ઉત્તરભારતના રાજ્યો માટે હવામાન વિભાગે કરી આગાહી, અનેક રાજ્યોમાં થઈ શકે છે હિમવર્ષા


  • Published By :
  • Published Date : 2023-01-23 08:36:56

દેશના અનેક રાજ્યોમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. કડકડતી ઠંડીથી થોડા દિવસોથી આંશિક રાહત મળી હતી. પરંતુ ફરી એક વખત કડકડતી ઠંડીનો અનુભવ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં 24 અને 25 તારીખ દરમિયાન ભારે વરસાદ અથવા તો હિમવર્ષા થઈ શકે છે. 


વરસાદ વરસવાની કરવામાં આવી છે આગાહી 

અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અનેક જગ્યાઓ પર તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. જેને કારણે અનેક રાજ્યોમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. ઉપરાંત અનેક રાજ્યોમાં વરસાદ પણ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.  


અનેક રાજ્યોમાં રહેશે ધુમ્મસભર્યુ વાતાવરણ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે પંજાબ, હરિયાણા, દિલ્હી જેવા રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. થોડા દિવસોથી કડકડતી ઠંડીનો અનુભવ ઓછો થઈ રહ્યો હતો પરંતુ ફરી એક વખત હાડ થીજાવતી ઠંડીનો અહેસાસ થવા તૈયાર રહેવું પડશે. ઠંડીને કારણે ધુમ્મસનું પ્રમાણ વધી રહ્યું છે. જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. બિહાર, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં, મધ્યપ્રદેશમાં ધુમ્મસવાળું વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. 





અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.