હવામાન વિભાગે વરસાદની આગાહી કરી, આ દિવસે પડશે વરસાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 17:56:15

ગુજરાતમાં સરેરાશ મોસમથી 30 ટકાથી વધુ વરસાદ પડી ગયો છે અને ઓક્ટોબર માસના મોસમી પવનો વહેવાનો સમય છે ત્યારે ગુજરાત હવામાન વિભાગે 5 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી કરી છે. 


ક્યાંના લોકોને રેઈનકોટ લઈને બહાર નિકળવું પડશે?

6 ઓક્ટોબર

વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આંશિક વરસાદ પડવાની સંભાવના છે. 

7 ઓક્ટોબર 

દાહોદ, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા અને નગર હવેલીના વિસ્તારોમાં આંશિક વરસાદ પડવાની સંભાવના છે. 

8 ઓક્ટોબર 

ગીર સોમનાથ, ભાવનગર, પંચમહાલ, દાહોદ, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા અને નગર હવેલીના વિસ્તારોમાં આંશિક વરસાદ પડવાની સંભાવના છે. 

9 ઓક્ટોબર

ભાવનગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ગીર સોમનાથ, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા અને નગર હવેલીના વિસ્તારોમાં આંશિક વરસાદ પડવાની સંભાવના છે. 




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .