માવઠાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, આગામી બે દિવસોમાં આ જગ્યાઓ પર વરસી શકે છે કમોસમી વરસાદ


  • Published By :
  • Published Date : 2023-03-22 16:52:31

ઉનાળાની શરૂઆતમાં જ માવઠાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કહી છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી એક-બે દિવસ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 23 માર્ચે પણ કમોસમી વરસાદને સહન કરવા તૈયાર રહેવું પડશે. 


આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

છેલ્લા ઘણા સમયથી રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક કરા પડી રહ્યા છે તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી એક બે દિવસ કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. જે મુજબ 22 માર્ચના રોજ અમદાવાદ સહિત કચ્છ, સાબકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, નર્મદામાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો 23 માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી, ભાવનગર સહિત અને વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 


આ જગ્યાઓ પર વરસ્યો કમોસમી વરસાદ!  

રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુરતના બારડોલી અને કડોદરા પંથકમાં વરસાદ પડ્યો હતો. જ્યારે જેતપુરના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠું થયું હતું. કચ્છના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અંબાજીમાં પણ વરસાદ વરસ્યો હતો તેમજ રાજકોટમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો.   


ખેડૂતોની હાલત બની રહી છે કફોડી 

એક અઠવાડિયાથી કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ખેતરમાં થયેલા પાક નિષ્ફળ જઈ રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે. જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.        




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે