અમદાવાદ માટે હવામાન વિભાગે આપ્યું છે ઓરેન્જ એલર્ટ! ગરમીને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી? સૌથી વધારે ક્યાં નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2023-05-13 18:53:02

કાળઝાળ ગરમીનો અહેસાસ હાલ રાજ્યના લોકોને થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. પરંતુ આવતીકાલથી ગરમીથી આંશિક રાહત મળશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્રણથી ચાર ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે પરંતુ ગાંધીનગર અને અમદાવાદમાં તાપમાનનો પારો 44 ડિગ્રી આસપાસ રહેશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. અમદાવાદ માટે ફરી એક વખત ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલ બાદ અમદાવાદ માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.   


કમોસમી વરસાદ બાદ આગ વરસતી ગરમીનો થઈ રહ્યો છે અહેસાસ!

થોડા સમય પહેલા રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા હતા. પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું ત્યારે હવે કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઓછી ગરમી લાગતી હતી. પરંતુ હાલ ચામડી બળે તેટલી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓ માટે યલો એલર્ટ તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો 40 ડિગ્રી ઉપર નોંધાયો હતો. અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો 42 ડિગ્રી પણ નોંધાયું હતું. સુરત, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ અને કચ્છ માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે અને ત્યાં ગરમીનું પ્રમાણ યથાવત જોવા મળશે.  


ક્યાં કેટલું નોંધાયું હતું તાપમાન!

શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો પાટણ સૌથી ગરમ નોંધાયું હતું. 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ તેમજ સુરેન્દ્રનગરનું તાપમાન 44.4 ડિગ્રી નોંધાયું હતું. આણંદનું 43.7 ડિગ્રી, રાજકોટનું 42.8 ડિગ્રી, ગાંધીનગરનું 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કેશોદનું તાપમાન 42.7 ડિગ્રી, ભૂજનું તાપમાન 42.6 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં તાપમાનનો પારો ઘટી શકે છે. ગરમીથી આંશિક રાહત મળી શકે છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.