ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, MLA ભાવેશ કટારાએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2022-11-10 08:48:44

દાહોદ જિલ્લાની ઝાલોદના વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસી ધારાસભ્ય ભાવેશ કટારાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યને રાજીનામું આપી દેતાં કોંગ્રેસને વધુ એક ઝટકો પડ્યો છે. અગાઉ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે તેમ ભાવેશ કટારા પણ ભાજપમાં જોડાશે. 


ભાવેશ કટારા જોડાઈ શકે છે ભાજપમાં

ઝાલોદ સીટ પર કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. અગાઉ 2007 અને 2012માં પણ કોંગ્રેસે જ ઝાલોદ સીટ જીતી હતી. ત્યાર બાદ 2017માં ભાવેશ કટારાએ કોંગ્રેસમાંથી જીત મેળવી હતી. આજે સવારે જ જમાવટે મધ્ય ગુજરાતના બે કોંગ્રેસી ધારાસભ્ય ભાજપમાં જોડાશે તેમાં ભાવેશ કટારાનું નામ હતું. જો કે સત્તાવાર જાહેરાત નહોતી થઈ પરંતુ હવે ભાવેશ કટારાએ નીમાબેન આચાર્યને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. આણંદના વધુ હજુ એક કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાશે તેવા સમાચારો આવી રહ્યા છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.