મોહનસિંહ રાઠવાનું કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું, ભાજપમાં જોડાયા


  • Published By :
  • Published Date : 2022-11-08 17:37:59

છોટાઉદેપુરના દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાં દાયકાઓથી જીતતા આવતા કદાવર નેતા મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાઈ ગયા છે. મોહનસિંહ રાઠવા કોંગ્રેસમાંથી રાજીનામું આપશે તેનો અર્થ એવો થઈ શકે કે હવે નારણ રાઠવાના પુત્ર સંગ્રામસિંહ રાઠવાને ટિકિટ મળશે. 


કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષને પત્ર લખીને આપ્યું રાજીનામું

અગાઉ પણ મોહનસિંહ રાઠવાએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. જ્યારે હવે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદિશ ઠાકોરને પત્ર લખીને જાણ કરી છે. પત્રમાં તેમણે લખ્યું હતું કે તેઓ છોટાઉદેપુર 137 બેઠક પરથી રાજીનામું આપે છે. તેમણે પત્રમાં લખ્યું છે કે કોંગ્રેસના સદસ્ય સહિતના તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું. મોહનસિંહ રાઠવા તેમના પુત્ર માટે ટિકિટ માગી રહ્યા હતા. તેમનું જણાવવું હતું કે યુવાનોને ટિકિટ મળે તો સારું. 


કોણ છે મોહનસિંહ રાઠવા?

મોહનસિંહ રાઠવા 1972થી ધારાસભ્ય પદે છે. તેઓ સતત 11 ટર્મથી ચૂંટણી લડતા આવ્યા છે અને 10 વાર ચૂંટણી જીત્યા છે. મોહનસિંહ રાઠવા બે વાર લોકસભા માટે પણ ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમનો હારનો સામનો કરવો પડ્યો હતો








ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.