Chaitar Vasavaને લઈ આવ્યા સંદેશ, જાણો Dediapada AAPના કાર્યકર્તાઓને શું આપી સલાહ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-23 12:02:05

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભલે હાલ જેલમાં છે પરંતુ તેમની ચર્ચાઓ થઈ રહી છે. વનવિભાગના કર્મચારીને માર મારવાને લઈ તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થઈ હતી. ફરિયાદ થતા જ ચૈતર વસાવા ફરાર થયા હતા. પરંતુ થોડા સમય પહેલા તે પોલીસ સમક્ષ હાજર થયા હતા. જ્યારે પોલીસ સમક્ષ તે હાજર થયા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ હાજર હતા. ચૈતર વસાવા ભલે જેલમાં છે પરંતુ તેમના સમાચાર આવતા રહે છે અને તાજેતરમાં જ સમાચાર આવ્યા કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે.  

ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે!

નર્મદામાં વસાવા વિરૂદ્ધ વસાવાની રાજનીતિ ગરમાઈ રહી છે. અનેક વખત આને લઈ ચર્ચાઓ થતી રહે છે. મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે શાબ્દિક બોલાચાલી થતી રહે છે. આ બધા વચ્ચે મુમતાજ પટેલ પણ ચર્ચામાં રહ્યા. ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થતા હાલ તે જેલમાં જે પરંતુ એવી માહિતી સામે આવી છે કે તે ગમે ત્યાં હશે ત્યાંથી ચૂંટણી લડશે. લોકસભાની ચૂંટણીને લઈ તેમણે જેલમાંથી એક સંદેશો મોકલ્યો છે. આપના કાર્યકર્તાઓને ચૂંટણીને લઈ તૈયારીઓ કરવાની વાત કહી છે.


ચૈતર વસાવાના પત્ની કરી શકે છે રાજકારણમાં એન્ટ્રી 

એક તર્ક એવો પણ છે કે ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાને ચૂંટણી માટે ઉભા રાખવામાં આવી શકે છે. ચૈતર વસાવા ભલે જેલમાં છે પરંતુ તેમના પત્ની ડેડિયાપાડામાં લોકોની મદદ કરી રહ્યા છે. મહત્વનું છે કે ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજના લોકોએ રેલી કાઢી હતી અને ચૈતર વસાવાને ન્યાય મળે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે એવું લાગી રહ્યું કે વર્ષા વસાવા પણ રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે. ત્યારે આવનાર સમયમાં શું થાય છે તે જોવું રહ્યું.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.