Gujaratમાં ગગડ્યો તાપમાનનો પારો, નલિયામાં તાપમાન પહોંચ્યું 8 ડિગ્રીએ, શીતલહેરનો થઈ રહ્યો છે અહેસાસ


  • Published By :
  • Published Date : 2023-12-12 15:17:51

જેમ જેમ શિયાળાની સિઝન આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ગુજરાતના અનેક શહેરો એવા હતા જ્યાંનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. એક સમય હતો જ્યારે ગરમીથી લોકો પરેશાન થતા હતા ત્યારે હવે બપોરનો તડકો લોકોને ગમી રહ્યો છે. અમદાવાદમાં તો હજી થોડી જ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો ખાલી થોડો ગગડ્યો છે પરંતુ નલિયા ગુજરાતનો ઠંડોગાર પ્રદેશ બન્યો છે. 

દરેક સિઝનમાં આવ્યો છે વરસાદ!

ગુજરાતીઓ ગરમી સહન કરવા ટેવાયેલા હોય છે તેવી વાત કરીએ તો અતિશયોક્તિ ન કહેવાય, ઠંડીનો માર સહન કરવા લોકો હજી નથી ટેવાયેલા! ઉનાળાની સિઝનમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર નોંધાય છે. ગ્લોબલ વોર્મિંગની સીધી અસર હવામાન પર પડી રહી છે. વાતાવરણમાં ફેરફાર આવ્યા છે. શિયાળામાં અને ઉનાળામાં વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની સિઝન શરૂ થઈ ત્યારે જોઈએ એટલો વરસાદ ન થયો પરંતુ તે બાદ એટલો બધો વરસાદ થયો કે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ. ત્યારે શિયાળામાં પણ માવઠાથી રાહત નથી મળી. શિયાળાની સિઝન જામે તે પહેલા જ કમોસમી વરસાદે જગતના તાતની ચિંતા વધારી છે.    

IMD Warns Of Cold Wave In Gujarat | Gujarat: રાજ્યમાં આજથી ફરી વધશે ઠંડી,  જાણો કચ્છમાં કેટલા દિવસ કોલવેવની કરાઇ આગાહી?

ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે તેવી આગાહી કરવામાં આવી છે પરંતુ ગુજરાતના અનેક શહેરો એવા છે જ્યાંનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે. નલિયાનું તાપમાન 8.5 ડિગ્રી નોંધાયું હતું જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન 29.9 જ્યારે લઘુતમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું હતું. ડીસામાં મહત્તમ તાપમાન 29.6 જ્યારે લઘુતમ તાપમાન 13.8, ગાંધીનગરનું મહત્તમ તાપમાન 29.6 જ્યારે લઘુતમ તાપમાન 14.8 ડિગ્રી પર પહોંચ્યું હતું. વડોદરાનું મહત્તમ તાપમાન 31.8 જ્યારે લઘુતમ તાપમાન 16.6 ડિગ્રી નોંધાયું. વલસાડનું મહત્તમ તાપમાન 34.2 જ્યારે લઘુતમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું હતું. નલિયાનું મહત્તમ તાપમાન 30.4 ડિગ્રી જ્યારે લઘુતમ તાપમાન 8.5 ડિગ્રી નોંધાયું છે. ભાવનગરનું મહત્તમ તાપમાન 29.7 ડિગ્રી જ્યારે લઘુતમ તાપમાન 18.0 ડિગ્રી નોંધાયું છે. 

અંબાલાલ પટેલ કેવી રીતે બન્યા વરસાદની આગાહીના માસ્ટર - KalTak 24 News

માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી? 

મહત્વનું છે કે ગુજરાત પર કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. અરબ સાગરની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે જેની સીધી અસર ગુજરાતના તાપમાન પર પડી શકે છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું આવી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ માવઠાને લઈ આગાહી કરી છે. 14 ડિસેમ્બર બાદ અનેક વિસ્તારોમાં માવઠું આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.