ઓટો મોબાઈલ કંપની MG Motor સામે સરકારે શરૂ કરી તપાસ, નાણાકિય ગેરરિતીનો આરોપ


  • Published By :
  • Published Date : 2022-11-01 20:14:41

ઓટો મોબાઈલ સેક્ટરની મોટી કંપની મોરિસ ગેરેજ મોટર્સ (MG Motor)ની નાણાકિય ગેરરીતિ સામે સરકારે તપાસ શરૂ કરી છે. કંપની પર આરોપ છે કે તેણે બનાવટી બિલ બનાવીને ટેક્સની ચોરી કરી છે. MG Motor એક માત્ર એવી કંપની છે જેની સામે તપાસ શરૂ કરવામાં આવી છે.


કંપનીના ઉચ્ચ અધિકારીઓની થશે પૂછપરછ 


નાણા મંત્રાલયે નાણાકીય ગેરરિતીને લઈ કંપનીને નોટિસ ફટકારી છે. નોટિસ હેઠળ કંપનીના ઉચ્ચ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. કંપનીના ડાયરેક્ટર, એમ.ડી અને ઓડિટર સાથે પૂછપરછ થઈ શકે છે. નોટિસ બાદ ડિસેમ્બર મહિનામાં કંપનીના અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. મિડીયા રિપોર્ટ પ્રમાણે કંપનીને પૂછવામાં આવ્યું છે કે વર્ષ 2019-20માં વેપારના પહેલા જ વર્ષમાં ખોટ કઈ રીતે બતાવવામાં આવી છે.


MG Motor પર આરોપ શું છે?


MG Motor પર આરોપ છે કે કંપનીએ શંકાસ્પદ કંપનીઓ અને લોકો સાથે ટ્રાન્ઝેક્શન કર્યું છે, કથિત રીતે કરચોરી કરી છે અને ઓછા અને વધુ મૂલ્યના બિલ બનાવીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે અન્ય કેટલાક આરોપો પણ છે. કંપનીએ પણ સ્વીકાર્યું છે કે તેમને મંત્રાલય તરફથી નોટિસ મળી છે.



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.