ધારાસભ્ય હાર્દિક પટેલ સુરત કોર્ટમાં થયા હાજર, રાજદ્રોહના કેસમાં આગામી 20 ડિસેમ્બરે થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-12-11 19:05:53

ભાજપના યુવા નેતા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ આજે સુરત કોર્ટમાં હાજર થયા હતા. હાર્દિક પટેલ વિરૂધ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. વર્ષ 2017માં યોગીચોકમાં એક રેલીનું આયોજન કરી જાહેરનામાનો ભંગ કરવાના કેસમાં હાર્દિક પટેલનું નિવેદન લેવામાં આવ્યું હતું. આ મામલે આગામી સુનાવણી 20 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. હાર્દિક પટેલે મિડીયાને જણાવ્યું હતું કે તે આજે ફર્ધર સ્ટેટમેન્ટ આપવા માટે કોર્ટમાં હાજર થયા છે.


કાનુની પ્રક્રિયાનું સન્માન 


સુરત આવેલા હાર્દિક પટેલે જણાવ્યું કે આજે ફર્ધર સ્ટેટમેન્ટ આપવા માટે કોર્ટમાં હાજર થયો છું. કોર્ટની પ્રર્ક્રિયાનું હમેંશા માન સન્માન રાખેલું છે અને કાયદાકીય પ્રક્રિયામાં જે વકીલ સાથે રાખીને કોર્ટમાં જે તે જવાબ આપવાના હોય તે આજે ફર્ધર સ્ટેટમેન્ટના રૂપે જવાબ આપ્યા છે. કાયદાની પ્રક્રિયા કાયદાના હિસાબથી કામ કરશે.


રાજ્યમાં નકલીના રાફડા વિશે શું કહ્યું?


રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પીએ કે નકલી ટોલ પ્લાઝા સહિતના જે કેસો રાજ્યમાં સામે આવ્યા છે તે અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હું માનું છું કે આવું ન થવું જોઈએ. આવા ગુનેગારો વિરુદ્ધ કાયદો કાયદાનું કામ કરશે. જ્યારે નકલી ટોલ ટેક્સને લઈને જણાવ્યું હતું કે, તેના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી ત્યાના કલેકટર અને જિલ્લા એસપી કરી રહ્યા છે.


કલમ 370ને અંગે કરી આ વાત


જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા અંગે પણ હાર્દીક પટેલે તેમના વિચારો રજુ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવે છે તેનો સીધો વિરોધ કરવા માટે દરેક મેટરને લઈને સુપ્રીમ કોર્ટ આવવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે એ પણ કીધું છે કે ભારત સરકાર દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવે છે તે સમજી વિચારીને લેવાય છે. આજે ખુશીનો વિષય છે કે 370 ની જે કલમ હટાવવામાં આવી હતી અને જમ્મુ કશ્મીરમાં એક અમનની સ્થાપના થઈ છે. શાંતિથી લોકો જીવી રહ્યા છે. સ્વાભાવિક છે સુપ્રીમ કોર્ટના જજમેન્ટના કારણે ઘણા લોકોના મોઢા પર તમાચો વાગ્યો છે. ઘણા લોકો વિરોધ કરી રહ્યા હતા કે 370 ની કલમ હટાવી શકાય નહીં. રામ મંદિર બની શકે નહીં. જોકે આજે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ ઘણા બધા લોકો માટે ખુશીનો દિવસ છે.

 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.