માલધારીઓની દૂધ હડતાળ:મંગળવારે સાંજે જ લોકોએ દૂધનો સ્ટોક કરી લીધો,એકજ રાતમાં 100 લીટર દૂધ વેચાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 09:40:56

માલધારી સમાજ પોતાની વિવિધ માંગણીઓ લઈને સરકારની સામે વિરોધ નોંધાવી રહ્યો છે. ત્યારે હવે તેઓ આ વિરોધને વધુ ઉગ્ર બનાવી રહ્યા છે અને બુધવારે માલધારી સમાજ ડેરીમાં દૂધ ન ભરવા અને દૂધનું વેચાણ નહીં કરવા આહ્વાન કર્યું છે. જો કે આ સમાચાર સાંભળતાની સાથે જ લોકો બુધવાર માટે મંગળવારે જ દૂધની ખરીદી કરતા નજરે પડ્યા હતા.

દૂધ વક્રતાઓ સુધી દૂધનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન પહોંચતા દૂધની અછત સર્જાય - Divya Bhaskar

લોકો બુધવાર માટે મંગળવારે જ દૂધની ખરીદી કરતા નજરે પડ્યા

રાજકોટમાં એક ડેરીનું 100 લિટર દૂધ વેચાઈ ગયુંરાજકોટ શહેરમાં જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલ ડેરી ફાર્મની માલિક રઘુ રબારીએ જણાવ્યું હતું કે, દૂધના વેચાણ પર પ્રતિબંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી આજે અમે 100 લીટર વધુ દૂધ મંગાવ્યું હતું, જો કે આ 100 લીટર દૂધ પણ પૂરું થવા આવ્યું છે. લોકો બુધવાર માટે આજે જ દૂધની ખરીદી કરી રહ્યા છે. અછત જેવો કોઈ પ્રશ્ન નથી. પણ લોકો આજે જ દૂધની ખરીદી કરો રહ્યા છે. જ્યારે ગ્રાહકો પણ કહી રહ્યા છે કે દૂધનું વેચાણ નથી થવાનું તે જાણ થતાં અમે દૂધની ખરીદી કરવા આવ્યા છીએ. સામાન્ય રીતે રોજ લેતા હોય તેના કરતા વધુ દૂધ ખરીદ કરી રહ્યાં છીએ, જેથી બુધવારે દૂધની કોઈ સમસ્યા ન સર્જાય.

રાજકોટ ડેરીએ અછત ન સર્જાય તેનો પ્લાન બનાવ્યો રાજકોટ ડેરીના એમડી વિનોદ વ્યાસે જણાવ્યું હતું કે, આવતીકાલે દૂધની કોઈ અછત સર્જાશે નહી. સંકલન અને સપ્લાય ની પુરી વ્યવસ્થા ડેરી દ્વારા કરી દેવામાં આવી છે. રાજકોટ ડેરીમાં 750 ચાલુ દૂધ મંડળી છે જેના દ્વારા રોજ 3 થી 3.50 લાખ લીટર દૂધ આપવામાં આવે છે, જેનું વેચાણ ડેરી દ્વારા કરવામાં આવે છે. બુધવારે રાજકોટ ડેરી ચાલુ રહેશે. જો કોઈ સ્વૈચ્છિક દૂધ વેચાણ કરવા નહીં આવે તો તેના કારણે દૂધની આવક ઓછી થશે. એક અંદાજ મુજબ રોજ કરતા 50,000 લીટર દૂધની આવક ઓછી થાય તેવું લાગી રહ્યું છે. પરંતુ લોકોને મુશ્કેલી ન પડે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.