ઓટો મોબાઈલ કંપની MG Motor સામે સરકારે શરૂ કરી તપાસ, નાણાકિય ગેરરિતીનો આરોપ


  • Published By :
  • Published Date : 2022-11-01 20:14:41

ઓટો મોબાઈલ સેક્ટરની મોટી કંપની મોરિસ ગેરેજ મોટર્સ (MG Motor)ની નાણાકિય ગેરરીતિ સામે સરકારે તપાસ શરૂ કરી છે. કંપની પર આરોપ છે કે તેણે બનાવટી બિલ બનાવીને ટેક્સની ચોરી કરી છે. MG Motor એક માત્ર એવી કંપની છે જેની સામે તપાસ શરૂ કરવામાં આવી છે.


કંપનીના ઉચ્ચ અધિકારીઓની થશે પૂછપરછ 


નાણા મંત્રાલયે નાણાકીય ગેરરિતીને લઈ કંપનીને નોટિસ ફટકારી છે. નોટિસ હેઠળ કંપનીના ઉચ્ચ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. કંપનીના ડાયરેક્ટર, એમ.ડી અને ઓડિટર સાથે પૂછપરછ થઈ શકે છે. નોટિસ બાદ ડિસેમ્બર મહિનામાં કંપનીના અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. મિડીયા રિપોર્ટ પ્રમાણે કંપનીને પૂછવામાં આવ્યું છે કે વર્ષ 2019-20માં વેપારના પહેલા જ વર્ષમાં ખોટ કઈ રીતે બતાવવામાં આવી છે.


MG Motor પર આરોપ શું છે?


MG Motor પર આરોપ છે કે કંપનીએ શંકાસ્પદ કંપનીઓ અને લોકો સાથે ટ્રાન્ઝેક્શન કર્યું છે, કથિત રીતે કરચોરી કરી છે અને ઓછા અને વધુ મૂલ્યના બિલ બનાવીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે અન્ય કેટલાક આરોપો પણ છે. કંપનીએ પણ સ્વીકાર્યું છે કે તેમને મંત્રાલય તરફથી નોટિસ મળી છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.