દેશમાં 32 ટકા 4G અને 5G સબ્સ્ક્રાઇબર્સ કવરેજની સમસ્યાથી ત્રસ્ત: રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2023-02-17 18:49:42

દેશમાં ટેલિકોમ ગ્રાહકોને 4G અને 5G સેવાઓ માટે તગડી રકમ ચૂકવતા હોવા છતાં યોગ્ય સેવા મળતી નથી. લગભગ 32 ટકા મોબાઇલ સેવા સબ્સ્ક્રાઇબર્સ તેમના મોટાભાગના દિવસ માટે કવરેજ મેળવી શક્તા નથી અને સર્વે કરાયેલા 69 ટકા લોકો દરરોજ કૉલ કનેક્શન અને કોલ ડ્રોપની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં લોકલ સર્કલ્સે કરેલા એક સર્વેમાં આ મોટો ખુલાસો થયો છે. 


50 ટકાથી વધુ ગ્રાહકોને વોઈસ કોલ્સમાં સમસ્યા


લોકલસર્કલ્સના જણાવ્યા અનુસાર,દેશમાં માત્ર 26 ટકા મોબાઇલ સર્વિસ સબ્સ્ક્રાઇબર્સે જણાવ્યું હતું કે તેમના ઘરમાં હાલના તમામ ઓપરેટરોનું વોઈસ કવરેજ સારૂ છે. જ્યારે 5 ટકાએ જણાવ્યું હતું કે તેમના કાર્યસ્થળે ત્રણેય ઓપરેટરોનું સારું વોઈસ કવરેજ છે. 20 ટકા ટેલિકોમ ગ્રાહકો કનેક્ટિવિટીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જ્યારે 50 ટકાથી વધુ સબ્સક્રાઈબર્સ વોઈસ કોલ્સની સમસ્યાથી ત્રસ્ત છે. 


માત્ર 16 ટકા ગ્રાહકોએ 5G પર સ્વિચ કર્યું


લોકલ સર્કલ્સે TRAI સાથે 5G સર્વિસ પરના તેના સર્વેના તારણો શેર કર્યા છે, દેશમાં માત્ર 16 ટકા મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સએ જ 5G પર સ્વિચ કર્યું છે. આ સબ્સ્ક્રાઇબર્સે જ 5G કોલ કનેક્શન અને કોલ ડ્રોપની સમસ્યાઓમાં સુધારો દર્શાવ્યો છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.