મોબાઈલ બન્યો પ્રાણઘાતક! ફોનમાં વ્યસ્ત આધેડ ચોથા માળથી પટકાયા, આધેડે ગુમાવ્યો જીવ


  • Published By :
  • Published Date : 2023-06-03 15:40:23

મોબાઈલને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોઈ વખત બેટરી બ્લાસ્ટ થવાને કારણે તો કોઈ વખત રસ્તામાં મોબાઈલ ફોન વાપરવાને કારણે. ત્યારે સુરતમાં એક આધેડેનું મોત પણ આને કારણે જ થયું છે. મોબાઈલ પર વાત કરતી વખતે આધેડ ચોથા માળથી પટકાઈ ગયા અને તેમનું મૃત્યુ થઈ ગયું. મળતી માહિતી અનુસાર રોજગાર માટે થોડા દિવસો પહેલા તેઓ ઉત્તરપ્રદેશથી ગુજરાત આવ્યા હતા. પરિવારના સભ્યનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.


ચોથા માળેથી પટકાતા થયું આધેડનું મોત! 

આજની જનરેશનના લોકો મોબાઈલમાં ખૂબ રચ્યા પચ્યા રહે છે. અનેક કલાકો મોબાઈલ ફોનમાં વેડફી નાખતા હોય છે. ત્યારે સુરતમાં આધેડનો જીવ મોબાઈલ ફોનને કારણે ગયો છે. ઉધના ઉદ્યોગ નગર ખાતે આ ઘટના બની છે. નિર્માણધીન  બિલ્ડીગમાં મૃતક કામ કરતા હતા. ત્યારે ફોન પર વાત કરતા આધેડ ચોથા માળેથી નીચે પટકાયા અને તેમનું મોત થઈ ગયું. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં જે આધેડનું મોત થયું છે તેમનું નામ શિવપ્રસાદ રામપાલ છે. 


સંતાને પિતાની ગુમાવી છત્રછાયા

ઉધના ઉદ્યોગ નગરમાં આવેલી નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરી રહ્યા હતા અને તે દરમિયાન ફોન પર વાત કરતા કરતા તેઓ ચોથા માળેથી નીચે પટકાઈ ગયા હતા. ચોથા માળેથી પટકાતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર થાય તે પહેલા જ તેમનું મોત થઈ ગયું હતું. શિવપ્રસાદનો પરિવાર ઉત્તરપ્રદેશમાં રહે છે. તેમનું એક સંતાન છે. પિતાના મોતથી સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે. મૃતદેહને વતન લઈ જવાની હાલ તૈયારી થઈ રહી છે.         




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.