કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી, આ તારીખે આ જગ્યાઓ પર આવશે માવઠું, કુદરતનો માર સહન કરવા ખેડૂતો મજબૂર!


  • Published By :
  • Published Date : 2023-03-20 10:39:01

રાજ્યમાં ઉનાળાના સમય દરમિયાન પડી રહેલો કમોસમી વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. અનેક દિવસોથી રાજ્યમાં માવઠાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. રવિવારે પણ અનેક વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં ક્યાં વરસાદ પડવાનો છે તેની માહિતી વિગતવાર આપવામાં આવી છે. 


આ વિસ્તારોમાં આવનાર દિવસોમાં થઈ શકે છે વરસાદ 

કમોસમી વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી મુજબ 20 માર્ચે સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર, કચ્છ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં  વરસાદી ઝાપટા પડશે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહિસાગર, પોરબંદર, અરવલ્લી, જૂનાગઢમાં તેમજ કચ્છમાં 21 માર્ચે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, પાટણ, બનાસકાંઠા, જામનગર, અમરેલી, ભાવનગરમાં 22 માર્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. 23 માર્ચ માટે કરવામાં આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદર, જૂનાગઢ. ભાવનગર, દ્વારકા. ગીર સોમનાથમાં કમોસમી વરસાદને કારણે હાલાકી ભોગવવી પડે છે. જ્યારે 24 માર્ચે સાબરકાંઠા, રાજકોટ, જામનગર, અમરેલી. ગીર સોમનાથ, પાટણ, બનાસકાંઠા, ભાવનગરમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં  આવી છે. મહત્વનું છે કે રવિવારે અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. 



મુખ્યમંત્રીએ કમોસમી વરસાદને લઈ યોજી બેઠક 

માવઠાને પગલે રવિવારે મુખ્યમંત્રીએ બેઠક યોજી હતી. બેઠકમાં પાકને થયેલા નુકસાન અંગે, રાહત અને બચાવ અંગેની કામગીરીને લઈ ચર્ચા કરવામાં આવી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરો જોડે બેઠક કરી હતી જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનને લઈ ચર્ચા કરવામાં આવી હતી. 



શાકભાજીના ભાવમાં આવી શકે છે તેજી  

ઉનાળાના સમયે થઈ રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. રાતા પાણીએ રડવાનો વારો ખેડૂતોને આવ્યો છે. ખેતરમાં પાણી ભરાવાને કારણે પાકને નુકસાન પહોંચ્યું છે. કેસર કેરીના પાકને પણ મોટા પાયે નુકસાન થયું છે. આંબા પર આવેલા મોર છરી પડ્યા છે. જેને કારણે આવનાર દિવસોમાં મોંઘા ભાવે કેરીનો સ્વાદ લેવો પડશે તેવું લાગી રહ્યું છે. શાકભાજીને પણ ઘણું નુકસાન થયું છે. જેને કારણે આવનાર દિવસોમાં શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે. ઉપરાંત કેરી પણ મોંઘી અને મોડી આવશે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. વધતી મોંઘવારીને લઈ ગૃહિણીનું બજેટ ખોરવાઈ શકે છે.     




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.