ઓટો મોબાઈલ કંપની MG Motor સામે સરકારે શરૂ કરી તપાસ, નાણાકિય ગેરરિતીનો આરોપ


  • Published By :
  • Published Date : 2022-11-01 20:14:41

ઓટો મોબાઈલ સેક્ટરની મોટી કંપની મોરિસ ગેરેજ મોટર્સ (MG Motor)ની નાણાકિય ગેરરીતિ સામે સરકારે તપાસ શરૂ કરી છે. કંપની પર આરોપ છે કે તેણે બનાવટી બિલ બનાવીને ટેક્સની ચોરી કરી છે. MG Motor એક માત્ર એવી કંપની છે જેની સામે તપાસ શરૂ કરવામાં આવી છે.


કંપનીના ઉચ્ચ અધિકારીઓની થશે પૂછપરછ 


નાણા મંત્રાલયે નાણાકીય ગેરરિતીને લઈ કંપનીને નોટિસ ફટકારી છે. નોટિસ હેઠળ કંપનીના ઉચ્ચ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. કંપનીના ડાયરેક્ટર, એમ.ડી અને ઓડિટર સાથે પૂછપરછ થઈ શકે છે. નોટિસ બાદ ડિસેમ્બર મહિનામાં કંપનીના અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. મિડીયા રિપોર્ટ પ્રમાણે કંપનીને પૂછવામાં આવ્યું છે કે વર્ષ 2019-20માં વેપારના પહેલા જ વર્ષમાં ખોટ કઈ રીતે બતાવવામાં આવી છે.


MG Motor પર આરોપ શું છે?


MG Motor પર આરોપ છે કે કંપનીએ શંકાસ્પદ કંપનીઓ અને લોકો સાથે ટ્રાન્ઝેક્શન કર્યું છે, કથિત રીતે કરચોરી કરી છે અને ઓછા અને વધુ મૂલ્યના બિલ બનાવીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે અન્ય કેટલાક આરોપો પણ છે. કંપનીએ પણ સ્વીકાર્યું છે કે તેમને મંત્રાલય તરફથી નોટિસ મળી છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.