અમદાવાદમાં યોજાનારી IPL મેચને લઈ મેટ્રો ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર! જાણો શું રહેશે સમય અને શું છે ટિકિટનો ભાવ?


  • Published By :
  • Published Date : 2023-05-26 14:03:32

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL મેચ યોજાવાની છે. મેચને ધ્યાનમાં રાખી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેને લઈ સવારના 7થી રાત્રીના 1.30 વાગ્યા સુધી ટ્રેન દોડાવામાં આવશે. GMRCએ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી છે. ટિકિટનો દર 25 રુપિયા નક્કી કરવામાં આવ્યો છે. મુસાફરોનો ઘસારો ઓછો થાય તે માટે પેપર ટિકિટ એડવાન્સમાં પણ મેળવી શકાશે. મેચને ધ્યાનમાં રાખી મેટ્રો સેવાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 


GMRCએ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી!

આઈપીએલ મેચનો ક્રેઝ લોકોમાં હાલ જોવા મળી રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 26મે અને 28મેના રોજ મેચ યોજાવાની છે. મેચને લઈ સ્ટેડિયમમાં લોકોને ઘસારો જોવા  મળ્યો હતો. ત્યારે લોકોને અગવડ ન પડે તે માટે મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદ મેટ્રો દ્વારા પણ ક્રિકેટ રસીયાઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.  GMRCએ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી છે. 


ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર! 

ટિકિટનો દર 25 રુપિયા નક્કી કરવામાં આવ્યો છે. 25 રુપિયાના ફિક્સ દરે કોઈપણ મેટ્રો સ્ટેશનથી મોટેરા સ્ટેડિયમ સુધી મુસાફરી કરી શકશે. મેટ્રોના સમયમાં પણ મેચને ધ્યાનમાં રાખી ફેરફાર કરવામાં આવ્યો છે. સવારના 7 વાગ્યાથી રાત્રિના 1.30 વાગ્યા સુધી ટ્રેનની સેવાઓને લંબાવામાં આવી છે. મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે દર્શાવેલા આઈપીએલ મેચોના દિવસોમાં પરત ફરવા, સ્પેશિયલ ટિકિટ બહાર પાડવામાં આવી છે. ટિકિટ ખરીદવા માટે રાહ જોવી ન પડે તે માટે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન પર અગાઉથી બપોરે 12 વાગ્યાથી સ્પેશિયલ પેપર ટિકિટની ખરીદી કરી શકાશે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.