ગરમી માટે હવામાન વિભાગે કરી આગાહી, આવનાર દિવસોમાં વધશે ગરમીનું જોર


  • Published By :
  • Published Date : 2023-02-06 16:27:31

થોડા દિવસો પહેલા કડકડતી ઠંડીનો અનુભવ રાજ્યના લોકો કરી રહ્યા હતા.  ત્યારે હાલના દિવસોમાં ઠંડીનું પ્રમાણ એકાએક ઘટી ગયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઠંડીનું પ્રમાણ ફેબ્રુઆરી સુધી રહેશે જ્યારે માર્ચ મહિનામાં ગરમીનો અહેસાસ થશે. ગરમીનું જોર વધવાનું શરૂ થશે. ગઈ કાલે ગરમીના પ્રમાણમાં એકાએક વધારો થયો છે. 


આવનાર દિવસોમાં વધશે ગરમીનું પ્રમાણ 

રવિવારથી રાજ્યના તાપમાનમાં ધરખમ વધારો નોંધાયો છે. કડકડતી ઠંડીમાંથી લોકોને એકાએક ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભેજવાળું વાતવરણ પણ રહ્યું હતું. ત્યારે વાતાવરણને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે તાપમાનમાં વધારો થતા સમગ્ર રાજ્યમાં ઠંડીમાંથી આંશિક રાહત મળી છે. ફેબ્રુઆરીના અંતિમ ભાગથી ઠંડીનું પ્રમાણ ઘટતું જશે અને ગરમીનું જોર વધવાનું શરૂ થશે. 


અનેક વિસ્તારોમાં રહેશે વાદળછાયું વાતાવરણ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી-બે ત્રણ દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં ભેજ વધી શકે છે. અમદાવાદનું તાપમાન 13.1 ડિગ્રી નોંધાયું હતું સાથે જ નલિયાનું તાપમાન 12 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વડોદરામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.