કમલમ ખાતે મળી ધારાસભ્યો દળની બેઠક, વિધાનસભા પક્ષના નેતા બન્યા ભૂપેન્દ્ર પટેલ


  • Published By :
  • Published Date : 2022-12-10 13:23:47

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ત્યારે આજે પ્રદેશ કાર્યાલય ખાતે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જીતેલા તમામ ઉમેદવારો કમલમ ખાતે હાજર હતા. જેમાં વિધાનસભા પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે.

રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરશે  

કનુ દેસાઈએ આ બેઠકમાં વિધાનસભા પક્ષના નેતા ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને શંકર ચૌધરી, પુર્ણેશ મોદી, મનીષા વકીલ અને રમણલાલ વોરાએ ટેકો જાહેર કર્યો છે. આ બેઠકમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ નિરીક્ષકોએ પણ આ બેઠકમાં હાજરી આપી હતી. આજે બપોરે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરવામાં આવશે. 

CM Bhupendra Patel And CR Patil Left For Delhi | Gujarat Assembly  Elections: વિધાનસભાની ચૂંટણી જાહેરાત થાય તે પહેલા સીએમ અને સીઆર પાટીલ  દિલ્લી જવા રવાના

દિલ્હીમાં બેઠક બાદ લાગશે મંત્રીમંડળના નામ પર મોહર

આ બેઠકમાં મંત્રીમંડળને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રીમંડળમાં 22થી 23 સભ્યો હોઈ શકે છે. જેમાં નવા અને જૂના ચહેરોઓને સ્થાન આપવામાં આવશે. 10 કે 11 કેબિનેટમંત્રી અને 12-13 રાજ્યકક્ષાના મંત્રી બને તેવી શક્યતા છે. બપોરના સમય બાદ સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થશે. અને દિલ્હી ખાતે મંત્રીમંડળના નામો પર અંતિમ મોહર લાગશે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.