અમદાવાદ માટે હવામાન વિભાગે આપ્યું છે ઓરેન્જ એલર્ટ! ગરમીને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી? સૌથી વધારે ક્યાં નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2023-05-13 18:53:02

કાળઝાળ ગરમીનો અહેસાસ હાલ રાજ્યના લોકોને થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. પરંતુ આવતીકાલથી ગરમીથી આંશિક રાહત મળશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્રણથી ચાર ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે પરંતુ ગાંધીનગર અને અમદાવાદમાં તાપમાનનો પારો 44 ડિગ્રી આસપાસ રહેશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. અમદાવાદ માટે ફરી એક વખત ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલ બાદ અમદાવાદ માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.   


કમોસમી વરસાદ બાદ આગ વરસતી ગરમીનો થઈ રહ્યો છે અહેસાસ!

થોડા સમય પહેલા રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા હતા. પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું ત્યારે હવે કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઓછી ગરમી લાગતી હતી. પરંતુ હાલ ચામડી બળે તેટલી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓ માટે યલો એલર્ટ તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો 40 ડિગ્રી ઉપર નોંધાયો હતો. અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો 42 ડિગ્રી પણ નોંધાયું હતું. સુરત, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ અને કચ્છ માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે અને ત્યાં ગરમીનું પ્રમાણ યથાવત જોવા મળશે.  


ક્યાં કેટલું નોંધાયું હતું તાપમાન!

શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો પાટણ સૌથી ગરમ નોંધાયું હતું. 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ તેમજ સુરેન્દ્રનગરનું તાપમાન 44.4 ડિગ્રી નોંધાયું હતું. આણંદનું 43.7 ડિગ્રી, રાજકોટનું 42.8 ડિગ્રી, ગાંધીનગરનું 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કેશોદનું તાપમાન 42.7 ડિગ્રી, ભૂજનું તાપમાન 42.6 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં તાપમાનનો પારો ઘટી શકે છે. ગરમીથી આંશિક રાહત મળી શકે છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે