હવામાન નિષ્ણાત Ambalal Patelએ માવઠાને લઈ કરી આગાહી, જાણો ક્યાં આવશે મુસીબતનું માવઠું?


  • Published By :
  • Published Date : 2023-12-02 16:48:57

શિયાળામાં ચોમાસા જેવો વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને રડવાનો વારો આવ્યો છે. અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આગામી દિવસોમાં પણ માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં ચક્રવાત બની રહ્યું છે જેની સીધી અસર ગુજરાતના હવામાન પર પડશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ડિસેમ્બર મહિનામાં વાતાવરણ કેવું રહેશે તે અંગેની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાએ કરી છે. 


માવઠાને લઈ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આ આગાહી 

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં બની રહેલા ચક્રવાતને કારણે ઓરિસ્સા સહિત દક્ષિણના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવા ફૂંકાશે. ઉપરાંત બે ડિસેમ્બરથી ઉત્તરભારતમાં વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે જેને કારણે જમ્મુ-કાશ્મીરથી લઈ પંજાબ, હરિયાણામાં ઠંડીનો ચમકારો અનુભવાશે, ગુજરાતમાં પણ ઠંડીના ચમકારોનો અહેસાસ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાતે કરી છે. ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. 


કમોસમી વરસાદને કારણે વધી ખેડૂતોની ચિંતા 

મહત્વનું છે કે આગામી દિવસોમાં ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. વરસાદે પહેલેથી જ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો હતો ત્યારે આ કમોસમી વરસાદે તેમની ચિંતામાં અનેક ઘણો વધારો કર્યો છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.