Morari Bapuએ યુવાનોને આપી સલાહ, કહ્યું કે : ગામડાઓમાં રહેતા લોકોને Heart Attack એટલા માટે નથી આવતો, કારણ કે...


  • Published By :
  • Published Date : 2023-11-06 13:58:24

કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નાની વયે યુવાનો મોતને ભેટી રહ્યા છે. યુવાનોમાં વધી રહેલા કિસ્સાઓએ સરકારની ચિંતા વધારી છે. શા માટે યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ વધી રહ્યા છે તેનું કારણ જાણવા માટે ડોક્ટરની કમિટી તપાસ કરી રહી છે. રિસર્ચ ચાલી રહ્યો છે. આ બધા વચ્ચે મોરારી બાપુએ હાર્ટ એટેકને લઈ નિવેદન આપ્યું છે. મહુવા ખાતે કથાની પુર્ણાહુતી દરમિયાન તેમણે કહ્યું કે તાળી પાડો અને રામનું નામ લો એટલે હાર્ટ એટેક નહીં આવે. તાળી પાડવાથી બંધ નળીઓ ખુલી જશે અને હાર્ટ એટેક નહીં આવે.

તાલી પાડવાથી નળીઓ ખુલી જાય છે - મોરારી બાપુ 

યુવાનોમાં હાર્ટ એટેક આવવાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અનેક કિસ્સાઓ, સમાચારો સામે આવતા રહે છે જેમાં યુવાનો મોતને ભેટી રહ્યા છે. રાજ્યમાં વધતા હાર્ટ એટેકને કારણે સરકાર પણ ચિંતામાં મૂકાઈ છે. નિષ્ણાતોની ટીમ આનું કારણ જાણવા માટે રિસર્ચ કરી રહી છે. આજે પણ એક યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોય તેવી માહિતી સામે આવી છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ વચ્ચે કથાકાર મોરારી બાપુએ એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે તાળી પાડો અને રામનું નામ લો એટલે હાર્ટ એટેક નહીં આવે. આનો તર્ક આપતા તેમણે કહ્યું કે તાળી પાડવાથી બંધ નળીઓ ખુલી જશે અને હાર્ટ એટેક નહીં આવે. જૂના જમાનામાં ઋષિ મુનિઓ તાળી પાડીને ભજનો કરતા હતા. તેમને ક્યારેય હાર્ટ એટેક આવતો ન હતો. તેમજ ગામડાનાં લોકો ઉલી ઊલીને તાળીઓ પાડતા હતા. આજે યુવાનો કહે છે મારી નળી બંધ થઈ ગઈ છે.  હું કહું છું તાળી પાડીને અંતરનાં દરવાજા ખોલજો એટેક નહી આવે.  


યુવાનો પર વધી રહ્યો છે હાર્ટ એટેકનો ખતરો!

મહત્વનું છે કે હાર્ટ એટેકના કિસ્સાઓ પ્રતિદિન સામે આવી રહ્યા છે. કોઈ ગરબા રમતા રમતા તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. સાજો લાગતો માણસ ક્યારે ગમે ત્યારે મરી જાય છે તેવા વીડિયો તેવા સમાચારો આપણે જોયા છે. ત્યારે મોરારી બાપુએ હાર્ટ એટેકને લઈ આપેલું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.   


ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.