માવઠાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, આગામી બે દિવસોમાં આ જગ્યાઓ પર વરસી શકે છે કમોસમી વરસાદ


  • Published By :
  • Published Date : 2023-03-22 16:52:31

ઉનાળાની શરૂઆતમાં જ માવઠાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કહી છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી એક-બે દિવસ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 23 માર્ચે પણ કમોસમી વરસાદને સહન કરવા તૈયાર રહેવું પડશે. 


આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

છેલ્લા ઘણા સમયથી રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક કરા પડી રહ્યા છે તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી એક બે દિવસ કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. જે મુજબ 22 માર્ચના રોજ અમદાવાદ સહિત કચ્છ, સાબકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, નર્મદામાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો 23 માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી, ભાવનગર સહિત અને વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 


આ જગ્યાઓ પર વરસ્યો કમોસમી વરસાદ!  

રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુરતના બારડોલી અને કડોદરા પંથકમાં વરસાદ પડ્યો હતો. જ્યારે જેતપુરના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠું થયું હતું. કચ્છના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અંબાજીમાં પણ વરસાદ વરસ્યો હતો તેમજ રાજકોટમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો.   


ખેડૂતોની હાલત બની રહી છે કફોડી 

એક અઠવાડિયાથી કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ખેતરમાં થયેલા પાક નિષ્ફળ જઈ રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે. જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.        




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.