Morari Bapuએ યુવાનોને આપી સલાહ, કહ્યું કે : ગામડાઓમાં રહેતા લોકોને Heart Attack એટલા માટે નથી આવતો, કારણ કે...


  • Published By :
  • Published Date : 2023-11-06 13:58:24

કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નાની વયે યુવાનો મોતને ભેટી રહ્યા છે. યુવાનોમાં વધી રહેલા કિસ્સાઓએ સરકારની ચિંતા વધારી છે. શા માટે યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ વધી રહ્યા છે તેનું કારણ જાણવા માટે ડોક્ટરની કમિટી તપાસ કરી રહી છે. રિસર્ચ ચાલી રહ્યો છે. આ બધા વચ્ચે મોરારી બાપુએ હાર્ટ એટેકને લઈ નિવેદન આપ્યું છે. મહુવા ખાતે કથાની પુર્ણાહુતી દરમિયાન તેમણે કહ્યું કે તાળી પાડો અને રામનું નામ લો એટલે હાર્ટ એટેક નહીં આવે. તાળી પાડવાથી બંધ નળીઓ ખુલી જશે અને હાર્ટ એટેક નહીં આવે.

તાલી પાડવાથી નળીઓ ખુલી જાય છે - મોરારી બાપુ 

યુવાનોમાં હાર્ટ એટેક આવવાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અનેક કિસ્સાઓ, સમાચારો સામે આવતા રહે છે જેમાં યુવાનો મોતને ભેટી રહ્યા છે. રાજ્યમાં વધતા હાર્ટ એટેકને કારણે સરકાર પણ ચિંતામાં મૂકાઈ છે. નિષ્ણાતોની ટીમ આનું કારણ જાણવા માટે રિસર્ચ કરી રહી છે. આજે પણ એક યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોય તેવી માહિતી સામે આવી છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ વચ્ચે કથાકાર મોરારી બાપુએ એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે તાળી પાડો અને રામનું નામ લો એટલે હાર્ટ એટેક નહીં આવે. આનો તર્ક આપતા તેમણે કહ્યું કે તાળી પાડવાથી બંધ નળીઓ ખુલી જશે અને હાર્ટ એટેક નહીં આવે. જૂના જમાનામાં ઋષિ મુનિઓ તાળી પાડીને ભજનો કરતા હતા. તેમને ક્યારેય હાર્ટ એટેક આવતો ન હતો. તેમજ ગામડાનાં લોકો ઉલી ઊલીને તાળીઓ પાડતા હતા. આજે યુવાનો કહે છે મારી નળી બંધ થઈ ગઈ છે.  હું કહું છું તાળી પાડીને અંતરનાં દરવાજા ખોલજો એટેક નહી આવે.  


યુવાનો પર વધી રહ્યો છે હાર્ટ એટેકનો ખતરો!

મહત્વનું છે કે હાર્ટ એટેકના કિસ્સાઓ પ્રતિદિન સામે આવી રહ્યા છે. કોઈ ગરબા રમતા રમતા તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. સાજો લાગતો માણસ ક્યારે ગમે ત્યારે મરી જાય છે તેવા વીડિયો તેવા સમાચારો આપણે જોયા છે. ત્યારે મોરારી બાપુએ હાર્ટ એટેકને લઈ આપેલું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.   


ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી