પોલીસ સાથે ધારાસભ્ય લવિંગજી ઠાકોરની થઈ બોલાચાલી! જાણો લવિંગ ઠાકોરે એવું તો શું કહ્યું કે પોલીસે કહ્યું કે 'બહુ-બહુ તો તમે એન્કાઉન્ટર કરી નાખશો'!


  • Published By :
  • Published Date : 2023-05-10 17:43:04

પોલીસ સાથે ઘર્ષણના અનેક સમાચારો સામે આવતા હોય છે. ઘણી વખત સામાન્ય માણસને પોલીસ હેરાન પરેશાન કરી દેતી હોય છે. સૌથી મોટો પ્રશ્ન પાર્કિંગને લઈને થતો હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ધારાસભ્યનું પોલીસ સાથે ઘર્ષણ થયું છે. પાર્કિગની વાતને લઈને બબાલ થઈ હતી. જે વીડિયો સામે આવ્યો છે તેમાં તે કહી રહ્યા છે કે 'સરકારી માણસ છું , ગાડીનું બોર્ડ તો જુઓ'.   

ધારાસભ્ય લવિંગ ઠાકોરનો વીડિયો થયો વાયરલ!

ગુજરાતમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182માંથી 156 સીટ મેળવી હતી. ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ત્યારે ધારાસભ્યો દ્વારા કરવામાં આવતી દાદાગીરી અથવા તો રોફ જમાવતા અનેક વીડિયો સામે આવતા રહે છે. ત્યારે રાધનપુરના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો વીડિયો સામે આવ્યો છે જેમાં પોલીસ સાથે તેમનું ઘર્ષણ થઈ રહ્યું છે. પાર્કિંગ બાબતે પોલીસ અને લવિંગ ઠાકોર વચ્ચે બોલાચાલી થઈ હતી. વીડિયોમાં ધારાસભ્યે કહ્યું કે સરકારી માણસ છું, ગાડીનું બોર્ડ તો જુઓ. તો પોલીસ વાળા કહી રહ્યા છે કે મારા માટે તો બધા જ સરખા હોય. ત્યારે આ મામલે તમારૂ શું કહેવું છે?             



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે