કમલમ ખાતે મળી ધારાસભ્યો દળની બેઠક, વિધાનસભા પક્ષના નેતા બન્યા ભૂપેન્દ્ર પટેલ


  • Published By :
  • Published Date : 2022-12-10 13:23:47

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ત્યારે આજે પ્રદેશ કાર્યાલય ખાતે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જીતેલા તમામ ઉમેદવારો કમલમ ખાતે હાજર હતા. જેમાં વિધાનસભા પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે.

રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરશે  

કનુ દેસાઈએ આ બેઠકમાં વિધાનસભા પક્ષના નેતા ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને શંકર ચૌધરી, પુર્ણેશ મોદી, મનીષા વકીલ અને રમણલાલ વોરાએ ટેકો જાહેર કર્યો છે. આ બેઠકમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ નિરીક્ષકોએ પણ આ બેઠકમાં હાજરી આપી હતી. આજે બપોરે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરવામાં આવશે. 

CM Bhupendra Patel And CR Patil Left For Delhi | Gujarat Assembly  Elections: વિધાનસભાની ચૂંટણી જાહેરાત થાય તે પહેલા સીએમ અને સીઆર પાટીલ  દિલ્લી જવા રવાના

દિલ્હીમાં બેઠક બાદ લાગશે મંત્રીમંડળના નામ પર મોહર

આ બેઠકમાં મંત્રીમંડળને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રીમંડળમાં 22થી 23 સભ્યો હોઈ શકે છે. જેમાં નવા અને જૂના ચહેરોઓને સ્થાન આપવામાં આવશે. 10 કે 11 કેબિનેટમંત્રી અને 12-13 રાજ્યકક્ષાના મંત્રી બને તેવી શક્યતા છે. બપોરના સમય બાદ સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થશે. અને દિલ્હી ખાતે મંત્રીમંડળના નામો પર અંતિમ મોહર લાગશે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.