ઉત્તરભારતના રાજ્યો માટે હવામાન વિભાગે કરી આગાહી, અનેક રાજ્યોમાં થઈ શકે છે હિમવર્ષા


  • Published By :
  • Published Date : 2023-01-23 08:36:56

દેશના અનેક રાજ્યોમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. કડકડતી ઠંડીથી થોડા દિવસોથી આંશિક રાહત મળી હતી. પરંતુ ફરી એક વખત કડકડતી ઠંડીનો અનુભવ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં 24 અને 25 તારીખ દરમિયાન ભારે વરસાદ અથવા તો હિમવર્ષા થઈ શકે છે. 


વરસાદ વરસવાની કરવામાં આવી છે આગાહી 

અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અનેક જગ્યાઓ પર તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. જેને કારણે અનેક રાજ્યોમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. ઉપરાંત અનેક રાજ્યોમાં વરસાદ પણ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.  


અનેક રાજ્યોમાં રહેશે ધુમ્મસભર્યુ વાતાવરણ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે પંજાબ, હરિયાણા, દિલ્હી જેવા રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. થોડા દિવસોથી કડકડતી ઠંડીનો અનુભવ ઓછો થઈ રહ્યો હતો પરંતુ ફરી એક વખત હાડ થીજાવતી ઠંડીનો અહેસાસ થવા તૈયાર રહેવું પડશે. ઠંડીને કારણે ધુમ્મસનું પ્રમાણ વધી રહ્યું છે. જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. બિહાર, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં, મધ્યપ્રદેશમાં ધુમ્મસવાળું વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. 





પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.