રાજ્ય સરકારે મધ્યાહન ભોજન યોજનામાં કુકિંગ કોસ્ટ વધારી, કર્મીઓએ નિર્ણયનો કર્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-04-18 19:47:53

ગુજરાત સરકારે મધ્યાહન કર્મીઓની લાંબા સમયની માગ આખરે અંશત: સંતોષી છે. આજે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કરતા મધ્યાહન ભોજન યોજનામાં કુકિંગ કોસ્ટમાં વધારો કર્યો છે. રાજ્ય સરકારે મધ્યાહન ભોજન ધોરણ 1થી 5માં વિદ્યાર્થી દીઠ રૂપિયા 5 અને 45 પૈસાનો વધારો કર્યો છે. ધોરણ 6થી 8માં વિદ્યાર્થી દીઠ રૂપિયા 8 અને 17 પૈસાનો વધારો કર્યો છે.


મધ્યાહન ભોજન કર્મીઓએ કર્યો વિરોધ


રાજ્ય સરકારે  મધ્યાહન ભોજન યોજનામાં કુકિંગ કોસ્ટમાં વધારો કર્યો છતાં મધ્યાહન ભોજન કર્મીઓએ સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળે ઉગ્ર વિરોધ કર્યો છે. મધ્યાહન ભોજન મંડળના સભ્યોએ જણાવ્યું કે, હાલની મોંઘવારી પ્રમાણે સરકારે કરેલો ભાવ વધારો અપુરતો છે. સરકારે  તેમાં હજુ વધારો કરવો જોઈએ. મધ્યાહન ભોજન મંડળના સભ્યો આ મામલે સરકારને રજુઆત કરશે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.