પ્રસાદ વિવાદનો અંત આવતા અંબાજીમાં બની રહ્યો છે મોહનથાળનો પ્રસાદ, માતાજીને ધરાવ્યા બાદ ભક્તોમાં વહેચાશે


  • Published By :
  • Published Date : 2023-03-15 15:15:48

શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળ પ્રસાદ બંધ કરવામાં આવતા માઈ ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી હતી. મોહનથાળની બદલીમાં ચિક્કીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો ભક્તોએ વિરોધ કર્યો હતો. પ્રસાદ બંધ કરાતા અનેક સંગઠનો દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો ઉપરાંત કલેક્ટરને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. વધતા જતા વિરોધને લઈ હર્ષ સંઘવીએ બેઠક બોલાવી હતી. જે બાદ મોહનથાળનો પ્રસાદ યથાવત રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું. આ નિર્ણયને કારણે માઈભક્તોમાં આનંદની લાગણી વ્યાપી ઉઠી હતી. ત્યારે આજથી મોહનથાળ પ્રસાદનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

IMG 20230315 080919

જિલ્લા કલેક્ટરને કરાઈ હતી અનેક રજૂઆત 

એકાએક શક્તિપીઠ અંબાજીમાં મળતો મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેવામાં આવ્યો હતો. મોહનથાળનો પ્રસાદ બંધ થતાં માઈભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. પ્રસાદ બંધ કરાતા કોંગ્રેસ, વિશ્વ હિંદુ પરિષદ સહિતના અનેક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પત્ર આપી રજૂઆત પણ કરવામાં આવી હતી. તે ઉપરાંત ભક્તો દ્વારા નિ:શુલ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસાદનો વિવાદ વધતો જઈ રહ્યો હતો.


માઈભક્તોને અપાઈ રહ્યો છે મોહનથાળનો પ્રસાદ 

પ્રસાદને લઈ સરકાર દ્વારા અનેક નિવેદનો સામે આવ્યા હતા. વધતા વિરોધને લઈ સરકારે અચાનક એક મીટિંગ બોલાવી હતી. જેમાં ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. મીટિંગ બાદ મોહનથાળનો પ્રસાદ યથાવત રાખવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે મોહનથાળની સાથે સાથે ચિક્કીનો પ્રસાદ પણ આપવામાં આવશે. આ જાહેરાતને લઈ માઈભક્તોમાં આનંદની લાગણી જોવા મળી હતી. જાહેરાત બાદ મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. માતાજીને ધરાવ્યા બાદ માઈભક્તોને મોહનથાળનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે.    




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.