ચીખલીમાં ધારાસભ્ય Anant Patelએ TET-TATના ઉમેદવારોના સમર્થનમાં કાઢી રેલી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-18 16:19:06

પોતાની માગને લઈ ટેટ-ટાટના ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. જ્ઞાનસહાયકને રદ્દ કરવામાં આવે તેમજ કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવારો અલગ અલગ રીતે આંદોલન કરી રહ્યા છે અને સરકાર સુધી તેમનો અવાજ પહોંચાડવા પ્રયત્ન કરી રહ્યા છે. અલગ અલગ ધારાસભ્યો ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે ચીખલી ખાતે ઉમેદવારો સાથે રેલી કાઢી હતી અને જ્ઞાન સહાયકનો વિરોધ કર્યો હતો.

સાધુ-સંતોને, મુખ્યમંત્રીને ઉમેદવારોએ લખ્યો પત્ર 

શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે. ઉમેદવારોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો, શિક્ષણ મંત્રી સહિત અનેક નેતાઓને, પદાધિકારીને પત્ર લખ્યો કે તેમની માગ સ્વીકારમાં આવે. પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહી. જેને કારણે તેમણે પછી ભગવાનને પત્ર લખ્યો કે તેમની માગને સ્વીકારવામાં આવે. સાધુ સંતોને પણ પત્ર લખી રજૂઆત કરવામાં આવી. પરંતુ તેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નહી. 


અનંત પટેલે ઉમેદવારો સાથે ચીખલીમાં યોજી રેલી 

ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસના અનેક ધારાસભ્યો આવ્યા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પણ તેમની સાથે આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે આજે ચીખલી ખાતે ધારાસભ્ય અનંત પટેલે ટેટ-ટાટના ઉમેદવારો સાથે રેલી યોજી હતી. સૂત્રોચ્ચાર કરી કાયમી ભરતીની માગ કરી હતી. મહત્વનું છે કે એક તરફ ઉમેદવારો જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે પરંતુ બીજી તરફ અનેક ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. હવે જોવું રહ્યું કે આ લડાઈનું પરિણામ શું આવે છે?    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.