હવામાન નિષ્ણાત Ambalal Patelએ માવઠાને લઈ કરી આગાહી, જાણો ક્યાં આવશે મુસીબતનું માવઠું?


  • Published By :
  • Published Date : 2023-12-02 16:48:57

શિયાળામાં ચોમાસા જેવો વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને રડવાનો વારો આવ્યો છે. અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આગામી દિવસોમાં પણ માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં ચક્રવાત બની રહ્યું છે જેની સીધી અસર ગુજરાતના હવામાન પર પડશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ડિસેમ્બર મહિનામાં વાતાવરણ કેવું રહેશે તે અંગેની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાએ કરી છે. 


માવઠાને લઈ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આ આગાહી 

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં બની રહેલા ચક્રવાતને કારણે ઓરિસ્સા સહિત દક્ષિણના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવા ફૂંકાશે. ઉપરાંત બે ડિસેમ્બરથી ઉત્તરભારતમાં વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે જેને કારણે જમ્મુ-કાશ્મીરથી લઈ પંજાબ, હરિયાણામાં ઠંડીનો ચમકારો અનુભવાશે, ગુજરાતમાં પણ ઠંડીના ચમકારોનો અહેસાસ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાતે કરી છે. ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. 


કમોસમી વરસાદને કારણે વધી ખેડૂતોની ચિંતા 

મહત્વનું છે કે આગામી દિવસોમાં ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. વરસાદે પહેલેથી જ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો હતો ત્યારે આ કમોસમી વરસાદે તેમની ચિંતામાં અનેક ઘણો વધારો કર્યો છે.   




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી