ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, MLA ભાવેશ કટારાએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2022-11-10 08:48:44

દાહોદ જિલ્લાની ઝાલોદના વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસી ધારાસભ્ય ભાવેશ કટારાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યને રાજીનામું આપી દેતાં કોંગ્રેસને વધુ એક ઝટકો પડ્યો છે. અગાઉ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે તેમ ભાવેશ કટારા પણ ભાજપમાં જોડાશે. 


ભાવેશ કટારા જોડાઈ શકે છે ભાજપમાં

ઝાલોદ સીટ પર કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. અગાઉ 2007 અને 2012માં પણ કોંગ્રેસે જ ઝાલોદ સીટ જીતી હતી. ત્યાર બાદ 2017માં ભાવેશ કટારાએ કોંગ્રેસમાંથી જીત મેળવી હતી. આજે સવારે જ જમાવટે મધ્ય ગુજરાતના બે કોંગ્રેસી ધારાસભ્ય ભાજપમાં જોડાશે તેમાં ભાવેશ કટારાનું નામ હતું. જો કે સત્તાવાર જાહેરાત નહોતી થઈ પરંતુ હવે ભાવેશ કટારાએ નીમાબેન આચાર્યને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. આણંદના વધુ હજુ એક કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાશે તેવા સમાચારો આવી રહ્યા છે.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .