Gujaratમાં ગગડ્યો તાપમાનનો પારો, નલિયામાં તાપમાન પહોંચ્યું 8 ડિગ્રીએ, શીતલહેરનો થઈ રહ્યો છે અહેસાસ


  • Published By :
  • Published Date : 2023-12-12 15:17:51

જેમ જેમ શિયાળાની સિઝન આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ગુજરાતના અનેક શહેરો એવા હતા જ્યાંનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. એક સમય હતો જ્યારે ગરમીથી લોકો પરેશાન થતા હતા ત્યારે હવે બપોરનો તડકો લોકોને ગમી રહ્યો છે. અમદાવાદમાં તો હજી થોડી જ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો ખાલી થોડો ગગડ્યો છે પરંતુ નલિયા ગુજરાતનો ઠંડોગાર પ્રદેશ બન્યો છે. 

દરેક સિઝનમાં આવ્યો છે વરસાદ!

ગુજરાતીઓ ગરમી સહન કરવા ટેવાયેલા હોય છે તેવી વાત કરીએ તો અતિશયોક્તિ ન કહેવાય, ઠંડીનો માર સહન કરવા લોકો હજી નથી ટેવાયેલા! ઉનાળાની સિઝનમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર નોંધાય છે. ગ્લોબલ વોર્મિંગની સીધી અસર હવામાન પર પડી રહી છે. વાતાવરણમાં ફેરફાર આવ્યા છે. શિયાળામાં અને ઉનાળામાં વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની સિઝન શરૂ થઈ ત્યારે જોઈએ એટલો વરસાદ ન થયો પરંતુ તે બાદ એટલો બધો વરસાદ થયો કે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ. ત્યારે શિયાળામાં પણ માવઠાથી રાહત નથી મળી. શિયાળાની સિઝન જામે તે પહેલા જ કમોસમી વરસાદે જગતના તાતની ચિંતા વધારી છે.    

IMD Warns Of Cold Wave In Gujarat | Gujarat: રાજ્યમાં આજથી ફરી વધશે ઠંડી,  જાણો કચ્છમાં કેટલા દિવસ કોલવેવની કરાઇ આગાહી?

ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે તેવી આગાહી કરવામાં આવી છે પરંતુ ગુજરાતના અનેક શહેરો એવા છે જ્યાંનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે. નલિયાનું તાપમાન 8.5 ડિગ્રી નોંધાયું હતું જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન 29.9 જ્યારે લઘુતમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું હતું. ડીસામાં મહત્તમ તાપમાન 29.6 જ્યારે લઘુતમ તાપમાન 13.8, ગાંધીનગરનું મહત્તમ તાપમાન 29.6 જ્યારે લઘુતમ તાપમાન 14.8 ડિગ્રી પર પહોંચ્યું હતું. વડોદરાનું મહત્તમ તાપમાન 31.8 જ્યારે લઘુતમ તાપમાન 16.6 ડિગ્રી નોંધાયું. વલસાડનું મહત્તમ તાપમાન 34.2 જ્યારે લઘુતમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું હતું. નલિયાનું મહત્તમ તાપમાન 30.4 ડિગ્રી જ્યારે લઘુતમ તાપમાન 8.5 ડિગ્રી નોંધાયું છે. ભાવનગરનું મહત્તમ તાપમાન 29.7 ડિગ્રી જ્યારે લઘુતમ તાપમાન 18.0 ડિગ્રી નોંધાયું છે. 

અંબાલાલ પટેલ કેવી રીતે બન્યા વરસાદની આગાહીના માસ્ટર - KalTak 24 News

માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી? 

મહત્વનું છે કે ગુજરાત પર કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. અરબ સાગરની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે જેની સીધી અસર ગુજરાતના તાપમાન પર પડી શકે છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું આવી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ માવઠાને લઈ આગાહી કરી છે. 14 ડિસેમ્બર બાદ અનેક વિસ્તારોમાં માવઠું આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે