ધારાસભ્ય હાર્દિક પટેલ સુરત કોર્ટમાં થયા હાજર, રાજદ્રોહના કેસમાં આગામી 20 ડિસેમ્બરે થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-12-11 19:05:53

ભાજપના યુવા નેતા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ આજે સુરત કોર્ટમાં હાજર થયા હતા. હાર્દિક પટેલ વિરૂધ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. વર્ષ 2017માં યોગીચોકમાં એક રેલીનું આયોજન કરી જાહેરનામાનો ભંગ કરવાના કેસમાં હાર્દિક પટેલનું નિવેદન લેવામાં આવ્યું હતું. આ મામલે આગામી સુનાવણી 20 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. હાર્દિક પટેલે મિડીયાને જણાવ્યું હતું કે તે આજે ફર્ધર સ્ટેટમેન્ટ આપવા માટે કોર્ટમાં હાજર થયા છે.


કાનુની પ્રક્રિયાનું સન્માન 


સુરત આવેલા હાર્દિક પટેલે જણાવ્યું કે આજે ફર્ધર સ્ટેટમેન્ટ આપવા માટે કોર્ટમાં હાજર થયો છું. કોર્ટની પ્રર્ક્રિયાનું હમેંશા માન સન્માન રાખેલું છે અને કાયદાકીય પ્રક્રિયામાં જે વકીલ સાથે રાખીને કોર્ટમાં જે તે જવાબ આપવાના હોય તે આજે ફર્ધર સ્ટેટમેન્ટના રૂપે જવાબ આપ્યા છે. કાયદાની પ્રક્રિયા કાયદાના હિસાબથી કામ કરશે.


રાજ્યમાં નકલીના રાફડા વિશે શું કહ્યું?


રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પીએ કે નકલી ટોલ પ્લાઝા સહિતના જે કેસો રાજ્યમાં સામે આવ્યા છે તે અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હું માનું છું કે આવું ન થવું જોઈએ. આવા ગુનેગારો વિરુદ્ધ કાયદો કાયદાનું કામ કરશે. જ્યારે નકલી ટોલ ટેક્સને લઈને જણાવ્યું હતું કે, તેના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી ત્યાના કલેકટર અને જિલ્લા એસપી કરી રહ્યા છે.


કલમ 370ને અંગે કરી આ વાત


જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા અંગે પણ હાર્દીક પટેલે તેમના વિચારો રજુ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવે છે તેનો સીધો વિરોધ કરવા માટે દરેક મેટરને લઈને સુપ્રીમ કોર્ટ આવવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે એ પણ કીધું છે કે ભારત સરકાર દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવે છે તે સમજી વિચારીને લેવાય છે. આજે ખુશીનો વિષય છે કે 370 ની જે કલમ હટાવવામાં આવી હતી અને જમ્મુ કશ્મીરમાં એક અમનની સ્થાપના થઈ છે. શાંતિથી લોકો જીવી રહ્યા છે. સ્વાભાવિક છે સુપ્રીમ કોર્ટના જજમેન્ટના કારણે ઘણા લોકોના મોઢા પર તમાચો વાગ્યો છે. ઘણા લોકો વિરોધ કરી રહ્યા હતા કે 370 ની કલમ હટાવી શકાય નહીં. રામ મંદિર બની શકે નહીં. જોકે આજે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ ઘણા બધા લોકો માટે ખુશીનો દિવસ છે.

 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.