મોબાઈલ બન્યો પ્રાણઘાતક! ફોનમાં વ્યસ્ત આધેડ ચોથા માળથી પટકાયા, આધેડે ગુમાવ્યો જીવ


  • Published By :
  • Published Date : 2023-06-03 15:40:23

મોબાઈલને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોઈ વખત બેટરી બ્લાસ્ટ થવાને કારણે તો કોઈ વખત રસ્તામાં મોબાઈલ ફોન વાપરવાને કારણે. ત્યારે સુરતમાં એક આધેડેનું મોત પણ આને કારણે જ થયું છે. મોબાઈલ પર વાત કરતી વખતે આધેડ ચોથા માળથી પટકાઈ ગયા અને તેમનું મૃત્યુ થઈ ગયું. મળતી માહિતી અનુસાર રોજગાર માટે થોડા દિવસો પહેલા તેઓ ઉત્તરપ્રદેશથી ગુજરાત આવ્યા હતા. પરિવારના સભ્યનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.


ચોથા માળેથી પટકાતા થયું આધેડનું મોત! 

આજની જનરેશનના લોકો મોબાઈલમાં ખૂબ રચ્યા પચ્યા રહે છે. અનેક કલાકો મોબાઈલ ફોનમાં વેડફી નાખતા હોય છે. ત્યારે સુરતમાં આધેડનો જીવ મોબાઈલ ફોનને કારણે ગયો છે. ઉધના ઉદ્યોગ નગર ખાતે આ ઘટના બની છે. નિર્માણધીન  બિલ્ડીગમાં મૃતક કામ કરતા હતા. ત્યારે ફોન પર વાત કરતા આધેડ ચોથા માળેથી નીચે પટકાયા અને તેમનું મોત થઈ ગયું. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં જે આધેડનું મોત થયું છે તેમનું નામ શિવપ્રસાદ રામપાલ છે. 


સંતાને પિતાની ગુમાવી છત્રછાયા

ઉધના ઉદ્યોગ નગરમાં આવેલી નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરી રહ્યા હતા અને તે દરમિયાન ફોન પર વાત કરતા કરતા તેઓ ચોથા માળેથી નીચે પટકાઈ ગયા હતા. ચોથા માળેથી પટકાતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર થાય તે પહેલા જ તેમનું મોત થઈ ગયું હતું. શિવપ્રસાદનો પરિવાર ઉત્તરપ્રદેશમાં રહે છે. તેમનું એક સંતાન છે. પિતાના મોતથી સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે. મૃતદેહને વતન લઈ જવાની હાલ તૈયારી થઈ રહી છે.         




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.