ચીખલીમાં ધારાસભ્ય Anant Patelએ TET-TATના ઉમેદવારોના સમર્થનમાં કાઢી રેલી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-18 16:19:06

પોતાની માગને લઈ ટેટ-ટાટના ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. જ્ઞાનસહાયકને રદ્દ કરવામાં આવે તેમજ કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવારો અલગ અલગ રીતે આંદોલન કરી રહ્યા છે અને સરકાર સુધી તેમનો અવાજ પહોંચાડવા પ્રયત્ન કરી રહ્યા છે. અલગ અલગ ધારાસભ્યો ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે ચીખલી ખાતે ઉમેદવારો સાથે રેલી કાઢી હતી અને જ્ઞાન સહાયકનો વિરોધ કર્યો હતો.

સાધુ-સંતોને, મુખ્યમંત્રીને ઉમેદવારોએ લખ્યો પત્ર 

શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે. ઉમેદવારોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો, શિક્ષણ મંત્રી સહિત અનેક નેતાઓને, પદાધિકારીને પત્ર લખ્યો કે તેમની માગ સ્વીકારમાં આવે. પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહી. જેને કારણે તેમણે પછી ભગવાનને પત્ર લખ્યો કે તેમની માગને સ્વીકારવામાં આવે. સાધુ સંતોને પણ પત્ર લખી રજૂઆત કરવામાં આવી. પરંતુ તેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નહી. 


અનંત પટેલે ઉમેદવારો સાથે ચીખલીમાં યોજી રેલી 

ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસના અનેક ધારાસભ્યો આવ્યા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પણ તેમની સાથે આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે આજે ચીખલી ખાતે ધારાસભ્ય અનંત પટેલે ટેટ-ટાટના ઉમેદવારો સાથે રેલી યોજી હતી. સૂત્રોચ્ચાર કરી કાયમી ભરતીની માગ કરી હતી. મહત્વનું છે કે એક તરફ ઉમેદવારો જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે પરંતુ બીજી તરફ અનેક ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. હવે જોવું રહ્યું કે આ લડાઈનું પરિણામ શું આવે છે?    



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.