મોરબી કરૂણાંતિકા: 8 આરોપીઓની જામીન અરજી ડિસ્ટ્રીક્ટ કોર્ટે ફગાવી


  • Published By :
  • Published Date : 2022-11-23 19:48:06

ગુજરાત અને દેશભરમાં હડકંપ મચાવી દેનારી મોરબી પૂલ દુર્ઘટના બાદ પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી હતી. આજે મોરબી ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં આરોપીઓની જામીન અરજી પર સુનાવણી થઈ હતી જો કે કોર્ટે  8 આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી. હવે 9માં આરોપીની જામીન અરજી મુદ્દે આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે. કોર્ટે જામીન ફગાવ્યા બાદ હાલ તો જ્યુડિશિયલ કસ્ટડી પૂર્ણ થઇ જતા તમામને જેલમાં મોકલી આપવામાં આવશે.


FSL રિપોર્ટમાં શું ઘટસ્ફોટ થયો?


મોરબીની સ્થાનિક કોર્ટમાં રજૂ કરાયેલા FSL રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેમાં આ બ્રિજનું સંચાલન કરતી ઓરેવા કંપનીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ઝૂલતા પુલના કેબલ અને બોલ્ટ કટાઇ ગયેલા અને બોલ્ટ ઢીલા થઇ ગયા હતા. કંપનીએ પુલની ક્ષમતાની પરવા કર્યા વગર આડેધડ 3165 ટિકિટો આપી દીધી હતી. તે ઉપરાંત સીકયુરીટી ગાર્ડને કોઇ ટ્રેનિંગ આપવમાં આવી ન હતી.


મોરબી દુર્ઘટનામાં 135 લોકોના મોત


મોરબીકાંડમાં 135 લોકોનાં મોત થયા હતા, આ ઘટનાથી હાહાકાર મચી ગયો હતો. મોરબી પુલની સંચાલનની જવાબદારી જે ઓરેવા ગ્રુપને સોંપાઇ હતી તેના માલિક વિરુદ્ધ પણ આક્ષેપો થઇ રહ્યા છે. જો કે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ દુર્ઘટના બાદ મેનેજર, સિક્યુરિટી ગાર્ડ સહિતના 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.