ડેડિયાપાડાના MLA ચૈતર વસાવાની અનોખી પહેલ, લગ્નમાં વરરાજાને બંધારણનાં પુસ્તકની ભેટ


  • Published By :
  • Published Date : 2023-01-23 20:53:51

આપના નેતા અને ડેડિયાપાડા વિધાનસભા સીટના ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી જીત્યા તે દિવસથી વિવિધ કારણોથી સમાચારોમાં સતત ચમકતા રહ્યા છે. ચૈતર વસાવા પ્રજા કલ્યાણના કામો કે પછી સામાજીક પ્રસંગોમાં ઉપસ્થિત રહીને સતત લોકો સાથે જોડાયેલા રહે છે. ચૈતર વસાવા તેમના મત વિસ્તારના લોકોના લગ્ન સહિતના સામાજીક પ્રસંગોમાં ઉપસ્થિત રહીને આદિવાસી લોક નૃત્યો કરીને મીડિયાનું ધ્યાન આકર્ષિત કરે છે. 


વરરાજાને બંધારણનું પુસ્તક ભેટ


સામાન્ય પરિવારમાંથી આવીને ધારાસભ્ય બનેલા ચૈતર વસાવા તેમના મત વિસ્તારના સામાજીક પ્રસંગોમાં અચૂક ઉપસ્થિત રહીને લોક સંપર્ક જાળવી રાખે છે. તાજેતરમાં ધારાસભ્ય ચૈતર વસાવા ડેડીયાપાડા તાલુકાના મોસ્કુટ ગામે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યા હતા. એ દરમિયાન એમણે વરરાજાને ભેટ સ્વરૂપે બંધારણનું પુસ્તક ભેટ સ્વરૂપે આપી લોકોનાં દિલ જીતી લીધા હતાં. ચૈતર વસાવાએ પોતાના વિસ્તારમા લગ્ન પ્રસંગમાં બંધારણનું પુસ્તક ભેટ સ્વરૂપે આપી લોકોમાં રહેલી કાયદાકીય અજ્ઞાનતા દુર કરવાની પહેલ કરી છે.


શા માટે બંધારણનું પુસ્તક ભેટ આપ્યું?


ધારાસભ્ય ચૈતર વસાવાએ વરરાજાને ભેટ સ્વરૂપે બંધારણનું પુસ્તક ભેટ સ્વરૂપે આપ્યું તે અંગે તેમણે કહ્યું કે "આજના યુવાનો મોબાઇલ, ડાન્સ પાર્ટી અને વ્યસનોમાં સમય બરબાદ કરે છે, કાયદાકીય અજ્ઞાનતાને લીધે તેઓ આગળ વધી શકતા નથી અને સાથે સાથે પોતાના કુટુંબથી પણ દુર થતા જાય છે, આડા રસ્તે જતાં રહે છે.બંધારણનું પુસ્તક વાંચવાથી યુવાનોમાં કાયદાકીય જ્ઞાન વધશે જેથી તેઓ પોતે તો આગળ વધશે પણ સાથે સાથે પોતાના પરિવારનું નામ રોશન કરશે અને કાયદો વ્યવસ્થા શું છે તથા સરકારની અને નાગરિકની ફરજો શું છે એનાથી પણ માહિતગાર થશે.આવુ દરેક લોકો સમજી સામાજીક પ્રસંગમાં બંધારણનું પુસ્તક ભેટ સ્વરૂપે આપશે તો એક દિવસ એવો આવશે કે યુવાનો બંધારણનું મહત્વ સમજશે અને કાયદાથી અજાણ નહી રહે".



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.