ધારાસભ્ય હાર્દિક પટેલ સુરત કોર્ટમાં થયા હાજર, રાજદ્રોહના કેસમાં આગામી 20 ડિસેમ્બરે થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-12-11 19:05:53

ભાજપના યુવા નેતા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ આજે સુરત કોર્ટમાં હાજર થયા હતા. હાર્દિક પટેલ વિરૂધ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. વર્ષ 2017માં યોગીચોકમાં એક રેલીનું આયોજન કરી જાહેરનામાનો ભંગ કરવાના કેસમાં હાર્દિક પટેલનું નિવેદન લેવામાં આવ્યું હતું. આ મામલે આગામી સુનાવણી 20 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. હાર્દિક પટેલે મિડીયાને જણાવ્યું હતું કે તે આજે ફર્ધર સ્ટેટમેન્ટ આપવા માટે કોર્ટમાં હાજર થયા છે.


કાનુની પ્રક્રિયાનું સન્માન 


સુરત આવેલા હાર્દિક પટેલે જણાવ્યું કે આજે ફર્ધર સ્ટેટમેન્ટ આપવા માટે કોર્ટમાં હાજર થયો છું. કોર્ટની પ્રર્ક્રિયાનું હમેંશા માન સન્માન રાખેલું છે અને કાયદાકીય પ્રક્રિયામાં જે વકીલ સાથે રાખીને કોર્ટમાં જે તે જવાબ આપવાના હોય તે આજે ફર્ધર સ્ટેટમેન્ટના રૂપે જવાબ આપ્યા છે. કાયદાની પ્રક્રિયા કાયદાના હિસાબથી કામ કરશે.


રાજ્યમાં નકલીના રાફડા વિશે શું કહ્યું?


રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પીએ કે નકલી ટોલ પ્લાઝા સહિતના જે કેસો રાજ્યમાં સામે આવ્યા છે તે અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હું માનું છું કે આવું ન થવું જોઈએ. આવા ગુનેગારો વિરુદ્ધ કાયદો કાયદાનું કામ કરશે. જ્યારે નકલી ટોલ ટેક્સને લઈને જણાવ્યું હતું કે, તેના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી ત્યાના કલેકટર અને જિલ્લા એસપી કરી રહ્યા છે.


કલમ 370ને અંગે કરી આ વાત


જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા અંગે પણ હાર્દીક પટેલે તેમના વિચારો રજુ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવે છે તેનો સીધો વિરોધ કરવા માટે દરેક મેટરને લઈને સુપ્રીમ કોર્ટ આવવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે એ પણ કીધું છે કે ભારત સરકાર દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવે છે તે સમજી વિચારીને લેવાય છે. આજે ખુશીનો વિષય છે કે 370 ની જે કલમ હટાવવામાં આવી હતી અને જમ્મુ કશ્મીરમાં એક અમનની સ્થાપના થઈ છે. શાંતિથી લોકો જીવી રહ્યા છે. સ્વાભાવિક છે સુપ્રીમ કોર્ટના જજમેન્ટના કારણે ઘણા લોકોના મોઢા પર તમાચો વાગ્યો છે. ઘણા લોકો વિરોધ કરી રહ્યા હતા કે 370 ની કલમ હટાવી શકાય નહીં. રામ મંદિર બની શકે નહીં. જોકે આજે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ ઘણા બધા લોકો માટે ખુશીનો દિવસ છે.

 



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.