Gujaratમાં ગગડ્યો તાપમાનનો પારો, નલિયામાં તાપમાન પહોંચ્યું 8 ડિગ્રીએ, શીતલહેરનો થઈ રહ્યો છે અહેસાસ


  • Published By :
  • Published Date : 2023-12-12 15:17:51

જેમ જેમ શિયાળાની સિઝન આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ગુજરાતના અનેક શહેરો એવા હતા જ્યાંનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. એક સમય હતો જ્યારે ગરમીથી લોકો પરેશાન થતા હતા ત્યારે હવે બપોરનો તડકો લોકોને ગમી રહ્યો છે. અમદાવાદમાં તો હજી થોડી જ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો ખાલી થોડો ગગડ્યો છે પરંતુ નલિયા ગુજરાતનો ઠંડોગાર પ્રદેશ બન્યો છે. 

દરેક સિઝનમાં આવ્યો છે વરસાદ!

ગુજરાતીઓ ગરમી સહન કરવા ટેવાયેલા હોય છે તેવી વાત કરીએ તો અતિશયોક્તિ ન કહેવાય, ઠંડીનો માર સહન કરવા લોકો હજી નથી ટેવાયેલા! ઉનાળાની સિઝનમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર નોંધાય છે. ગ્લોબલ વોર્મિંગની સીધી અસર હવામાન પર પડી રહી છે. વાતાવરણમાં ફેરફાર આવ્યા છે. શિયાળામાં અને ઉનાળામાં વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની સિઝન શરૂ થઈ ત્યારે જોઈએ એટલો વરસાદ ન થયો પરંતુ તે બાદ એટલો બધો વરસાદ થયો કે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ. ત્યારે શિયાળામાં પણ માવઠાથી રાહત નથી મળી. શિયાળાની સિઝન જામે તે પહેલા જ કમોસમી વરસાદે જગતના તાતની ચિંતા વધારી છે.    

IMD Warns Of Cold Wave In Gujarat | Gujarat: રાજ્યમાં આજથી ફરી વધશે ઠંડી,  જાણો કચ્છમાં કેટલા દિવસ કોલવેવની કરાઇ આગાહી?

ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે તેવી આગાહી કરવામાં આવી છે પરંતુ ગુજરાતના અનેક શહેરો એવા છે જ્યાંનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે. નલિયાનું તાપમાન 8.5 ડિગ્રી નોંધાયું હતું જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન 29.9 જ્યારે લઘુતમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું હતું. ડીસામાં મહત્તમ તાપમાન 29.6 જ્યારે લઘુતમ તાપમાન 13.8, ગાંધીનગરનું મહત્તમ તાપમાન 29.6 જ્યારે લઘુતમ તાપમાન 14.8 ડિગ્રી પર પહોંચ્યું હતું. વડોદરાનું મહત્તમ તાપમાન 31.8 જ્યારે લઘુતમ તાપમાન 16.6 ડિગ્રી નોંધાયું. વલસાડનું મહત્તમ તાપમાન 34.2 જ્યારે લઘુતમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું હતું. નલિયાનું મહત્તમ તાપમાન 30.4 ડિગ્રી જ્યારે લઘુતમ તાપમાન 8.5 ડિગ્રી નોંધાયું છે. ભાવનગરનું મહત્તમ તાપમાન 29.7 ડિગ્રી જ્યારે લઘુતમ તાપમાન 18.0 ડિગ્રી નોંધાયું છે. 

અંબાલાલ પટેલ કેવી રીતે બન્યા વરસાદની આગાહીના માસ્ટર - KalTak 24 News

માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી? 

મહત્વનું છે કે ગુજરાત પર કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. અરબ સાગરની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે જેની સીધી અસર ગુજરાતના તાપમાન પર પડી શકે છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું આવી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ માવઠાને લઈ આગાહી કરી છે. 14 ડિસેમ્બર બાદ અનેક વિસ્તારોમાં માવઠું આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.