ઉત્તરભારતના રાજ્યો માટે હવામાન વિભાગે કરી આગાહી, અનેક રાજ્યોમાં થઈ શકે છે હિમવર્ષા


  • Published By :
  • Published Date : 2023-01-23 08:36:56

દેશના અનેક રાજ્યોમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. કડકડતી ઠંડીથી થોડા દિવસોથી આંશિક રાહત મળી હતી. પરંતુ ફરી એક વખત કડકડતી ઠંડીનો અનુભવ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં 24 અને 25 તારીખ દરમિયાન ભારે વરસાદ અથવા તો હિમવર્ષા થઈ શકે છે. 


વરસાદ વરસવાની કરવામાં આવી છે આગાહી 

અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અનેક જગ્યાઓ પર તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. જેને કારણે અનેક રાજ્યોમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. ઉપરાંત અનેક રાજ્યોમાં વરસાદ પણ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.  


અનેક રાજ્યોમાં રહેશે ધુમ્મસભર્યુ વાતાવરણ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે પંજાબ, હરિયાણા, દિલ્હી જેવા રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. થોડા દિવસોથી કડકડતી ઠંડીનો અનુભવ ઓછો થઈ રહ્યો હતો પરંતુ ફરી એક વખત હાડ થીજાવતી ઠંડીનો અહેસાસ થવા તૈયાર રહેવું પડશે. ઠંડીને કારણે ધુમ્મસનું પ્રમાણ વધી રહ્યું છે. જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. બિહાર, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં, મધ્યપ્રદેશમાં ધુમ્મસવાળું વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. 





રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.