Chaitar Vasavaને લઈ આવ્યા સંદેશ, જાણો Dediapada AAPના કાર્યકર્તાઓને શું આપી સલાહ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-23 12:02:05

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભલે હાલ જેલમાં છે પરંતુ તેમની ચર્ચાઓ થઈ રહી છે. વનવિભાગના કર્મચારીને માર મારવાને લઈ તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થઈ હતી. ફરિયાદ થતા જ ચૈતર વસાવા ફરાર થયા હતા. પરંતુ થોડા સમય પહેલા તે પોલીસ સમક્ષ હાજર થયા હતા. જ્યારે પોલીસ સમક્ષ તે હાજર થયા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ હાજર હતા. ચૈતર વસાવા ભલે જેલમાં છે પરંતુ તેમના સમાચાર આવતા રહે છે અને તાજેતરમાં જ સમાચાર આવ્યા કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે.  

ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે!

નર્મદામાં વસાવા વિરૂદ્ધ વસાવાની રાજનીતિ ગરમાઈ રહી છે. અનેક વખત આને લઈ ચર્ચાઓ થતી રહે છે. મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે શાબ્દિક બોલાચાલી થતી રહે છે. આ બધા વચ્ચે મુમતાજ પટેલ પણ ચર્ચામાં રહ્યા. ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થતા હાલ તે જેલમાં જે પરંતુ એવી માહિતી સામે આવી છે કે તે ગમે ત્યાં હશે ત્યાંથી ચૂંટણી લડશે. લોકસભાની ચૂંટણીને લઈ તેમણે જેલમાંથી એક સંદેશો મોકલ્યો છે. આપના કાર્યકર્તાઓને ચૂંટણીને લઈ તૈયારીઓ કરવાની વાત કહી છે.


ચૈતર વસાવાના પત્ની કરી શકે છે રાજકારણમાં એન્ટ્રી 

એક તર્ક એવો પણ છે કે ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાને ચૂંટણી માટે ઉભા રાખવામાં આવી શકે છે. ચૈતર વસાવા ભલે જેલમાં છે પરંતુ તેમના પત્ની ડેડિયાપાડામાં લોકોની મદદ કરી રહ્યા છે. મહત્વનું છે કે ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજના લોકોએ રેલી કાઢી હતી અને ચૈતર વસાવાને ન્યાય મળે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે એવું લાગી રહ્યું કે વર્ષા વસાવા પણ રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે. ત્યારે આવનાર સમયમાં શું થાય છે તે જોવું રહ્યું.   



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.