મોદી સરનેમ કેસમાં રાહુલ ગાધીને મોટી રાહત,જાણો આજે પટણા હાઈકોર્ટમાં શું થયું?


  • Published By :
  • Published Date : 2023-04-24 15:18:37

કોંગ્રસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં પટણા હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. પટણા MP-MAL કોર્ટે તેમને મોદી સરનેમ કેસમાં 25 એપ્રીલ એટલે કે મંગળવાર સુધી હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. આ મામલે રાહુલ ગાંધી દ્વારા પટણા હાઈકોર્ટમાં તે અંગે અપીલ કરવામાં આવી હતી. પટણા હાઈકોર્ટે MP-MAL કોર્ટના આદેશ પર 15 મે સુધી સ્ટે લગાવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપના નેતા સુશીલ મોદીએ રાહુલ ગાધી સામે કેસ કર્યો છે.


15 મે સુધી મળી રાહત


રાહુલ ગાંધીની અરજીની સુનાવણી હાથ ધરતા પટણા હાઈકોર્ટે નીચલી અદાલતમાં કાલે 25 એપ્રીલે હાજર રહેવાથી રાહત આપી છે. હાઈકોર્ટે નીચલી અદાલતના હુકમ પર સ્ટે લગાવતા આ  મામલે આગામી સુનાવણી 16 મે નક્કી કરી છે.  


સુશીલ મોદીએ 2019માં કેસ દાખલ કર્યો હતો


અત્રે ઉલ્લેખનિય છે કે આ મામલો "મોદી સરનેમ" પર કરવામાં આવેલી ટિપ્પણી સાથે પણ સંબંધિત છે. બીજેપી સાંસદ અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ 2019માં કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે 2019 માં કર્ણાટકના કોલારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં કહ્યું હતું કે "બધા મોદી ચોર છે". મારી અટક પણ મોદી જ છે. આ નિવેદનથી મોદી સરનેમ ધરાવતા લોકોને ખૂબ જ દુઃખ થયું છે. આથી તેણે કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. હાલ રાહુલ ગાંધી આ મામલામાં જામીન પર છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.