સમૃધ્ધ ગુજરાતમાં 5 વર્ષમાં 2554 સગીરોએ મોતને વ્હાલું કર્યું, આત્મહત્યાના કારણો જાણીને ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-06-26 19:25:58

દેશનું સમૃધ્ધ રાજ્ય મનાતા ગુજરાતમાં કેટલીક સમસ્યાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. ગુજરાતની સમસ્યાઓ અંગે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના એક રિપોર્ટ ચોંકાવનારો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યસભામાં આપેલી માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં 2554 સગીરોએ મોતને વ્હાલું કર્યું છે. સમૃધ્ધ ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં યુવાનોની આત્મહત્યાએ ચિંતાનો વિષય છે.


આત્મહત્યાની ઘટનાઓ વધી


ગુજરાતમાં આત્મહત્યાની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટમાં મુજબ રાજ્યમાં 5 વર્ષમાં 2,554 સગીર યુવાનો દ્વારા આત્મહત્યા કરી હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે, કોઈ શારીરીક, તો કોઈ માનસિક તો કોઈ આર્થિક પરેશાનીના કારણે આત્મહત્યા કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે, 18 વર્ષથી ઓછી ઉંમરના સગીરોમાં પણ આત્મહત્યાની ઘટનાઓ વધી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યસભામાં આપેલી માહિતી અનુસાર, ગુજરાતમાં 2017માં 485, 2018માં 518, 2019માં 496, 2020માં 532 તો 2021માં 523 18 વર્ષથી ઓછી ઉંમરના સગીર યુવાનોએ આત્મહત્યા કરી હતી. 


આત્મહત્યાઓ શા માટે વધી?


ગુજરાતના સગીરોમાં પણ આત્મહત્યાનું આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. સગીરોમાં આત્મહત્યાના કારણોમાં ભણતરનો ભાર, માનસિક તણાવ, પરીક્ષાનો ડર, પ્રેમ સંબંધ જેવા કારણોને કારણો મુખ્ય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો અનુસાર, ગુજરાત કરતા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં સગીરોની આત્મહત્યાની ઘટના વધારે સામે આવી છે, તો ગુજરાતની સરખામણીમાં ગોવા, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, કેરળ અને હરિયાળામાં ઓછા આત્મહત્યાના કેસ નોંધાયા છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.