ધારાસભ્ય હર્ષદ રીબડિયાનું કોંગ્રેસમાંથી રાજીનામું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 20:56:25

જૂનાગઢના વીસાવદરના કોંગ્રેસ તરફના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આજે સાંજે વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યને રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસે સમગ્ર મામલે પહેલા અફવા ગણી હતી પરંતુ હવે હર્ષદ રીબડિયાએ સત્તાવાર રીતે રાજીનામું આપી દીધું છે. જોકે હાલ હર્ષ રીબડિયાએ કયા પક્ષમાં જોડાશે તે મામલે કોઈ પુષ્ટિ નથી કરી. 


ઈસુદાન ગઢવીએ કરી હતી ટ્વીટ 

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક ઈસુદાન ગઢવીએ આજે સાંજે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, "ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અનેક નેતાઓ ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે." ઈસુદાન ગઢવીની ટ્વીટથી દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે. 

હર્ષદ રીબડિયાએ હજુ કોઈ પ્રતિક્રિયા નથી આપી

જો કે હર્ષદ રીબડિયા ભાજપમાં જોડાશે કે આમ આદમી પાર્ટીમાં જોડાશે તે હજુ સામે નથી આવ્યું. ભાજપે હાલ સમગ્ર મામલે કોઈ પ્રતિક્રિયા નથી આપી. આમ આદમી પાર્ટી તરફથી પણ કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી. આગામી ચૂંટણી પહેલા હજુ ઘણા બધા બદલાવો જોવા મળશે. તે બદલાવોમાંનોએક ઝટકો કોંગ્રેસને પડી ગયો છે. ચૂંટણી પહેલા હજુ કેટલા મોટા ફેરફારો જોવા મળશે તે જોવાનું રહેશે.  


ભાજપે શું પ્રતિક્રિયા આપી?

ભાજપના મીડિયા સંયોજક યજ્ઞેશ દવેએ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી હતી કે, આ કોંગ્રેસનો આંતરીક કલેહ છે. રાહુલ ગાંધી જ્યારે ભારત જોડો યાત્રા કરી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ નીચે જોવું પડશે. કોંગ્રેસનો આંતરિક કલેહ અને તેમણે ભારત જોડોની જગ્યાએ કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ. ભાજપમાં જોડાશે કે નહીં તે મામલે હાલ કોઈ પ્રતિક્રિયા નથી આપવી પરંતુ એટલું ખાસ કહીશ કે જે થશે તે આગામી સમય દેખાડશે. જ્યારે જમાવટે પૂછ્યું કે ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે આપમાં કોંગ્રેસના નેતા જોડાશે તે મામલે ભાજપનું શું કહેવું છે ત્યારે યજ્ઞેશ દવેએ કહ્યું હતું કે, "એ ઈસુદાન ગઢવીને ખબર કોણ જોડાશે કોણ નહીં જોડાય. તેનાથી ભાજપને કોઈ લેવા દેવા નથી." 


કોંગ્રેસે શું પ્રતિક્રિયા આપી?

જમાવટે કોંગ્રેસ સાથે સમગ્ર મામલે ચર્ચા કરી ત્યારે કોંગ્રેસ જણાવ્યું હતું કે અમને હજુ સુધી કોઈ માહિતી નથી. અમે નીમાબેન આચાર્ય સાથે ચર્ચા કરીને જાણીશું ત્યાર બાદ પ્રતિક્રિયા આપીશું. અમે હર્ષદ રીબડિયા સાથે પણ ચર્ચા કરીશું. ત્યાર બાદ અમે પ્રતિક્રિયા આપીશું.


આમ આદમી પાર્ટીએ શું પ્રતિક્રિયા આપી?

જ્યારે જમાવટે આપના મીડિયા પ્રવક્તા યોગેશ જાદવાણીની પ્રતિક્રિયા લીધી ત્યારે આપ તરફથી તેમણે નિવેદન આપ્યું હતું કે, 'કોંગ્રેસના ઘણા નેતાઓ આપમાં જોડાશે તેવું ચર્ચાઓમાં છે. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું એકહથ્થું શાસન છે. કોંગ્રેસના નેતાઓ ભાજપ સાથે જ જોડાયેલા છે. પરંતુ કોંગ્રેસના અમુક સારા નેતા ભાજપ સામે લડે છે તેને કોંગ્રેસ ગણકારતી નથી હતા. કોંગ્રેસ  ભાજપને હરાવી શકે તેમ નથી, માટે કોંગ્રેસના લડતા લોકો હવે બીજી દિશા તરફ જોઈ રહ્યા છે. ગુજરાતના લોકોના હિત માટે કોંગ્રેસના નેતાઓ આપમાં જોડાશે અને તેમને જોડાવું પણ જોઈએ.  જેથી જો કોંગ્રેસ ભાજપ સામે કંઈ નથી કરી શકતી તો આમ આદમી પાર્ટી લોકોનો અવાજ બની શકે.'  







થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .