અમદાવાદ માટે હવામાન વિભાગે આપ્યું છે ઓરેન્જ એલર્ટ! ગરમીને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી? સૌથી વધારે ક્યાં નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2023-05-13 18:53:02

કાળઝાળ ગરમીનો અહેસાસ હાલ રાજ્યના લોકોને થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. પરંતુ આવતીકાલથી ગરમીથી આંશિક રાહત મળશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્રણથી ચાર ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે પરંતુ ગાંધીનગર અને અમદાવાદમાં તાપમાનનો પારો 44 ડિગ્રી આસપાસ રહેશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. અમદાવાદ માટે ફરી એક વખત ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલ બાદ અમદાવાદ માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.   


કમોસમી વરસાદ બાદ આગ વરસતી ગરમીનો થઈ રહ્યો છે અહેસાસ!

થોડા સમય પહેલા રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા હતા. પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું ત્યારે હવે કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઓછી ગરમી લાગતી હતી. પરંતુ હાલ ચામડી બળે તેટલી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓ માટે યલો એલર્ટ તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો 40 ડિગ્રી ઉપર નોંધાયો હતો. અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો 42 ડિગ્રી પણ નોંધાયું હતું. સુરત, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ અને કચ્છ માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે અને ત્યાં ગરમીનું પ્રમાણ યથાવત જોવા મળશે.  


ક્યાં કેટલું નોંધાયું હતું તાપમાન!

શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો પાટણ સૌથી ગરમ નોંધાયું હતું. 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ તેમજ સુરેન્દ્રનગરનું તાપમાન 44.4 ડિગ્રી નોંધાયું હતું. આણંદનું 43.7 ડિગ્રી, રાજકોટનું 42.8 ડિગ્રી, ગાંધીનગરનું 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કેશોદનું તાપમાન 42.7 ડિગ્રી, ભૂજનું તાપમાન 42.6 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં તાપમાનનો પારો ઘટી શકે છે. ગરમીથી આંશિક રાહત મળી શકે છે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે