ધારાસભ્ય હર્ષદ રીબડિયાનું કોંગ્રેસમાંથી રાજીનામું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 20:56:25

જૂનાગઢના વીસાવદરના કોંગ્રેસ તરફના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આજે સાંજે વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યને રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસે સમગ્ર મામલે પહેલા અફવા ગણી હતી પરંતુ હવે હર્ષદ રીબડિયાએ સત્તાવાર રીતે રાજીનામું આપી દીધું છે. જોકે હાલ હર્ષ રીબડિયાએ કયા પક્ષમાં જોડાશે તે મામલે કોઈ પુષ્ટિ નથી કરી. 


ઈસુદાન ગઢવીએ કરી હતી ટ્વીટ 

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક ઈસુદાન ગઢવીએ આજે સાંજે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, "ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અનેક નેતાઓ ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે." ઈસુદાન ગઢવીની ટ્વીટથી દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે. 

હર્ષદ રીબડિયાએ હજુ કોઈ પ્રતિક્રિયા નથી આપી

જો કે હર્ષદ રીબડિયા ભાજપમાં જોડાશે કે આમ આદમી પાર્ટીમાં જોડાશે તે હજુ સામે નથી આવ્યું. ભાજપે હાલ સમગ્ર મામલે કોઈ પ્રતિક્રિયા નથી આપી. આમ આદમી પાર્ટી તરફથી પણ કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી. આગામી ચૂંટણી પહેલા હજુ ઘણા બધા બદલાવો જોવા મળશે. તે બદલાવોમાંનોએક ઝટકો કોંગ્રેસને પડી ગયો છે. ચૂંટણી પહેલા હજુ કેટલા મોટા ફેરફારો જોવા મળશે તે જોવાનું રહેશે.  


ભાજપે શું પ્રતિક્રિયા આપી?

ભાજપના મીડિયા સંયોજક યજ્ઞેશ દવેએ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી હતી કે, આ કોંગ્રેસનો આંતરીક કલેહ છે. રાહુલ ગાંધી જ્યારે ભારત જોડો યાત્રા કરી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ નીચે જોવું પડશે. કોંગ્રેસનો આંતરિક કલેહ અને તેમણે ભારત જોડોની જગ્યાએ કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ. ભાજપમાં જોડાશે કે નહીં તે મામલે હાલ કોઈ પ્રતિક્રિયા નથી આપવી પરંતુ એટલું ખાસ કહીશ કે જે થશે તે આગામી સમય દેખાડશે. જ્યારે જમાવટે પૂછ્યું કે ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે આપમાં કોંગ્રેસના નેતા જોડાશે તે મામલે ભાજપનું શું કહેવું છે ત્યારે યજ્ઞેશ દવેએ કહ્યું હતું કે, "એ ઈસુદાન ગઢવીને ખબર કોણ જોડાશે કોણ નહીં જોડાય. તેનાથી ભાજપને કોઈ લેવા દેવા નથી." 


કોંગ્રેસે શું પ્રતિક્રિયા આપી?

જમાવટે કોંગ્રેસ સાથે સમગ્ર મામલે ચર્ચા કરી ત્યારે કોંગ્રેસ જણાવ્યું હતું કે અમને હજુ સુધી કોઈ માહિતી નથી. અમે નીમાબેન આચાર્ય સાથે ચર્ચા કરીને જાણીશું ત્યાર બાદ પ્રતિક્રિયા આપીશું. અમે હર્ષદ રીબડિયા સાથે પણ ચર્ચા કરીશું. ત્યાર બાદ અમે પ્રતિક્રિયા આપીશું.


આમ આદમી પાર્ટીએ શું પ્રતિક્રિયા આપી?

જ્યારે જમાવટે આપના મીડિયા પ્રવક્તા યોગેશ જાદવાણીની પ્રતિક્રિયા લીધી ત્યારે આપ તરફથી તેમણે નિવેદન આપ્યું હતું કે, 'કોંગ્રેસના ઘણા નેતાઓ આપમાં જોડાશે તેવું ચર્ચાઓમાં છે. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું એકહથ્થું શાસન છે. કોંગ્રેસના નેતાઓ ભાજપ સાથે જ જોડાયેલા છે. પરંતુ કોંગ્રેસના અમુક સારા નેતા ભાજપ સામે લડે છે તેને કોંગ્રેસ ગણકારતી નથી હતા. કોંગ્રેસ  ભાજપને હરાવી શકે તેમ નથી, માટે કોંગ્રેસના લડતા લોકો હવે બીજી દિશા તરફ જોઈ રહ્યા છે. ગુજરાતના લોકોના હિત માટે કોંગ્રેસના નેતાઓ આપમાં જોડાશે અને તેમને જોડાવું પણ જોઈએ.  જેથી જો કોંગ્રેસ ભાજપ સામે કંઈ નથી કરી શકતી તો આમ આદમી પાર્ટી લોકોનો અવાજ બની શકે.'  







ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે