મોદી સરનેમ કેસમાં રાહુલ ગાધીને મોટી રાહત,જાણો આજે પટણા હાઈકોર્ટમાં શું થયું?


  • Published By :
  • Published Date : 2023-04-24 15:18:37

કોંગ્રસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં પટણા હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. પટણા MP-MAL કોર્ટે તેમને મોદી સરનેમ કેસમાં 25 એપ્રીલ એટલે કે મંગળવાર સુધી હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. આ મામલે રાહુલ ગાંધી દ્વારા પટણા હાઈકોર્ટમાં તે અંગે અપીલ કરવામાં આવી હતી. પટણા હાઈકોર્ટે MP-MAL કોર્ટના આદેશ પર 15 મે સુધી સ્ટે લગાવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપના નેતા સુશીલ મોદીએ રાહુલ ગાધી સામે કેસ કર્યો છે.


15 મે સુધી મળી રાહત


રાહુલ ગાંધીની અરજીની સુનાવણી હાથ ધરતા પટણા હાઈકોર્ટે નીચલી અદાલતમાં કાલે 25 એપ્રીલે હાજર રહેવાથી રાહત આપી છે. હાઈકોર્ટે નીચલી અદાલતના હુકમ પર સ્ટે લગાવતા આ  મામલે આગામી સુનાવણી 16 મે નક્કી કરી છે.  


સુશીલ મોદીએ 2019માં કેસ દાખલ કર્યો હતો


અત્રે ઉલ્લેખનિય છે કે આ મામલો "મોદી સરનેમ" પર કરવામાં આવેલી ટિપ્પણી સાથે પણ સંબંધિત છે. બીજેપી સાંસદ અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ 2019માં કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે 2019 માં કર્ણાટકના કોલારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં કહ્યું હતું કે "બધા મોદી ચોર છે". મારી અટક પણ મોદી જ છે. આ નિવેદનથી મોદી સરનેમ ધરાવતા લોકોને ખૂબ જ દુઃખ થયું છે. આથી તેણે કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. હાલ રાહુલ ગાંધી આ મામલામાં જામીન પર છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.