કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી, આ તારીખે આ જગ્યાઓ પર આવશે માવઠું, કુદરતનો માર સહન કરવા ખેડૂતો મજબૂર!


  • Published By :
  • Published Date : 2023-03-20 10:39:01

રાજ્યમાં ઉનાળાના સમય દરમિયાન પડી રહેલો કમોસમી વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. અનેક દિવસોથી રાજ્યમાં માવઠાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. રવિવારે પણ અનેક વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં ક્યાં વરસાદ પડવાનો છે તેની માહિતી વિગતવાર આપવામાં આવી છે. 


આ વિસ્તારોમાં આવનાર દિવસોમાં થઈ શકે છે વરસાદ 

કમોસમી વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી મુજબ 20 માર્ચે સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર, કચ્છ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં  વરસાદી ઝાપટા પડશે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહિસાગર, પોરબંદર, અરવલ્લી, જૂનાગઢમાં તેમજ કચ્છમાં 21 માર્ચે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, પાટણ, બનાસકાંઠા, જામનગર, અમરેલી, ભાવનગરમાં 22 માર્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. 23 માર્ચ માટે કરવામાં આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદર, જૂનાગઢ. ભાવનગર, દ્વારકા. ગીર સોમનાથમાં કમોસમી વરસાદને કારણે હાલાકી ભોગવવી પડે છે. જ્યારે 24 માર્ચે સાબરકાંઠા, રાજકોટ, જામનગર, અમરેલી. ગીર સોમનાથ, પાટણ, બનાસકાંઠા, ભાવનગરમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં  આવી છે. મહત્વનું છે કે રવિવારે અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. 



મુખ્યમંત્રીએ કમોસમી વરસાદને લઈ યોજી બેઠક 

માવઠાને પગલે રવિવારે મુખ્યમંત્રીએ બેઠક યોજી હતી. બેઠકમાં પાકને થયેલા નુકસાન અંગે, રાહત અને બચાવ અંગેની કામગીરીને લઈ ચર્ચા કરવામાં આવી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરો જોડે બેઠક કરી હતી જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનને લઈ ચર્ચા કરવામાં આવી હતી. 



શાકભાજીના ભાવમાં આવી શકે છે તેજી  

ઉનાળાના સમયે થઈ રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. રાતા પાણીએ રડવાનો વારો ખેડૂતોને આવ્યો છે. ખેતરમાં પાણી ભરાવાને કારણે પાકને નુકસાન પહોંચ્યું છે. કેસર કેરીના પાકને પણ મોટા પાયે નુકસાન થયું છે. આંબા પર આવેલા મોર છરી પડ્યા છે. જેને કારણે આવનાર દિવસોમાં મોંઘા ભાવે કેરીનો સ્વાદ લેવો પડશે તેવું લાગી રહ્યું છે. શાકભાજીને પણ ઘણું નુકસાન થયું છે. જેને કારણે આવનાર દિવસોમાં શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે. ઉપરાંત કેરી પણ મોંઘી અને મોડી આવશે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. વધતી મોંઘવારીને લઈ ગૃહિણીનું બજેટ ખોરવાઈ શકે છે.     




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.