માવઠાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, આગામી બે દિવસોમાં આ જગ્યાઓ પર વરસી શકે છે કમોસમી વરસાદ


  • Published By :
  • Published Date : 2023-03-22 16:52:31

ઉનાળાની શરૂઆતમાં જ માવઠાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કહી છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી એક-બે દિવસ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 23 માર્ચે પણ કમોસમી વરસાદને સહન કરવા તૈયાર રહેવું પડશે. 


આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

છેલ્લા ઘણા સમયથી રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક કરા પડી રહ્યા છે તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી એક બે દિવસ કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. જે મુજબ 22 માર્ચના રોજ અમદાવાદ સહિત કચ્છ, સાબકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, નર્મદામાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો 23 માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી, ભાવનગર સહિત અને વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 


આ જગ્યાઓ પર વરસ્યો કમોસમી વરસાદ!  

રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુરતના બારડોલી અને કડોદરા પંથકમાં વરસાદ પડ્યો હતો. જ્યારે જેતપુરના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠું થયું હતું. કચ્છના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અંબાજીમાં પણ વરસાદ વરસ્યો હતો તેમજ રાજકોટમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો.   


ખેડૂતોની હાલત બની રહી છે કફોડી 

એક અઠવાડિયાથી કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ખેતરમાં થયેલા પાક નિષ્ફળ જઈ રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે. જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.        




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.