દે લોકોએ કંપનીના સીઈઓની ખુબ ટીકા થઈ હતી.


શું કહ્યું મર્સિડીઝના CEOએ? 


તાજેતરમાં મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાના વેચાણ અને માર્કેટિંગના વાઇસ-પ્રેસિડેન્ટ સંતોષ અય્યર, , ટૂંક સમયમાં જ એમડી અને સીઈઓ તરીકેનો કાર્યભાર સંભાળશે. વડાએ ભારતમાં લોકોની બચતને મર્સિડીઝ કારના વેચાણ સાથે જોડી હતી. મર્સિડીઝ બેન્ઝના વડાએ કહ્યું હતું કે ભારતના લોકોની બચત કરવાની આદતને કારણે ભારતમાં તેમની કારનું વેચાણ વધી રહ્યું નથી. તેમણે કહ્યું હતું કે ભારતમાં લોકો બચત કરવાની આદતને કારણે મર્સિડીઝ જેવી મોંઘી કાર નથી ખરીદતા અને તેના કારણે તેમનું વેચાણ નબળું પડી રહ્યું છે.


નિવેદનનો જોરદાર વિરોધ 

 

મર્સિડીઝ ઈન્ડિયાના CEOના નિવેદનનો વ્યાપાર જગતમાં જોરદાર વિરોધ થયો હતો. કેટલાક લોકોએ કહ્યું કે બચત કરવાનું માઈન્ડ સેટ તમને મુશ્કેલ પરિસ્થિતીઓમાં મજબુતીથી ઉભા રહેવાને લાયક બનાવે છે. આ સમયે દેશ અને દુનિયામાં આર્થિક મંદીનો માહોલ છે અને  ભારત જેવા દેશના લોકોની બચત કરવાની આદત તેમને આર્થિક મંદીના આ સમયમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી શકે છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.