મોરબી બ્રીજ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલ સામે ધરપકડ વોરંટ અને લુકઆઉટ સર્ક્યુલર


  • Published By :
  • Published Date : 2023-01-22 12:09:56

મોરબીનો ઝુલતો બ્રિજ તૂટી પડવાની ઘટના માટે જવાબદાર અજંતા-ઓરેવા ગ્રૂપના માલિક ગ્રુપના માલિક જયસુખ પટેલ સામે આખરે પોલીસે બે મહિના બાદ ધરપકડ વોરંટ જાહેર કર્યો છે અને ટૂંક સમયમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં તેમને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. તે ઉપરાંત પોલીસે જયસુખ પટેલ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર પણ બહાર પાડ્યું છે. 


જયસુખ પટેલ પટેલ સામે પોલીસ એક્શનમાં


જયસુખ પટેલ છેલ્લાં દોઢ મહિનાથી ધરપકડ ટાળી રહ્યા હતા અને તેમને પૂછપરછ માટે મોકલવામાં આવેલા તમામ સમન્સની પણ અવગણના કરી હતી. જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં આરોપીઓમાંથી એક તરીકે આપવામાં આવ્યું છે. આ ચાર્જશીટ આવતા અઠવાડિયે ફાઈલ કરવામાં આવશે. ગયા બે મહિનામાં અમે તેમના નિવાસસ્થાન, ફેક્ટરી અને અન્ય કેટલાંક પરિસર પર દરોડા પાડ્યા હતા. તેમને પૂછપરછ માટે ઘણીવાર બોલાવવામાં આવ્યા હતા. આખરે પોલીસે સીઆરપીસીની કલમ 70 હેઠલ તેમની ધરપકડનું વોરંટ મેળવ્યું અને 10 દિવસ પહેલાં લુકઆઉટ પરિપત્ર મેળવ્યો હતો.


જયસુખ પટેલ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર


પોલીસે જયસુખ પટેલ સામે લુકઆઉટ સર્ક્યુલર પણ બહાર પાડ્યું છે. આ લુકઆઉટ સર્ક્યુલર એ દેશના તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમિગ્રેશન સત્તાવાળાઓને વિદેશથી મુસાફરી કરવા અથવા પરત ફરવાનો પ્રયાસ કરતી વોન્ટેડ વ્યક્તિ વિશે ચેતવણી છે. તમામ પોલીસ સ્ટેશનોને પણ અલર્ટ જારી કરવામાં આવ્યા છે અને તેમને કહેવામાં આવ્યું છે કે અધિકાર ક્ષેત્રને ધ્યાનમાં લીધા વગર જો તેઓ જયસુખ પટેલને શોધી કાઠે તો તેની અટકાયત કરવામાં આવે. દુર્ઘટનાની તપાસ માટે રચાયેલી ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમે પુલના અધૂરા સમારકામનો પર્દાફાશ કર્યો હતો.


આગોકરા જામીન અગે 1 ફેબ્રુ.એ સુનાવણી થશે


જયસુખ પટેલની આગોતરા જામીન અરજી પરની સુનાવણીની તારીખ મોરબીની કોર્ટે શનિવારે 1 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી છે, કારણ કે ફરિયાદ પક્ષે જવાબ દાખલ કરવા માટે સમય માગ્યો હતો. ઉપરાંત લગભગ 10 પીડિતોના પરિવારો શનિવારે તેમના એડવોકેટ દિલીપ અગેચાનિયા મારફતે મોરબી કોર્ટમાં હાજર થયા હતા અને જયસુખ પટેલના આગોતરા જામીનનો વિરોધ કરવા માટે પક્ષકાર બનવા માટે અરજી કરી હતી. તેઓએ કહ્યું કે, કોર્ટે અમને અમારો વાંધો દાખલ કરવાની મંજૂરી આપી અને 1 ફેબ્રુઆરીએ હાજર રહેવા માટે કહ્યું છે.


 મોરબી બ્રીજ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા 


અત્રે ઉલ્લેખનિય છે કે જયસુખ પટેલની ઓરેવા કંપનીને વિક્ટોરિયન યુગના ઝુલતા પુલના નવીનીકરણ, કામગીરી અને જાળવણીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જે 30 ઓક્ટોબરના રોજ તૂટી પડ્યો હતો અને 135 લોકો મચ્છુ નદીમાં ડૂબી જવાથી મોચ થયા હતા. આ ભયાનક દુર્ઘટના બાદ સમગ્ર રાજ્ય ઉપરાંત દેશભરમાં હકકંપ મચી ગયો હતો.  






અમદાવાદ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહને ગુજરાતમાં ચાલી રહેલા પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ચેનલના રિપોર્ટર દ્વારા ત્યારે તેમણે કહ્યું કે રૂપાલાનો વિરોધ ક્યાંય થઈ જ નથી રહ્યો....!

ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે કારણ કે ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. વાઘોડિયા બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે કારણ કે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે આજે અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી છે...

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. નેતાઓ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચૂંટણીને અનુલક્ષીને લખાયેલા કવિતા... લોલીપોપની લ્હાણી..

ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને માગ કરાઈ રહી છે કે તેમની ટિકીટ રદ્દ કરવામાં આવે. આવતીકાલે અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજે મહાસંમેલનનું આયોજન કર્યું છે.