Chaitar Vasavaને લઈ આવ્યા સંદેશ, જાણો Dediapada AAPના કાર્યકર્તાઓને શું આપી સલાહ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-23 12:02:05

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભલે હાલ જેલમાં છે પરંતુ તેમની ચર્ચાઓ થઈ રહી છે. વનવિભાગના કર્મચારીને માર મારવાને લઈ તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થઈ હતી. ફરિયાદ થતા જ ચૈતર વસાવા ફરાર થયા હતા. પરંતુ થોડા સમય પહેલા તે પોલીસ સમક્ષ હાજર થયા હતા. જ્યારે પોલીસ સમક્ષ તે હાજર થયા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ હાજર હતા. ચૈતર વસાવા ભલે જેલમાં છે પરંતુ તેમના સમાચાર આવતા રહે છે અને તાજેતરમાં જ સમાચાર આવ્યા કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે.  

ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે!

નર્મદામાં વસાવા વિરૂદ્ધ વસાવાની રાજનીતિ ગરમાઈ રહી છે. અનેક વખત આને લઈ ચર્ચાઓ થતી રહે છે. મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે શાબ્દિક બોલાચાલી થતી રહે છે. આ બધા વચ્ચે મુમતાજ પટેલ પણ ચર્ચામાં રહ્યા. ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થતા હાલ તે જેલમાં જે પરંતુ એવી માહિતી સામે આવી છે કે તે ગમે ત્યાં હશે ત્યાંથી ચૂંટણી લડશે. લોકસભાની ચૂંટણીને લઈ તેમણે જેલમાંથી એક સંદેશો મોકલ્યો છે. આપના કાર્યકર્તાઓને ચૂંટણીને લઈ તૈયારીઓ કરવાની વાત કહી છે.


ચૈતર વસાવાના પત્ની કરી શકે છે રાજકારણમાં એન્ટ્રી 

એક તર્ક એવો પણ છે કે ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાને ચૂંટણી માટે ઉભા રાખવામાં આવી શકે છે. ચૈતર વસાવા ભલે જેલમાં છે પરંતુ તેમના પત્ની ડેડિયાપાડામાં લોકોની મદદ કરી રહ્યા છે. મહત્વનું છે કે ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજના લોકોએ રેલી કાઢી હતી અને ચૈતર વસાવાને ન્યાય મળે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે એવું લાગી રહ્યું કે વર્ષા વસાવા પણ રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે. ત્યારે આવનાર સમયમાં શું થાય છે તે જોવું રહ્યું.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.