MLA Chaitar Vasava Vs વનકર્મી કેસમાં કેમ ધારાસભ્યની મુશ્કેલી વધી? જાણો Courtએ શું આપ્યો આદેશ?


  • Published By :
  • Published Date : 2023-12-29 16:06:23

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા  રાજપીપળાની જેલમાં છે. તેમને સુરક્ષાના કારણોસર અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે. તો બીજી બાજુ ચૈતર વસાવાની એક મહિના સુધી જેલમાં તપાસ થશે.  અધિકારી અઠવાડિયામાં 2 દિવસ પૂછપરછ કરશે તેવો હુકમ નર્મદા સેશન્સ કોર્ટે કર્યો છે. એટલે જેલમાં પણ તેઓની મુસીબત ઓછી થાય તેવા કોઈ અણસાર દેખાતા નથી. 

વનકર્મી પર ચૈતર વસાવા અને તેમના સાથીઓએ કર્યું ફાયરિંગ!

ચૈતર વસાવા ભલે છેલ્લા 11 દિવસથી જેલમાં છે પરંતુ તેઓ લોકસભાની ચૂંટણી લડશે તેવી વાત તેમના દ્વારા પહોંચાડવામાં આવી છે. તેમનાં સમર્થકો ચૂંટણી માટે તૈયારીઓ કરી રહ્યા છે પણ ચૈતર વસાવાને હવે જેલમાં પણ ચેનથી શ્વાસ લેવા નહીં મળે. જ્યારે આ આખો કેસ સામે આવ્યો ત્યારે એફઆઈઆરમાં જે રીતના ફરિયાદ થઈ હતી કે ચૈતર વસાવા અને એમના સાથીદારોએ ફાયરિંગ પણ કર્યું હતું. તો હવે પોલીસે કોઈપણ સંજોગોમાં એના સબૂત તો શોધવા જ પડશે ત્યારે હવે જેલમાં પૂછપરછ દરમિયાન શું સામે આવે છે તે જોવાનું રહ્યું.


રિમાન્ડને વધારવા માટે કરાઈ શકે છે રજૂઆત!

ડેડીયાપાડા ટ્રાયલ કોર્ટે વધુ 10 દિવસના નામંજૂર કરેલા રિમાન્ડને ડેડીયાપાડા તપાસ અધિકારી પીઆઈ પી.જે.પંડ્યાએ 20 ડિસેમ્બરે રિવિઝન અરજી કરી નર્મદા સેશન્સ કોર્ટમાં પડકારી હતી. નર્મદા પ્રિન્સિપાલ એન્ડ સેશન્સ જજ નેહલકુમાર જોષી સમક્ષ વધુ 10 દિવસના રિમાન્ડ માટેની રિવિઝન અરજી અંગે સુનાવણી હાથ ધરાઈ હતી. સરકાર તરફે સરકારી વકીલ જે.જે.ગોહિલ હાજર રહ્યાં હતાં. જેમાં તપાસ અધિકારી અને સરકારી વકીલે રિવોલ્વર રિકવર કરવા અને અન્ય ઘણી હકીકતો બહાર આવી શકે તેમ હોય તેમજ વધુ રિમાન્ડ મંજૂર કરવા રજૂઆતો કરી હતી. 

7 જાન્યુઆરીએ અરવિંદ કેજરીવાલ આવશે ડેડીયાપાડા

કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ ચૈતર વસાવાની પોલીસ એક મહિના સુધી જેલમાં સપ્તાહમાં 2 દિવસ સુધી પૂછપરછ કરી શકે છે તેઓ હુકમ કર્યો છે. જ્યારે રિવોલ્વરની રિકવરીના એકના એક મુદ્દે માગવામાં આવતા રિમાન્ડમાં કોર્ટે રિવોલ્વર સંતાડી હોય કે પુરાવાનો નાશ કર્યાનું જણાતું હોય તો પોલીસને આઈપીસી 201ની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી કરી શકે છે તેવી પણ ટકોર કરી છે. અને આ બધાની વચ્ચે ચૈતર વસાવા સતત જેલમાંથી સંદેશો મોકલે છે કે કોઈપણ સંજોગોમાં એ લોકસભાની ચૂંટણી લડશે આમ આદમી પાર્ટીનાં દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ થોડા સમયમાં ભરૂચની મુલાકાત લેશે તો આ કેસમાં આગળ શું થાય છે એ જોવાનું રહ્યું! 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.