ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી, અનેક રાજ્યોને હિમવર્ષાથી મળી શકે છે રાહત


  • Published By :
  • Published Date : 2023-02-02 13:12:05

ઉત્તરભારતના અનેક શહેરોમાં હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષા થવાને કારણે તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. પરંતુ આવનાર સમયમાં ઠંડીથી આંશિક રાહત મળી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હિમવર્ષા થવાને કારણે રાજધાની દિલ્હી, પંજાબ અને હરિયાણાના લોકોને શીતલહેરનો અનુભવ થઈ રહ્યો હતો. બિહારમાં શીતલહેરનો અનુભવ થઈ શકે છે. રાતના સમયે ઠંડીનું પ્રમાણ વધી શકે છે.


ગુલાબી ઠંડીનો થઈ શકે છે અહેસાસ    

સમગ્ર દેશમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યોમાં બરફ વર્ષા થઈ હતી. જેને કારણે અનેક રાજ્યોમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો. અનેક રાજ્યોમાં તાપમાન માઈનસમાં પહોંચી ગયું હતું. ત્યારે આવનાર સમયમાં અનેક શહેરોને ઠંડીથી આંશિક રાહત મળી શકે છે. બિહારમાં તાપમાનનો પારો યથાવત રહેશે જેને કારણે બિહારના લોકોને ઠંડીનો સામનો કરવો પડશે. બિહારમાં પશ્ચિમથી આવતા પવનને કારણે ઠંડી પડવાની સંભાવના દેખાઈ રહી છે. રાતના સમયે ઠંડીનો વધુ અહેસાસ થઈ શકે છે. તે સિવાય થોડા દિવસો માટે હિમવર્ષાથી અનેક શહેરોને રાહત મળી શકે છે. કડકડતી ઠંડીનો નહીં પરંતુ ગુલાબી ઠંડીનો અહેસાસ લોકોને ફેબ્રુઆરી સુધી થઈ શકે છે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.