ચીખલીમાં ધારાસભ્ય Anant Patelએ TET-TATના ઉમેદવારોના સમર્થનમાં કાઢી રેલી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-18 16:19:06

પોતાની માગને લઈ ટેટ-ટાટના ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. જ્ઞાનસહાયકને રદ્દ કરવામાં આવે તેમજ કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવારો અલગ અલગ રીતે આંદોલન કરી રહ્યા છે અને સરકાર સુધી તેમનો અવાજ પહોંચાડવા પ્રયત્ન કરી રહ્યા છે. અલગ અલગ ધારાસભ્યો ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે ચીખલી ખાતે ઉમેદવારો સાથે રેલી કાઢી હતી અને જ્ઞાન સહાયકનો વિરોધ કર્યો હતો.

સાધુ-સંતોને, મુખ્યમંત્રીને ઉમેદવારોએ લખ્યો પત્ર 

શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે. ઉમેદવારોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો, શિક્ષણ મંત્રી સહિત અનેક નેતાઓને, પદાધિકારીને પત્ર લખ્યો કે તેમની માગ સ્વીકારમાં આવે. પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહી. જેને કારણે તેમણે પછી ભગવાનને પત્ર લખ્યો કે તેમની માગને સ્વીકારવામાં આવે. સાધુ સંતોને પણ પત્ર લખી રજૂઆત કરવામાં આવી. પરંતુ તેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નહી. 


અનંત પટેલે ઉમેદવારો સાથે ચીખલીમાં યોજી રેલી 

ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસના અનેક ધારાસભ્યો આવ્યા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પણ તેમની સાથે આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે આજે ચીખલી ખાતે ધારાસભ્ય અનંત પટેલે ટેટ-ટાટના ઉમેદવારો સાથે રેલી યોજી હતી. સૂત્રોચ્ચાર કરી કાયમી ભરતીની માગ કરી હતી. મહત્વનું છે કે એક તરફ ઉમેદવારો જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે પરંતુ બીજી તરફ અનેક ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. હવે જોવું રહ્યું કે આ લડાઈનું પરિણામ શું આવે છે?    



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી