ઉત્તરભારતના રાજ્યો માટે હવામાન વિભાગે કરી આગાહી, અનેક રાજ્યોમાં થઈ શકે છે હિમવર્ષા


  • Published By :
  • Published Date : 2023-01-23 08:36:56

દેશના અનેક રાજ્યોમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. કડકડતી ઠંડીથી થોડા દિવસોથી આંશિક રાહત મળી હતી. પરંતુ ફરી એક વખત કડકડતી ઠંડીનો અનુભવ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં 24 અને 25 તારીખ દરમિયાન ભારે વરસાદ અથવા તો હિમવર્ષા થઈ શકે છે. 


વરસાદ વરસવાની કરવામાં આવી છે આગાહી 

અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અનેક જગ્યાઓ પર તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. જેને કારણે અનેક રાજ્યોમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. ઉપરાંત અનેક રાજ્યોમાં વરસાદ પણ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.  


અનેક રાજ્યોમાં રહેશે ધુમ્મસભર્યુ વાતાવરણ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે પંજાબ, હરિયાણા, દિલ્હી જેવા રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. થોડા દિવસોથી કડકડતી ઠંડીનો અનુભવ ઓછો થઈ રહ્યો હતો પરંતુ ફરી એક વખત હાડ થીજાવતી ઠંડીનો અહેસાસ થવા તૈયાર રહેવું પડશે. ઠંડીને કારણે ધુમ્મસનું પ્રમાણ વધી રહ્યું છે. જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. બિહાર, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં, મધ્યપ્રદેશમાં ધુમ્મસવાળું વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. 





અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.