ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી, અનેક રાજ્યોને હિમવર્ષાથી મળી શકે છે રાહત


  • Published By :
  • Published Date : 2023-02-02 13:12:05

ઉત્તરભારતના અનેક શહેરોમાં હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષા થવાને કારણે તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. પરંતુ આવનાર સમયમાં ઠંડીથી આંશિક રાહત મળી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હિમવર્ષા થવાને કારણે રાજધાની દિલ્હી, પંજાબ અને હરિયાણાના લોકોને શીતલહેરનો અનુભવ થઈ રહ્યો હતો. બિહારમાં શીતલહેરનો અનુભવ થઈ શકે છે. રાતના સમયે ઠંડીનું પ્રમાણ વધી શકે છે.


ગુલાબી ઠંડીનો થઈ શકે છે અહેસાસ    

સમગ્ર દેશમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યોમાં બરફ વર્ષા થઈ હતી. જેને કારણે અનેક રાજ્યોમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો. અનેક રાજ્યોમાં તાપમાન માઈનસમાં પહોંચી ગયું હતું. ત્યારે આવનાર સમયમાં અનેક શહેરોને ઠંડીથી આંશિક રાહત મળી શકે છે. બિહારમાં તાપમાનનો પારો યથાવત રહેશે જેને કારણે બિહારના લોકોને ઠંડીનો સામનો કરવો પડશે. બિહારમાં પશ્ચિમથી આવતા પવનને કારણે ઠંડી પડવાની સંભાવના દેખાઈ રહી છે. રાતના સમયે ઠંડીનો વધુ અહેસાસ થઈ શકે છે. તે સિવાય થોડા દિવસો માટે હિમવર્ષાથી અનેક શહેરોને રાહત મળી શકે છે. કડકડતી ઠંડીનો નહીં પરંતુ ગુલાબી ઠંડીનો અહેસાસ લોકોને ફેબ્રુઆરી સુધી થઈ શકે છે.  




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.