અમદાવાદમાં યોજાનારી IPL મેચને લઈ મેટ્રો ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર! જાણો શું રહેશે સમય અને શું છે ટિકિટનો ભાવ?


  • Published By :
  • Published Date : 2023-05-26 14:03:32

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL મેચ યોજાવાની છે. મેચને ધ્યાનમાં રાખી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેને લઈ સવારના 7થી રાત્રીના 1.30 વાગ્યા સુધી ટ્રેન દોડાવામાં આવશે. GMRCએ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી છે. ટિકિટનો દર 25 રુપિયા નક્કી કરવામાં આવ્યો છે. મુસાફરોનો ઘસારો ઓછો થાય તે માટે પેપર ટિકિટ એડવાન્સમાં પણ મેળવી શકાશે. મેચને ધ્યાનમાં રાખી મેટ્રો સેવાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 


GMRCએ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી!

આઈપીએલ મેચનો ક્રેઝ લોકોમાં હાલ જોવા મળી રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 26મે અને 28મેના રોજ મેચ યોજાવાની છે. મેચને લઈ સ્ટેડિયમમાં લોકોને ઘસારો જોવા  મળ્યો હતો. ત્યારે લોકોને અગવડ ન પડે તે માટે મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદ મેટ્રો દ્વારા પણ ક્રિકેટ રસીયાઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.  GMRCએ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી છે. 


ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર! 

ટિકિટનો દર 25 રુપિયા નક્કી કરવામાં આવ્યો છે. 25 રુપિયાના ફિક્સ દરે કોઈપણ મેટ્રો સ્ટેશનથી મોટેરા સ્ટેડિયમ સુધી મુસાફરી કરી શકશે. મેટ્રોના સમયમાં પણ મેચને ધ્યાનમાં રાખી ફેરફાર કરવામાં આવ્યો છે. સવારના 7 વાગ્યાથી રાત્રિના 1.30 વાગ્યા સુધી ટ્રેનની સેવાઓને લંબાવામાં આવી છે. મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે દર્શાવેલા આઈપીએલ મેચોના દિવસોમાં પરત ફરવા, સ્પેશિયલ ટિકિટ બહાર પાડવામાં આવી છે. ટિકિટ ખરીદવા માટે રાહ જોવી ન પડે તે માટે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન પર અગાઉથી બપોરે 12 વાગ્યાથી સ્પેશિયલ પેપર ટિકિટની ખરીદી કરી શકાશે.    



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .