મોબાઈલ બન્યો પ્રાણઘાતક! ફોનમાં વ્યસ્ત આધેડ ચોથા માળથી પટકાયા, આધેડે ગુમાવ્યો જીવ


  • Published By :
  • Published Date : 2023-06-03 15:40:23

મોબાઈલને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોઈ વખત બેટરી બ્લાસ્ટ થવાને કારણે તો કોઈ વખત રસ્તામાં મોબાઈલ ફોન વાપરવાને કારણે. ત્યારે સુરતમાં એક આધેડેનું મોત પણ આને કારણે જ થયું છે. મોબાઈલ પર વાત કરતી વખતે આધેડ ચોથા માળથી પટકાઈ ગયા અને તેમનું મૃત્યુ થઈ ગયું. મળતી માહિતી અનુસાર રોજગાર માટે થોડા દિવસો પહેલા તેઓ ઉત્તરપ્રદેશથી ગુજરાત આવ્યા હતા. પરિવારના સભ્યનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.


ચોથા માળેથી પટકાતા થયું આધેડનું મોત! 

આજની જનરેશનના લોકો મોબાઈલમાં ખૂબ રચ્યા પચ્યા રહે છે. અનેક કલાકો મોબાઈલ ફોનમાં વેડફી નાખતા હોય છે. ત્યારે સુરતમાં આધેડનો જીવ મોબાઈલ ફોનને કારણે ગયો છે. ઉધના ઉદ્યોગ નગર ખાતે આ ઘટના બની છે. નિર્માણધીન  બિલ્ડીગમાં મૃતક કામ કરતા હતા. ત્યારે ફોન પર વાત કરતા આધેડ ચોથા માળેથી નીચે પટકાયા અને તેમનું મોત થઈ ગયું. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં જે આધેડનું મોત થયું છે તેમનું નામ શિવપ્રસાદ રામપાલ છે. 


સંતાને પિતાની ગુમાવી છત્રછાયા

ઉધના ઉદ્યોગ નગરમાં આવેલી નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરી રહ્યા હતા અને તે દરમિયાન ફોન પર વાત કરતા કરતા તેઓ ચોથા માળેથી નીચે પટકાઈ ગયા હતા. ચોથા માળેથી પટકાતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર થાય તે પહેલા જ તેમનું મોત થઈ ગયું હતું. શિવપ્રસાદનો પરિવાર ઉત્તરપ્રદેશમાં રહે છે. તેમનું એક સંતાન છે. પિતાના મોતથી સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે. મૃતદેહને વતન લઈ જવાની હાલ તૈયારી થઈ રહી છે.         




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.