ગરમી માટે હવામાન વિભાગે કરી આગાહી, આવનાર દિવસોમાં વધશે ગરમીનું જોર


  • Published By :
  • Published Date : 2023-02-06 16:27:31

થોડા દિવસો પહેલા કડકડતી ઠંડીનો અનુભવ રાજ્યના લોકો કરી રહ્યા હતા.  ત્યારે હાલના દિવસોમાં ઠંડીનું પ્રમાણ એકાએક ઘટી ગયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઠંડીનું પ્રમાણ ફેબ્રુઆરી સુધી રહેશે જ્યારે માર્ચ મહિનામાં ગરમીનો અહેસાસ થશે. ગરમીનું જોર વધવાનું શરૂ થશે. ગઈ કાલે ગરમીના પ્રમાણમાં એકાએક વધારો થયો છે. 


આવનાર દિવસોમાં વધશે ગરમીનું પ્રમાણ 

રવિવારથી રાજ્યના તાપમાનમાં ધરખમ વધારો નોંધાયો છે. કડકડતી ઠંડીમાંથી લોકોને એકાએક ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભેજવાળું વાતવરણ પણ રહ્યું હતું. ત્યારે વાતાવરણને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે તાપમાનમાં વધારો થતા સમગ્ર રાજ્યમાં ઠંડીમાંથી આંશિક રાહત મળી છે. ફેબ્રુઆરીના અંતિમ ભાગથી ઠંડીનું પ્રમાણ ઘટતું જશે અને ગરમીનું જોર વધવાનું શરૂ થશે. 


અનેક વિસ્તારોમાં રહેશે વાદળછાયું વાતાવરણ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી-બે ત્રણ દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં ભેજ વધી શકે છે. અમદાવાદનું તાપમાન 13.1 ડિગ્રી નોંધાયું હતું સાથે જ નલિયાનું તાપમાન 12 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વડોદરામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.