પ્રસાદ વિવાદનો અંત આવતા અંબાજીમાં બની રહ્યો છે મોહનથાળનો પ્રસાદ, માતાજીને ધરાવ્યા બાદ ભક્તોમાં વહેચાશે


  • Published By :
  • Published Date : 2023-03-15 15:15:48

શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળ પ્રસાદ બંધ કરવામાં આવતા માઈ ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી હતી. મોહનથાળની બદલીમાં ચિક્કીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો ભક્તોએ વિરોધ કર્યો હતો. પ્રસાદ બંધ કરાતા અનેક સંગઠનો દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો ઉપરાંત કલેક્ટરને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. વધતા જતા વિરોધને લઈ હર્ષ સંઘવીએ બેઠક બોલાવી હતી. જે બાદ મોહનથાળનો પ્રસાદ યથાવત રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું. આ નિર્ણયને કારણે માઈભક્તોમાં આનંદની લાગણી વ્યાપી ઉઠી હતી. ત્યારે આજથી મોહનથાળ પ્રસાદનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

IMG 20230315 080919

જિલ્લા કલેક્ટરને કરાઈ હતી અનેક રજૂઆત 

એકાએક શક્તિપીઠ અંબાજીમાં મળતો મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેવામાં આવ્યો હતો. મોહનથાળનો પ્રસાદ બંધ થતાં માઈભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. પ્રસાદ બંધ કરાતા કોંગ્રેસ, વિશ્વ હિંદુ પરિષદ સહિતના અનેક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પત્ર આપી રજૂઆત પણ કરવામાં આવી હતી. તે ઉપરાંત ભક્તો દ્વારા નિ:શુલ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસાદનો વિવાદ વધતો જઈ રહ્યો હતો.


માઈભક્તોને અપાઈ રહ્યો છે મોહનથાળનો પ્રસાદ 

પ્રસાદને લઈ સરકાર દ્વારા અનેક નિવેદનો સામે આવ્યા હતા. વધતા વિરોધને લઈ સરકારે અચાનક એક મીટિંગ બોલાવી હતી. જેમાં ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. મીટિંગ બાદ મોહનથાળનો પ્રસાદ યથાવત રાખવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે મોહનથાળની સાથે સાથે ચિક્કીનો પ્રસાદ પણ આપવામાં આવશે. આ જાહેરાતને લઈ માઈભક્તોમાં આનંદની લાગણી જોવા મળી હતી. જાહેરાત બાદ મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. માતાજીને ધરાવ્યા બાદ માઈભક્તોને મોહનથાળનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે.    




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.