મોદી સરનેમ કેસમાં રાહુલ ગાધીને મોટી રાહત,જાણો આજે પટણા હાઈકોર્ટમાં શું થયું?


  • Published By :
  • Published Date : 2023-04-24 15:18:37

કોંગ્રસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં પટણા હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. પટણા MP-MAL કોર્ટે તેમને મોદી સરનેમ કેસમાં 25 એપ્રીલ એટલે કે મંગળવાર સુધી હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. આ મામલે રાહુલ ગાંધી દ્વારા પટણા હાઈકોર્ટમાં તે અંગે અપીલ કરવામાં આવી હતી. પટણા હાઈકોર્ટે MP-MAL કોર્ટના આદેશ પર 15 મે સુધી સ્ટે લગાવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપના નેતા સુશીલ મોદીએ રાહુલ ગાધી સામે કેસ કર્યો છે.


15 મે સુધી મળી રાહત


રાહુલ ગાંધીની અરજીની સુનાવણી હાથ ધરતા પટણા હાઈકોર્ટે નીચલી અદાલતમાં કાલે 25 એપ્રીલે હાજર રહેવાથી રાહત આપી છે. હાઈકોર્ટે નીચલી અદાલતના હુકમ પર સ્ટે લગાવતા આ  મામલે આગામી સુનાવણી 16 મે નક્કી કરી છે.  


સુશીલ મોદીએ 2019માં કેસ દાખલ કર્યો હતો


અત્રે ઉલ્લેખનિય છે કે આ મામલો "મોદી સરનેમ" પર કરવામાં આવેલી ટિપ્પણી સાથે પણ સંબંધિત છે. બીજેપી સાંસદ અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ 2019માં કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે 2019 માં કર્ણાટકના કોલારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં કહ્યું હતું કે "બધા મોદી ચોર છે". મારી અટક પણ મોદી જ છે. આ નિવેદનથી મોદી સરનેમ ધરાવતા લોકોને ખૂબ જ દુઃખ થયું છે. આથી તેણે કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. હાલ રાહુલ ગાંધી આ મામલામાં જામીન પર છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.