દેશમાં 32 ટકા 4G અને 5G સબ્સ્ક્રાઇબર્સ કવરેજની સમસ્યાથી ત્રસ્ત: રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2023-02-17 18:49:42

દેશમાં ટેલિકોમ ગ્રાહકોને 4G અને 5G સેવાઓ માટે તગડી રકમ ચૂકવતા હોવા છતાં યોગ્ય સેવા મળતી નથી. લગભગ 32 ટકા મોબાઇલ સેવા સબ્સ્ક્રાઇબર્સ તેમના મોટાભાગના દિવસ માટે કવરેજ મેળવી શક્તા નથી અને સર્વે કરાયેલા 69 ટકા લોકો દરરોજ કૉલ કનેક્શન અને કોલ ડ્રોપની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં લોકલ સર્કલ્સે કરેલા એક સર્વેમાં આ મોટો ખુલાસો થયો છે. 


50 ટકાથી વધુ ગ્રાહકોને વોઈસ કોલ્સમાં સમસ્યા


લોકલસર્કલ્સના જણાવ્યા અનુસાર,દેશમાં માત્ર 26 ટકા મોબાઇલ સર્વિસ સબ્સ્ક્રાઇબર્સે જણાવ્યું હતું કે તેમના ઘરમાં હાલના તમામ ઓપરેટરોનું વોઈસ કવરેજ સારૂ છે. જ્યારે 5 ટકાએ જણાવ્યું હતું કે તેમના કાર્યસ્થળે ત્રણેય ઓપરેટરોનું સારું વોઈસ કવરેજ છે. 20 ટકા ટેલિકોમ ગ્રાહકો કનેક્ટિવિટીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જ્યારે 50 ટકાથી વધુ સબ્સક્રાઈબર્સ વોઈસ કોલ્સની સમસ્યાથી ત્રસ્ત છે. 


માત્ર 16 ટકા ગ્રાહકોએ 5G પર સ્વિચ કર્યું


લોકલ સર્કલ્સે TRAI સાથે 5G સર્વિસ પરના તેના સર્વેના તારણો શેર કર્યા છે, દેશમાં માત્ર 16 ટકા મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સએ જ 5G પર સ્વિચ કર્યું છે. આ સબ્સ્ક્રાઇબર્સે જ 5G કોલ કનેક્શન અને કોલ ડ્રોપની સમસ્યાઓમાં સુધારો દર્શાવ્યો છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.