પોલીસ સાથે ધારાસભ્ય લવિંગજી ઠાકોરની થઈ બોલાચાલી! જાણો લવિંગ ઠાકોરે એવું તો શું કહ્યું કે પોલીસે કહ્યું કે 'બહુ-બહુ તો તમે એન્કાઉન્ટર કરી નાખશો'!


  • Published By :
  • Published Date : 2023-05-10 17:43:04

પોલીસ સાથે ઘર્ષણના અનેક સમાચારો સામે આવતા હોય છે. ઘણી વખત સામાન્ય માણસને પોલીસ હેરાન પરેશાન કરી દેતી હોય છે. સૌથી મોટો પ્રશ્ન પાર્કિંગને લઈને થતો હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ધારાસભ્યનું પોલીસ સાથે ઘર્ષણ થયું છે. પાર્કિગની વાતને લઈને બબાલ થઈ હતી. જે વીડિયો સામે આવ્યો છે તેમાં તે કહી રહ્યા છે કે 'સરકારી માણસ છું , ગાડીનું બોર્ડ તો જુઓ'.   

ધારાસભ્ય લવિંગ ઠાકોરનો વીડિયો થયો વાયરલ!

ગુજરાતમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182માંથી 156 સીટ મેળવી હતી. ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ત્યારે ધારાસભ્યો દ્વારા કરવામાં આવતી દાદાગીરી અથવા તો રોફ જમાવતા અનેક વીડિયો સામે આવતા રહે છે. ત્યારે રાધનપુરના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો વીડિયો સામે આવ્યો છે જેમાં પોલીસ સાથે તેમનું ઘર્ષણ થઈ રહ્યું છે. પાર્કિંગ બાબતે પોલીસ અને લવિંગ ઠાકોર વચ્ચે બોલાચાલી થઈ હતી. વીડિયોમાં ધારાસભ્યે કહ્યું કે સરકારી માણસ છું, ગાડીનું બોર્ડ તો જુઓ. તો પોલીસ વાળા કહી રહ્યા છે કે મારા માટે તો બધા જ સરખા હોય. ત્યારે આ મામલે તમારૂ શું કહેવું છે?             



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.