હવામાન નિષ્ણાત Ambalal Patelએ માવઠાને લઈ કરી આગાહી, જાણો ક્યાં આવશે મુસીબતનું માવઠું?


  • Published By :
  • Published Date : 2023-12-02 16:48:57

શિયાળામાં ચોમાસા જેવો વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને રડવાનો વારો આવ્યો છે. અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આગામી દિવસોમાં પણ માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં ચક્રવાત બની રહ્યું છે જેની સીધી અસર ગુજરાતના હવામાન પર પડશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ડિસેમ્બર મહિનામાં વાતાવરણ કેવું રહેશે તે અંગેની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાએ કરી છે. 


માવઠાને લઈ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આ આગાહી 

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં બની રહેલા ચક્રવાતને કારણે ઓરિસ્સા સહિત દક્ષિણના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવા ફૂંકાશે. ઉપરાંત બે ડિસેમ્બરથી ઉત્તરભારતમાં વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે જેને કારણે જમ્મુ-કાશ્મીરથી લઈ પંજાબ, હરિયાણામાં ઠંડીનો ચમકારો અનુભવાશે, ગુજરાતમાં પણ ઠંડીના ચમકારોનો અહેસાસ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાતે કરી છે. ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. 


કમોસમી વરસાદને કારણે વધી ખેડૂતોની ચિંતા 

મહત્વનું છે કે આગામી દિવસોમાં ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. વરસાદે પહેલેથી જ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો હતો ત્યારે આ કમોસમી વરસાદે તેમની ચિંતામાં અનેક ઘણો વધારો કર્યો છે.   




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.