મોબાઈલ બન્યો પ્રાણઘાતક! ફોનમાં વ્યસ્ત આધેડ ચોથા માળથી પટકાયા, આધેડે ગુમાવ્યો જીવ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-03 15:40:23

મોબાઈલને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોઈ વખત બેટરી બ્લાસ્ટ થવાને કારણે તો કોઈ વખત રસ્તામાં મોબાઈલ ફોન વાપરવાને કારણે. ત્યારે સુરતમાં એક આધેડેનું મોત પણ આને કારણે જ થયું છે. મોબાઈલ પર વાત કરતી વખતે આધેડ ચોથા માળથી પટકાઈ ગયા અને તેમનું મૃત્યુ થઈ ગયું. મળતી માહિતી અનુસાર રોજગાર માટે થોડા દિવસો પહેલા તેઓ ઉત્તરપ્રદેશથી ગુજરાત આવ્યા હતા. પરિવારના સભ્યનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.


ચોથા માળેથી પટકાતા થયું આધેડનું મોત! 

આજની જનરેશનના લોકો મોબાઈલમાં ખૂબ રચ્યા પચ્યા રહે છે. અનેક કલાકો મોબાઈલ ફોનમાં વેડફી નાખતા હોય છે. ત્યારે સુરતમાં આધેડનો જીવ મોબાઈલ ફોનને કારણે ગયો છે. ઉધના ઉદ્યોગ નગર ખાતે આ ઘટના બની છે. નિર્માણધીન  બિલ્ડીગમાં મૃતક કામ કરતા હતા. ત્યારે ફોન પર વાત કરતા આધેડ ચોથા માળેથી નીચે પટકાયા અને તેમનું મોત થઈ ગયું. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં જે આધેડનું મોત થયું છે તેમનું નામ શિવપ્રસાદ રામપાલ છે. 


સંતાને પિતાની ગુમાવી છત્રછાયા

ઉધના ઉદ્યોગ નગરમાં આવેલી નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરી રહ્યા હતા અને તે દરમિયાન ફોન પર વાત કરતા કરતા તેઓ ચોથા માળેથી નીચે પટકાઈ ગયા હતા. ચોથા માળેથી પટકાતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર થાય તે પહેલા જ તેમનું મોત થઈ ગયું હતું. શિવપ્રસાદનો પરિવાર ઉત્તરપ્રદેશમાં રહે છે. તેમનું એક સંતાન છે. પિતાના મોતથી સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે. મૃતદેહને વતન લઈ જવાની હાલ તૈયારી થઈ રહી છે.         




દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આ બેઠકના ઉમેદવાર છે જ્યારે છોટુ વસાવાની પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.