ઓટો મોબાઈલ કંપની MG Motor સામે સરકારે શરૂ કરી તપાસ, નાણાકિય ગેરરિતીનો આરોપ


  • Published By :
  • Published Date : 2022-11-01 20:14:41

ઓટો મોબાઈલ સેક્ટરની મોટી કંપની મોરિસ ગેરેજ મોટર્સ (MG Motor)ની નાણાકિય ગેરરીતિ સામે સરકારે તપાસ શરૂ કરી છે. કંપની પર આરોપ છે કે તેણે બનાવટી બિલ બનાવીને ટેક્સની ચોરી કરી છે. MG Motor એક માત્ર એવી કંપની છે જેની સામે તપાસ શરૂ કરવામાં આવી છે.


કંપનીના ઉચ્ચ અધિકારીઓની થશે પૂછપરછ 


નાણા મંત્રાલયે નાણાકીય ગેરરિતીને લઈ કંપનીને નોટિસ ફટકારી છે. નોટિસ હેઠળ કંપનીના ઉચ્ચ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. કંપનીના ડાયરેક્ટર, એમ.ડી અને ઓડિટર સાથે પૂછપરછ થઈ શકે છે. નોટિસ બાદ ડિસેમ્બર મહિનામાં કંપનીના અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. મિડીયા રિપોર્ટ પ્રમાણે કંપનીને પૂછવામાં આવ્યું છે કે વર્ષ 2019-20માં વેપારના પહેલા જ વર્ષમાં ખોટ કઈ રીતે બતાવવામાં આવી છે.


MG Motor પર આરોપ શું છે?


MG Motor પર આરોપ છે કે કંપનીએ શંકાસ્પદ કંપનીઓ અને લોકો સાથે ટ્રાન્ઝેક્શન કર્યું છે, કથિત રીતે કરચોરી કરી છે અને ઓછા અને વધુ મૂલ્યના બિલ બનાવીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે અન્ય કેટલાક આરોપો પણ છે. કંપનીએ પણ સ્વીકાર્યું છે કે તેમને મંત્રાલય તરફથી નોટિસ મળી છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.