રાજ્યમાં આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં થશે મેઘમહેર


  • Published By :
  • Published Date : 2023-06-21 22:41:06

રાજ્યમાં ફરી એક વખત ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ દાહોદ, સુરત અને જૂનાગઢ જિલ્લા સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થઇ શકે છે. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થવાની કોઇ શક્યતા નથી.


ચોમાસાના પ્રારંભ અંગે અસમંજસ


ગુજરાતના ખેડૂતોને મેઘમહેર માટે હજું થોડા દિવસ રાહ જોવી પડશે. હવામાન વિભાગ દ્વારા ચોમાસાનો પ્રાંરભ ક્યારે થશે તે અંગે હજુ પણ કોઈ પણ સ્પષ્ટતા કરવામાં નથી આવી. મુંબઈમાં ચોમાસાનું આગમન થાય પછી જ ગુજરાતમાં ચોમાસું આવશે. સામાન્ય રીતે દર વર્ષે 1 જૂનથી કેરળમાં ચોમાસુ બેસી જતુ હોય છે, જો કે આ વર્ષે કેરળમાં પણ 8 જૂન બાદ ચોમાસાનું આગમન થયું છે ત્યારે ગુજરાતમાં ક્યારે ચોમાસુ આવશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા કોઈ સ્પષ્ટતા નહીં કરાતા ખેડૂતોથી લઈ સામાન્ય લોકોમાં પણ અસમંજસની સ્થિતી પ્રવર્તે છે. બિપોરજોય વાવાઝોડાને કારણે આ વખતે ચોમાસુ ખેંચાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. 


આ જિલ્લાઓમાં વરસાદની આગાહી


રાજ્યમાં ભેજવાળા વાતાવરણના કારણે આગામી 5 દિવસ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે. દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, નર્મદા, ડાંગ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદના વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં થાય. વાદળો ઘેરાશે પણ વરસાદ પડવાની સંભાવના નહિવત છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.