ભારતીય ટીમને મોટો ઝટકો, મોહમ્મદ શમી કોરોના પોઝિટીવ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 10:36:35

ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચોની સીરીઝ પહેલા જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. અનુભવી સ્ટાર બોલર મોહમ્મદ શમી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મોહમ્મદ શમી કોરોના પોઝિટીવ આવ્યા બાદ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. આ સાથે જ શમીની જગ્યાએ ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બાદ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. આ સાથે જ શમીની જગ્યાએ ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ હાલ ભારતના પ્રવાસે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 20 સપ્ટેમ્બરથી ત્રણ મેચની T20 સીરિઝ રમાશે. આ સીરિઝની પ્રથમ મેચ મોહાલીમાં રમાશે. આ શ્રેણીની શરૂઆત પહેલા જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. 


મોહમ્મદ શમીને કોરોનાના હળવા લક્ષણો 


મોહમ્મદ શમી લાંબા સમય પછી ભારતીય ટીમમાં વાપસી કરવાનો હતો. તે T20 વર્લ્ડ કપમાં ભારત માટે સ્ટેન્ડબાય ખેલાડી તરીકે સામેલ હતો. હવે તેનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે.BCCIના એક સુત્રએ જણાવ્યું છે કે મોહમ્મદ શમી કોવિડ-19 પોઝિટીવ આવ્યો છે. પણ તેનાથી ચિંતિત થવાની જરૂર નથી. કારણ કે તેને કોરોનાના લક્ષણો બહું હળવા છે. પરંતું તેમને આઈસોલેટ રહેવું પડશે અને ટેસ્ટમાં નેગેટીવ આવ્યા બાદ જ ટીમમાં ફરીથી સામેલ થઈ શકશે. આશા રાખવામાં આવી રહી છે કે શમી સાઉથ આફ્રિકા સામેની સીરીઝ પહેલા ફિટ થઈ જશે. તે સીરીઝ શરૂ થવામાં હવે 10 દિવસ રહ્યા છે. 


ભારતીય ટીમ અત્યાર સુધીમાં કુલ 179 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. આ દરમિયાન તેણે 114 મેચ જીતી છે. જ્યારે  57 મેચ હારી છે. આ સિવાય ત્રણ મેચ ટાઈ થઇ હતી તો પાંચ મેચનું કોઈ પરિણામ આવ્યું નહોતું.ઓસ્ટ્રેલિયન ટીમની વાત કરીએ તો ટીમે અત્યાર સુધીમાં 158 T20I રમી છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમે 82 મેચ જીતી હતી અને 70 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 6 મેચનું કોઈ પરિણામ આવ્યું નથી.



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.