ગરમી માટે હવામાન વિભાગે કરી આગાહી, આવનાર દિવસોમાં વધશે ગરમીનું જોર


  • Published By :
  • Published Date : 2023-02-06 16:27:31

થોડા દિવસો પહેલા કડકડતી ઠંડીનો અનુભવ રાજ્યના લોકો કરી રહ્યા હતા.  ત્યારે હાલના દિવસોમાં ઠંડીનું પ્રમાણ એકાએક ઘટી ગયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઠંડીનું પ્રમાણ ફેબ્રુઆરી સુધી રહેશે જ્યારે માર્ચ મહિનામાં ગરમીનો અહેસાસ થશે. ગરમીનું જોર વધવાનું શરૂ થશે. ગઈ કાલે ગરમીના પ્રમાણમાં એકાએક વધારો થયો છે. 


આવનાર દિવસોમાં વધશે ગરમીનું પ્રમાણ 

રવિવારથી રાજ્યના તાપમાનમાં ધરખમ વધારો નોંધાયો છે. કડકડતી ઠંડીમાંથી લોકોને એકાએક ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભેજવાળું વાતવરણ પણ રહ્યું હતું. ત્યારે વાતાવરણને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે તાપમાનમાં વધારો થતા સમગ્ર રાજ્યમાં ઠંડીમાંથી આંશિક રાહત મળી છે. ફેબ્રુઆરીના અંતિમ ભાગથી ઠંડીનું પ્રમાણ ઘટતું જશે અને ગરમીનું જોર વધવાનું શરૂ થશે. 


અનેક વિસ્તારોમાં રહેશે વાદળછાયું વાતાવરણ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી-બે ત્રણ દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં ભેજ વધી શકે છે. અમદાવાદનું તાપમાન 13.1 ડિગ્રી નોંધાયું હતું સાથે જ નલિયાનું તાપમાન 12 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વડોદરામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે