મોરબી બ્રીજ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલ સામે ધરપકડ વોરંટ અને લુકઆઉટ સર્ક્યુલર


  • Published By :
  • Published Date : 2023-01-22 12:09:56

મોરબીનો ઝુલતો બ્રિજ તૂટી પડવાની ઘટના માટે જવાબદાર અજંતા-ઓરેવા ગ્રૂપના માલિક ગ્રુપના માલિક જયસુખ પટેલ સામે આખરે પોલીસે બે મહિના બાદ ધરપકડ વોરંટ જાહેર કર્યો છે અને ટૂંક સમયમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં તેમને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. તે ઉપરાંત પોલીસે જયસુખ પટેલ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર પણ બહાર પાડ્યું છે. 


જયસુખ પટેલ પટેલ સામે પોલીસ એક્શનમાં


જયસુખ પટેલ છેલ્લાં દોઢ મહિનાથી ધરપકડ ટાળી રહ્યા હતા અને તેમને પૂછપરછ માટે મોકલવામાં આવેલા તમામ સમન્સની પણ અવગણના કરી હતી. જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં આરોપીઓમાંથી એક તરીકે આપવામાં આવ્યું છે. આ ચાર્જશીટ આવતા અઠવાડિયે ફાઈલ કરવામાં આવશે. ગયા બે મહિનામાં અમે તેમના નિવાસસ્થાન, ફેક્ટરી અને અન્ય કેટલાંક પરિસર પર દરોડા પાડ્યા હતા. તેમને પૂછપરછ માટે ઘણીવાર બોલાવવામાં આવ્યા હતા. આખરે પોલીસે સીઆરપીસીની કલમ 70 હેઠલ તેમની ધરપકડનું વોરંટ મેળવ્યું અને 10 દિવસ પહેલાં લુકઆઉટ પરિપત્ર મેળવ્યો હતો.


જયસુખ પટેલ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર


પોલીસે જયસુખ પટેલ સામે લુકઆઉટ સર્ક્યુલર પણ બહાર પાડ્યું છે. આ લુકઆઉટ સર્ક્યુલર એ દેશના તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમિગ્રેશન સત્તાવાળાઓને વિદેશથી મુસાફરી કરવા અથવા પરત ફરવાનો પ્રયાસ કરતી વોન્ટેડ વ્યક્તિ વિશે ચેતવણી છે. તમામ પોલીસ સ્ટેશનોને પણ અલર્ટ જારી કરવામાં આવ્યા છે અને તેમને કહેવામાં આવ્યું છે કે અધિકાર ક્ષેત્રને ધ્યાનમાં લીધા વગર જો તેઓ જયસુખ પટેલને શોધી કાઠે તો તેની અટકાયત કરવામાં આવે. દુર્ઘટનાની તપાસ માટે રચાયેલી ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમે પુલના અધૂરા સમારકામનો પર્દાફાશ કર્યો હતો.


આગોકરા જામીન અગે 1 ફેબ્રુ.એ સુનાવણી થશે


જયસુખ પટેલની આગોતરા જામીન અરજી પરની સુનાવણીની તારીખ મોરબીની કોર્ટે શનિવારે 1 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી છે, કારણ કે ફરિયાદ પક્ષે જવાબ દાખલ કરવા માટે સમય માગ્યો હતો. ઉપરાંત લગભગ 10 પીડિતોના પરિવારો શનિવારે તેમના એડવોકેટ દિલીપ અગેચાનિયા મારફતે મોરબી કોર્ટમાં હાજર થયા હતા અને જયસુખ પટેલના આગોતરા જામીનનો વિરોધ કરવા માટે પક્ષકાર બનવા માટે અરજી કરી હતી. તેઓએ કહ્યું કે, કોર્ટે અમને અમારો વાંધો દાખલ કરવાની મંજૂરી આપી અને 1 ફેબ્રુઆરીએ હાજર રહેવા માટે કહ્યું છે.


 મોરબી બ્રીજ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા 


અત્રે ઉલ્લેખનિય છે કે જયસુખ પટેલની ઓરેવા કંપનીને વિક્ટોરિયન યુગના ઝુલતા પુલના નવીનીકરણ, કામગીરી અને જાળવણીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જે 30 ઓક્ટોબરના રોજ તૂટી પડ્યો હતો અને 135 લોકો મચ્છુ નદીમાં ડૂબી જવાથી મોચ થયા હતા. આ ભયાનક દુર્ઘટના બાદ સમગ્ર રાજ્ય ઉપરાંત દેશભરમાં હકકંપ મચી ગયો હતો.  






IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .