રાજસ્થાનના હનુમાનગઢમાં મિગ-21 ફાઈટર જેટ ક્રેશ, 3 મહિલાઓનું મોત, બંને પાયલોટ સુરક્ષિત


  • Published By :
  • Published Date : 2023-05-08 13:56:36

રાજસ્થાનના હનુમાન ગઢમાં સોમવારે સવારે લગભગ 10.25 વાગ્યે ભારતીય હવાઈ દળનું મિગ-21 ફાઈટર જેટ વિમાન ક્રેશ થઈ ગયું છે. આ દુર્ઘટનામાં ત્રણ મહિલાઓનું મોત થયું છે. જ્યારે એક પુરૂષ સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. જેમાં એક ઘાયલની સ્થિતી ચિંતાજનક છે. ફાઈટર જેટના પાયલોટ રાહુલ અરોડા અને કો-પાયલોટ સુરક્ષિત છે.


કઈ રીતે સર્જાઈ દુર્ઘટના?


હનુમાન ગઢમાં ક્રેસ થયેલા મિગ-21 વિમાનના પાયલોટ રાહુલ અરોડા તેને ઉડાવી રહ્યા હતા. ફાઈટર જેટએ સુરતગઢ એરબેઝથી ઉડાન ભરી હતી. ઉડાન ભરી તેની 15 મિનિટ બાદ જ ટેકનિકલ ખરાબીના પગલે પાયલોટએ વિમાન પરથી પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું હતું. જો કે પાયલોટએ તેમની આંતરસુઝ લગાવીને તે વિમાનને રહેવાસી વિસ્તારોથી દુર લઈ ગયા, પરંતું વિમાન જે મકાન ઉપર પડ્યું તે ગામથી દુર હતું. બાદમાં તે બંને પાયલોટએ પેરાશૂટની મદદથી વિમાન પરથી સુરક્ષિત રીતે પડતું નાખ્યું હતું. કેટલાક લોકો તેમની મદદ માટે દોડી પહોંચ્યા હતા. વિમાન જે ઘર પર પડ્યું તેને આગથી બચાવવા માટે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.