ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, MLA ભાવેશ કટારાએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2022-11-10 08:48:44

દાહોદ જિલ્લાની ઝાલોદના વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસી ધારાસભ્ય ભાવેશ કટારાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યને રાજીનામું આપી દેતાં કોંગ્રેસને વધુ એક ઝટકો પડ્યો છે. અગાઉ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે તેમ ભાવેશ કટારા પણ ભાજપમાં જોડાશે. 


ભાવેશ કટારા જોડાઈ શકે છે ભાજપમાં

ઝાલોદ સીટ પર કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. અગાઉ 2007 અને 2012માં પણ કોંગ્રેસે જ ઝાલોદ સીટ જીતી હતી. ત્યાર બાદ 2017માં ભાવેશ કટારાએ કોંગ્રેસમાંથી જીત મેળવી હતી. આજે સવારે જ જમાવટે મધ્ય ગુજરાતના બે કોંગ્રેસી ધારાસભ્ય ભાજપમાં જોડાશે તેમાં ભાવેશ કટારાનું નામ હતું. જો કે સત્તાવાર જાહેરાત નહોતી થઈ પરંતુ હવે ભાવેશ કટારાએ નીમાબેન આચાર્યને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. આણંદના વધુ હજુ એક કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાશે તેવા સમાચારો આવી રહ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે