ડેડિયાપાડાના MLA ચૈતર વસાવાની અનોખી પહેલ, લગ્નમાં વરરાજાને બંધારણનાં પુસ્તકની ભેટ


  • Published By :
  • Published Date : 2023-01-23 20:53:51

આપના નેતા અને ડેડિયાપાડા વિધાનસભા સીટના ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી જીત્યા તે દિવસથી વિવિધ કારણોથી સમાચારોમાં સતત ચમકતા રહ્યા છે. ચૈતર વસાવા પ્રજા કલ્યાણના કામો કે પછી સામાજીક પ્રસંગોમાં ઉપસ્થિત રહીને સતત લોકો સાથે જોડાયેલા રહે છે. ચૈતર વસાવા તેમના મત વિસ્તારના લોકોના લગ્ન સહિતના સામાજીક પ્રસંગોમાં ઉપસ્થિત રહીને આદિવાસી લોક નૃત્યો કરીને મીડિયાનું ધ્યાન આકર્ષિત કરે છે. 


વરરાજાને બંધારણનું પુસ્તક ભેટ


સામાન્ય પરિવારમાંથી આવીને ધારાસભ્ય બનેલા ચૈતર વસાવા તેમના મત વિસ્તારના સામાજીક પ્રસંગોમાં અચૂક ઉપસ્થિત રહીને લોક સંપર્ક જાળવી રાખે છે. તાજેતરમાં ધારાસભ્ય ચૈતર વસાવા ડેડીયાપાડા તાલુકાના મોસ્કુટ ગામે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યા હતા. એ દરમિયાન એમણે વરરાજાને ભેટ સ્વરૂપે બંધારણનું પુસ્તક ભેટ સ્વરૂપે આપી લોકોનાં દિલ જીતી લીધા હતાં. ચૈતર વસાવાએ પોતાના વિસ્તારમા લગ્ન પ્રસંગમાં બંધારણનું પુસ્તક ભેટ સ્વરૂપે આપી લોકોમાં રહેલી કાયદાકીય અજ્ઞાનતા દુર કરવાની પહેલ કરી છે.


શા માટે બંધારણનું પુસ્તક ભેટ આપ્યું?


ધારાસભ્ય ચૈતર વસાવાએ વરરાજાને ભેટ સ્વરૂપે બંધારણનું પુસ્તક ભેટ સ્વરૂપે આપ્યું તે અંગે તેમણે કહ્યું કે "આજના યુવાનો મોબાઇલ, ડાન્સ પાર્ટી અને વ્યસનોમાં સમય બરબાદ કરે છે, કાયદાકીય અજ્ઞાનતાને લીધે તેઓ આગળ વધી શકતા નથી અને સાથે સાથે પોતાના કુટુંબથી પણ દુર થતા જાય છે, આડા રસ્તે જતાં રહે છે.બંધારણનું પુસ્તક વાંચવાથી યુવાનોમાં કાયદાકીય જ્ઞાન વધશે જેથી તેઓ પોતે તો આગળ વધશે પણ સાથે સાથે પોતાના પરિવારનું નામ રોશન કરશે અને કાયદો વ્યવસ્થા શું છે તથા સરકારની અને નાગરિકની ફરજો શું છે એનાથી પણ માહિતગાર થશે.આવુ દરેક લોકો સમજી સામાજીક પ્રસંગમાં બંધારણનું પુસ્તક ભેટ સ્વરૂપે આપશે તો એક દિવસ એવો આવશે કે યુવાનો બંધારણનું મહત્વ સમજશે અને કાયદાથી અજાણ નહી રહે".



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.