ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી, અનેક રાજ્યોને હિમવર્ષાથી મળી શકે છે રાહત


  • Published By :
  • Published Date : 2023-02-02 13:12:05

ઉત્તરભારતના અનેક શહેરોમાં હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષા થવાને કારણે તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. પરંતુ આવનાર સમયમાં ઠંડીથી આંશિક રાહત મળી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હિમવર્ષા થવાને કારણે રાજધાની દિલ્હી, પંજાબ અને હરિયાણાના લોકોને શીતલહેરનો અનુભવ થઈ રહ્યો હતો. બિહારમાં શીતલહેરનો અનુભવ થઈ શકે છે. રાતના સમયે ઠંડીનું પ્રમાણ વધી શકે છે.


ગુલાબી ઠંડીનો થઈ શકે છે અહેસાસ    

સમગ્ર દેશમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યોમાં બરફ વર્ષા થઈ હતી. જેને કારણે અનેક રાજ્યોમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો. અનેક રાજ્યોમાં તાપમાન માઈનસમાં પહોંચી ગયું હતું. ત્યારે આવનાર સમયમાં અનેક શહેરોને ઠંડીથી આંશિક રાહત મળી શકે છે. બિહારમાં તાપમાનનો પારો યથાવત રહેશે જેને કારણે બિહારના લોકોને ઠંડીનો સામનો કરવો પડશે. બિહારમાં પશ્ચિમથી આવતા પવનને કારણે ઠંડી પડવાની સંભાવના દેખાઈ રહી છે. રાતના સમયે ઠંડીનો વધુ અહેસાસ થઈ શકે છે. તે સિવાય થોડા દિવસો માટે હિમવર્ષાથી અનેક શહેરોને રાહત મળી શકે છે. કડકડતી ઠંડીનો નહીં પરંતુ ગુલાબી ઠંડીનો અહેસાસ લોકોને ફેબ્રુઆરી સુધી થઈ શકે છે.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.