રાજસ્થાનના હનુમાનગઢમાં મિગ-21 ફાઈટર જેટ ક્રેશ, 3 મહિલાઓનું મોત, બંને પાયલોટ સુરક્ષિત


  • Published By :
  • Published Date : 2023-05-08 13:56:36

રાજસ્થાનના હનુમાન ગઢમાં સોમવારે સવારે લગભગ 10.25 વાગ્યે ભારતીય હવાઈ દળનું મિગ-21 ફાઈટર જેટ વિમાન ક્રેશ થઈ ગયું છે. આ દુર્ઘટનામાં ત્રણ મહિલાઓનું મોત થયું છે. જ્યારે એક પુરૂષ સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. જેમાં એક ઘાયલની સ્થિતી ચિંતાજનક છે. ફાઈટર જેટના પાયલોટ રાહુલ અરોડા અને કો-પાયલોટ સુરક્ષિત છે.


કઈ રીતે સર્જાઈ દુર્ઘટના?


હનુમાન ગઢમાં ક્રેસ થયેલા મિગ-21 વિમાનના પાયલોટ રાહુલ અરોડા તેને ઉડાવી રહ્યા હતા. ફાઈટર જેટએ સુરતગઢ એરબેઝથી ઉડાન ભરી હતી. ઉડાન ભરી તેની 15 મિનિટ બાદ જ ટેકનિકલ ખરાબીના પગલે પાયલોટએ વિમાન પરથી પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું હતું. જો કે પાયલોટએ તેમની આંતરસુઝ લગાવીને તે વિમાનને રહેવાસી વિસ્તારોથી દુર લઈ ગયા, પરંતું વિમાન જે મકાન ઉપર પડ્યું તે ગામથી દુર હતું. બાદમાં તે બંને પાયલોટએ પેરાશૂટની મદદથી વિમાન પરથી સુરક્ષિત રીતે પડતું નાખ્યું હતું. કેટલાક લોકો તેમની મદદ માટે દોડી પહોંચ્યા હતા. વિમાન જે ઘર પર પડ્યું તેને આગથી બચાવવા માટે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.