સમૃધ્ધ ગુજરાતમાં 5 વર્ષમાં 2554 સગીરોએ મોતને વ્હાલું કર્યું, આત્મહત્યાના કારણો જાણીને ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-06-26 19:25:58

દેશનું સમૃધ્ધ રાજ્ય મનાતા ગુજરાતમાં કેટલીક સમસ્યાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. ગુજરાતની સમસ્યાઓ અંગે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના એક રિપોર્ટ ચોંકાવનારો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યસભામાં આપેલી માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં 2554 સગીરોએ મોતને વ્હાલું કર્યું છે. સમૃધ્ધ ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં યુવાનોની આત્મહત્યાએ ચિંતાનો વિષય છે.


આત્મહત્યાની ઘટનાઓ વધી


ગુજરાતમાં આત્મહત્યાની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટમાં મુજબ રાજ્યમાં 5 વર્ષમાં 2,554 સગીર યુવાનો દ્વારા આત્મહત્યા કરી હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે, કોઈ શારીરીક, તો કોઈ માનસિક તો કોઈ આર્થિક પરેશાનીના કારણે આત્મહત્યા કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે, 18 વર્ષથી ઓછી ઉંમરના સગીરોમાં પણ આત્મહત્યાની ઘટનાઓ વધી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યસભામાં આપેલી માહિતી અનુસાર, ગુજરાતમાં 2017માં 485, 2018માં 518, 2019માં 496, 2020માં 532 તો 2021માં 523 18 વર્ષથી ઓછી ઉંમરના સગીર યુવાનોએ આત્મહત્યા કરી હતી. 


આત્મહત્યાઓ શા માટે વધી?


ગુજરાતના સગીરોમાં પણ આત્મહત્યાનું આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. સગીરોમાં આત્મહત્યાના કારણોમાં ભણતરનો ભાર, માનસિક તણાવ, પરીક્ષાનો ડર, પ્રેમ સંબંધ જેવા કારણોને કારણો મુખ્ય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો અનુસાર, ગુજરાત કરતા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં સગીરોની આત્મહત્યાની ઘટના વધારે સામે આવી છે, તો ગુજરાતની સરખામણીમાં ગોવા, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, કેરળ અને હરિયાળામાં ઓછા આત્મહત્યાના કેસ નોંધાયા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.