દેશમાં 32 ટકા 4G અને 5G સબ્સ્ક્રાઇબર્સ કવરેજની સમસ્યાથી ત્રસ્ત: રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2023-02-17 18:49:42

દેશમાં ટેલિકોમ ગ્રાહકોને 4G અને 5G સેવાઓ માટે તગડી રકમ ચૂકવતા હોવા છતાં યોગ્ય સેવા મળતી નથી. લગભગ 32 ટકા મોબાઇલ સેવા સબ્સ્ક્રાઇબર્સ તેમના મોટાભાગના દિવસ માટે કવરેજ મેળવી શક્તા નથી અને સર્વે કરાયેલા 69 ટકા લોકો દરરોજ કૉલ કનેક્શન અને કોલ ડ્રોપની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં લોકલ સર્કલ્સે કરેલા એક સર્વેમાં આ મોટો ખુલાસો થયો છે. 


50 ટકાથી વધુ ગ્રાહકોને વોઈસ કોલ્સમાં સમસ્યા


લોકલસર્કલ્સના જણાવ્યા અનુસાર,દેશમાં માત્ર 26 ટકા મોબાઇલ સર્વિસ સબ્સ્ક્રાઇબર્સે જણાવ્યું હતું કે તેમના ઘરમાં હાલના તમામ ઓપરેટરોનું વોઈસ કવરેજ સારૂ છે. જ્યારે 5 ટકાએ જણાવ્યું હતું કે તેમના કાર્યસ્થળે ત્રણેય ઓપરેટરોનું સારું વોઈસ કવરેજ છે. 20 ટકા ટેલિકોમ ગ્રાહકો કનેક્ટિવિટીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જ્યારે 50 ટકાથી વધુ સબ્સક્રાઈબર્સ વોઈસ કોલ્સની સમસ્યાથી ત્રસ્ત છે. 


માત્ર 16 ટકા ગ્રાહકોએ 5G પર સ્વિચ કર્યું


લોકલ સર્કલ્સે TRAI સાથે 5G સર્વિસ પરના તેના સર્વેના તારણો શેર કર્યા છે, દેશમાં માત્ર 16 ટકા મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સએ જ 5G પર સ્વિચ કર્યું છે. આ સબ્સ્ક્રાઇબર્સે જ 5G કોલ કનેક્શન અને કોલ ડ્રોપની સમસ્યાઓમાં સુધારો દર્શાવ્યો છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.