કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી, આ તારીખે આ જગ્યાઓ પર આવશે માવઠું, કુદરતનો માર સહન કરવા ખેડૂતો મજબૂર!


  • Published By :
  • Published Date : 2023-03-20 10:39:01

રાજ્યમાં ઉનાળાના સમય દરમિયાન પડી રહેલો કમોસમી વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. અનેક દિવસોથી રાજ્યમાં માવઠાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. રવિવારે પણ અનેક વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં ક્યાં વરસાદ પડવાનો છે તેની માહિતી વિગતવાર આપવામાં આવી છે. 


આ વિસ્તારોમાં આવનાર દિવસોમાં થઈ શકે છે વરસાદ 

કમોસમી વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી મુજબ 20 માર્ચે સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર, કચ્છ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં  વરસાદી ઝાપટા પડશે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહિસાગર, પોરબંદર, અરવલ્લી, જૂનાગઢમાં તેમજ કચ્છમાં 21 માર્ચે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, પાટણ, બનાસકાંઠા, જામનગર, અમરેલી, ભાવનગરમાં 22 માર્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. 23 માર્ચ માટે કરવામાં આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદર, જૂનાગઢ. ભાવનગર, દ્વારકા. ગીર સોમનાથમાં કમોસમી વરસાદને કારણે હાલાકી ભોગવવી પડે છે. જ્યારે 24 માર્ચે સાબરકાંઠા, રાજકોટ, જામનગર, અમરેલી. ગીર સોમનાથ, પાટણ, બનાસકાંઠા, ભાવનગરમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં  આવી છે. મહત્વનું છે કે રવિવારે અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. 



મુખ્યમંત્રીએ કમોસમી વરસાદને લઈ યોજી બેઠક 

માવઠાને પગલે રવિવારે મુખ્યમંત્રીએ બેઠક યોજી હતી. બેઠકમાં પાકને થયેલા નુકસાન અંગે, રાહત અને બચાવ અંગેની કામગીરીને લઈ ચર્ચા કરવામાં આવી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરો જોડે બેઠક કરી હતી જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનને લઈ ચર્ચા કરવામાં આવી હતી. 



શાકભાજીના ભાવમાં આવી શકે છે તેજી  

ઉનાળાના સમયે થઈ રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. રાતા પાણીએ રડવાનો વારો ખેડૂતોને આવ્યો છે. ખેતરમાં પાણી ભરાવાને કારણે પાકને નુકસાન પહોંચ્યું છે. કેસર કેરીના પાકને પણ મોટા પાયે નુકસાન થયું છે. આંબા પર આવેલા મોર છરી પડ્યા છે. જેને કારણે આવનાર દિવસોમાં મોંઘા ભાવે કેરીનો સ્વાદ લેવો પડશે તેવું લાગી રહ્યું છે. શાકભાજીને પણ ઘણું નુકસાન થયું છે. જેને કારણે આવનાર દિવસોમાં શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે. ઉપરાંત કેરી પણ મોંઘી અને મોડી આવશે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. વધતી મોંઘવારીને લઈ ગૃહિણીનું બજેટ ખોરવાઈ શકે છે.     




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.