ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, MLA ભાવેશ કટારાએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2022-11-10 08:48:44

દાહોદ જિલ્લાની ઝાલોદના વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસી ધારાસભ્ય ભાવેશ કટારાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યને રાજીનામું આપી દેતાં કોંગ્રેસને વધુ એક ઝટકો પડ્યો છે. અગાઉ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે તેમ ભાવેશ કટારા પણ ભાજપમાં જોડાશે. 


ભાવેશ કટારા જોડાઈ શકે છે ભાજપમાં

ઝાલોદ સીટ પર કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. અગાઉ 2007 અને 2012માં પણ કોંગ્રેસે જ ઝાલોદ સીટ જીતી હતી. ત્યાર બાદ 2017માં ભાવેશ કટારાએ કોંગ્રેસમાંથી જીત મેળવી હતી. આજે સવારે જ જમાવટે મધ્ય ગુજરાતના બે કોંગ્રેસી ધારાસભ્ય ભાજપમાં જોડાશે તેમાં ભાવેશ કટારાનું નામ હતું. જો કે સત્તાવાર જાહેરાત નહોતી થઈ પરંતુ હવે ભાવેશ કટારાએ નીમાબેન આચાર્યને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. આણંદના વધુ હજુ એક કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાશે તેવા સમાચારો આવી રહ્યા છે.



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.