Gujaratમાં ગગડ્યો તાપમાનનો પારો, નલિયામાં તાપમાન પહોંચ્યું 8 ડિગ્રીએ, શીતલહેરનો થઈ રહ્યો છે અહેસાસ


  • Published By :
  • Published Date : 2023-12-12 15:17:51

જેમ જેમ શિયાળાની સિઝન આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ગુજરાતના અનેક શહેરો એવા હતા જ્યાંનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. એક સમય હતો જ્યારે ગરમીથી લોકો પરેશાન થતા હતા ત્યારે હવે બપોરનો તડકો લોકોને ગમી રહ્યો છે. અમદાવાદમાં તો હજી થોડી જ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો ખાલી થોડો ગગડ્યો છે પરંતુ નલિયા ગુજરાતનો ઠંડોગાર પ્રદેશ બન્યો છે. 

દરેક સિઝનમાં આવ્યો છે વરસાદ!

ગુજરાતીઓ ગરમી સહન કરવા ટેવાયેલા હોય છે તેવી વાત કરીએ તો અતિશયોક્તિ ન કહેવાય, ઠંડીનો માર સહન કરવા લોકો હજી નથી ટેવાયેલા! ઉનાળાની સિઝનમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર નોંધાય છે. ગ્લોબલ વોર્મિંગની સીધી અસર હવામાન પર પડી રહી છે. વાતાવરણમાં ફેરફાર આવ્યા છે. શિયાળામાં અને ઉનાળામાં વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની સિઝન શરૂ થઈ ત્યારે જોઈએ એટલો વરસાદ ન થયો પરંતુ તે બાદ એટલો બધો વરસાદ થયો કે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ. ત્યારે શિયાળામાં પણ માવઠાથી રાહત નથી મળી. શિયાળાની સિઝન જામે તે પહેલા જ કમોસમી વરસાદે જગતના તાતની ચિંતા વધારી છે.    

IMD Warns Of Cold Wave In Gujarat | Gujarat: રાજ્યમાં આજથી ફરી વધશે ઠંડી,  જાણો કચ્છમાં કેટલા દિવસ કોલવેવની કરાઇ આગાહી?

ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે તેવી આગાહી કરવામાં આવી છે પરંતુ ગુજરાતના અનેક શહેરો એવા છે જ્યાંનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે. નલિયાનું તાપમાન 8.5 ડિગ્રી નોંધાયું હતું જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન 29.9 જ્યારે લઘુતમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું હતું. ડીસામાં મહત્તમ તાપમાન 29.6 જ્યારે લઘુતમ તાપમાન 13.8, ગાંધીનગરનું મહત્તમ તાપમાન 29.6 જ્યારે લઘુતમ તાપમાન 14.8 ડિગ્રી પર પહોંચ્યું હતું. વડોદરાનું મહત્તમ તાપમાન 31.8 જ્યારે લઘુતમ તાપમાન 16.6 ડિગ્રી નોંધાયું. વલસાડનું મહત્તમ તાપમાન 34.2 જ્યારે લઘુતમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું હતું. નલિયાનું મહત્તમ તાપમાન 30.4 ડિગ્રી જ્યારે લઘુતમ તાપમાન 8.5 ડિગ્રી નોંધાયું છે. ભાવનગરનું મહત્તમ તાપમાન 29.7 ડિગ્રી જ્યારે લઘુતમ તાપમાન 18.0 ડિગ્રી નોંધાયું છે. 

અંબાલાલ પટેલ કેવી રીતે બન્યા વરસાદની આગાહીના માસ્ટર - KalTak 24 News

માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી? 

મહત્વનું છે કે ગુજરાત પર કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. અરબ સાગરની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે જેની સીધી અસર ગુજરાતના તાપમાન પર પડી શકે છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું આવી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ માવઠાને લઈ આગાહી કરી છે. 14 ડિસેમ્બર બાદ અનેક વિસ્તારોમાં માવઠું આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.