અમદાવાદ માટે હવામાન વિભાગે આપ્યું છે ઓરેન્જ એલર્ટ! ગરમીને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી? સૌથી વધારે ક્યાં નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2023-05-13 18:53:02

કાળઝાળ ગરમીનો અહેસાસ હાલ રાજ્યના લોકોને થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. પરંતુ આવતીકાલથી ગરમીથી આંશિક રાહત મળશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્રણથી ચાર ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે પરંતુ ગાંધીનગર અને અમદાવાદમાં તાપમાનનો પારો 44 ડિગ્રી આસપાસ રહેશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. અમદાવાદ માટે ફરી એક વખત ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલ બાદ અમદાવાદ માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.   


કમોસમી વરસાદ બાદ આગ વરસતી ગરમીનો થઈ રહ્યો છે અહેસાસ!

થોડા સમય પહેલા રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા હતા. પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું ત્યારે હવે કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઓછી ગરમી લાગતી હતી. પરંતુ હાલ ચામડી બળે તેટલી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓ માટે યલો એલર્ટ તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો 40 ડિગ્રી ઉપર નોંધાયો હતો. અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો 42 ડિગ્રી પણ નોંધાયું હતું. સુરત, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ અને કચ્છ માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે અને ત્યાં ગરમીનું પ્રમાણ યથાવત જોવા મળશે.  


ક્યાં કેટલું નોંધાયું હતું તાપમાન!

શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો પાટણ સૌથી ગરમ નોંધાયું હતું. 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ તેમજ સુરેન્દ્રનગરનું તાપમાન 44.4 ડિગ્રી નોંધાયું હતું. આણંદનું 43.7 ડિગ્રી, રાજકોટનું 42.8 ડિગ્રી, ગાંધીનગરનું 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કેશોદનું તાપમાન 42.7 ડિગ્રી, ભૂજનું તાપમાન 42.6 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં તાપમાનનો પારો ઘટી શકે છે. ગરમીથી આંશિક રાહત મળી શકે છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.