ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી, અનેક રાજ્યોને હિમવર્ષાથી મળી શકે છે રાહત


  • Published By :
  • Published Date : 2023-02-02 13:12:05

ઉત્તરભારતના અનેક શહેરોમાં હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષા થવાને કારણે તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. પરંતુ આવનાર સમયમાં ઠંડીથી આંશિક રાહત મળી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હિમવર્ષા થવાને કારણે રાજધાની દિલ્હી, પંજાબ અને હરિયાણાના લોકોને શીતલહેરનો અનુભવ થઈ રહ્યો હતો. બિહારમાં શીતલહેરનો અનુભવ થઈ શકે છે. રાતના સમયે ઠંડીનું પ્રમાણ વધી શકે છે.


ગુલાબી ઠંડીનો થઈ શકે છે અહેસાસ    

સમગ્ર દેશમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યોમાં બરફ વર્ષા થઈ હતી. જેને કારણે અનેક રાજ્યોમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો. અનેક રાજ્યોમાં તાપમાન માઈનસમાં પહોંચી ગયું હતું. ત્યારે આવનાર સમયમાં અનેક શહેરોને ઠંડીથી આંશિક રાહત મળી શકે છે. બિહારમાં તાપમાનનો પારો યથાવત રહેશે જેને કારણે બિહારના લોકોને ઠંડીનો સામનો કરવો પડશે. બિહારમાં પશ્ચિમથી આવતા પવનને કારણે ઠંડી પડવાની સંભાવના દેખાઈ રહી છે. રાતના સમયે ઠંડીનો વધુ અહેસાસ થઈ શકે છે. તે સિવાય થોડા દિવસો માટે હિમવર્ષાથી અનેક શહેરોને રાહત મળી શકે છે. કડકડતી ઠંડીનો નહીં પરંતુ ગુલાબી ઠંડીનો અહેસાસ લોકોને ફેબ્રુઆરી સુધી થઈ શકે છે.  




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.