માલધારીઓની દૂધ હડતાળ:મંગળવારે સાંજે જ લોકોએ દૂધનો સ્ટોક કરી લીધો,એકજ રાતમાં 100 લીટર દૂધ વેચાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 09:40:56

માલધારી સમાજ પોતાની વિવિધ માંગણીઓ લઈને સરકારની સામે વિરોધ નોંધાવી રહ્યો છે. ત્યારે હવે તેઓ આ વિરોધને વધુ ઉગ્ર બનાવી રહ્યા છે અને બુધવારે માલધારી સમાજ ડેરીમાં દૂધ ન ભરવા અને દૂધનું વેચાણ નહીં કરવા આહ્વાન કર્યું છે. જો કે આ સમાચાર સાંભળતાની સાથે જ લોકો બુધવાર માટે મંગળવારે જ દૂધની ખરીદી કરતા નજરે પડ્યા હતા.

દૂધ વક્રતાઓ સુધી દૂધનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન પહોંચતા દૂધની અછત સર્જાય - Divya Bhaskar

લોકો બુધવાર માટે મંગળવારે જ દૂધની ખરીદી કરતા નજરે પડ્યા

રાજકોટમાં એક ડેરીનું 100 લિટર દૂધ વેચાઈ ગયુંરાજકોટ શહેરમાં જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલ ડેરી ફાર્મની માલિક રઘુ રબારીએ જણાવ્યું હતું કે, દૂધના વેચાણ પર પ્રતિબંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી આજે અમે 100 લીટર વધુ દૂધ મંગાવ્યું હતું, જો કે આ 100 લીટર દૂધ પણ પૂરું થવા આવ્યું છે. લોકો બુધવાર માટે આજે જ દૂધની ખરીદી કરી રહ્યા છે. અછત જેવો કોઈ પ્રશ્ન નથી. પણ લોકો આજે જ દૂધની ખરીદી કરો રહ્યા છે. જ્યારે ગ્રાહકો પણ કહી રહ્યા છે કે દૂધનું વેચાણ નથી થવાનું તે જાણ થતાં અમે દૂધની ખરીદી કરવા આવ્યા છીએ. સામાન્ય રીતે રોજ લેતા હોય તેના કરતા વધુ દૂધ ખરીદ કરી રહ્યાં છીએ, જેથી બુધવારે દૂધની કોઈ સમસ્યા ન સર્જાય.

રાજકોટ ડેરીએ અછત ન સર્જાય તેનો પ્લાન બનાવ્યો રાજકોટ ડેરીના એમડી વિનોદ વ્યાસે જણાવ્યું હતું કે, આવતીકાલે દૂધની કોઈ અછત સર્જાશે નહી. સંકલન અને સપ્લાય ની પુરી વ્યવસ્થા ડેરી દ્વારા કરી દેવામાં આવી છે. રાજકોટ ડેરીમાં 750 ચાલુ દૂધ મંડળી છે જેના દ્વારા રોજ 3 થી 3.50 લાખ લીટર દૂધ આપવામાં આવે છે, જેનું વેચાણ ડેરી દ્વારા કરવામાં આવે છે. બુધવારે રાજકોટ ડેરી ચાલુ રહેશે. જો કોઈ સ્વૈચ્છિક દૂધ વેચાણ કરવા નહીં આવે તો તેના કારણે દૂધની આવક ઓછી થશે. એક અંદાજ મુજબ રોજ કરતા 50,000 લીટર દૂધની આવક ઓછી થાય તેવું લાગી રહ્યું છે. પરંતુ લોકોને મુશ્કેલી ન પડે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે