મોરબી બ્રીજ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલ સામે ધરપકડ વોરંટ અને લુકઆઉટ સર્ક્યુલર


  • Published By :
  • Published Date : 2023-01-22 12:09:56

મોરબીનો ઝુલતો બ્રિજ તૂટી પડવાની ઘટના માટે જવાબદાર અજંતા-ઓરેવા ગ્રૂપના માલિક ગ્રુપના માલિક જયસુખ પટેલ સામે આખરે પોલીસે બે મહિના બાદ ધરપકડ વોરંટ જાહેર કર્યો છે અને ટૂંક સમયમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં તેમને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. તે ઉપરાંત પોલીસે જયસુખ પટેલ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર પણ બહાર પાડ્યું છે. 


જયસુખ પટેલ પટેલ સામે પોલીસ એક્શનમાં


જયસુખ પટેલ છેલ્લાં દોઢ મહિનાથી ધરપકડ ટાળી રહ્યા હતા અને તેમને પૂછપરછ માટે મોકલવામાં આવેલા તમામ સમન્સની પણ અવગણના કરી હતી. જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં આરોપીઓમાંથી એક તરીકે આપવામાં આવ્યું છે. આ ચાર્જશીટ આવતા અઠવાડિયે ફાઈલ કરવામાં આવશે. ગયા બે મહિનામાં અમે તેમના નિવાસસ્થાન, ફેક્ટરી અને અન્ય કેટલાંક પરિસર પર દરોડા પાડ્યા હતા. તેમને પૂછપરછ માટે ઘણીવાર બોલાવવામાં આવ્યા હતા. આખરે પોલીસે સીઆરપીસીની કલમ 70 હેઠલ તેમની ધરપકડનું વોરંટ મેળવ્યું અને 10 દિવસ પહેલાં લુકઆઉટ પરિપત્ર મેળવ્યો હતો.


જયસુખ પટેલ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર


પોલીસે જયસુખ પટેલ સામે લુકઆઉટ સર્ક્યુલર પણ બહાર પાડ્યું છે. આ લુકઆઉટ સર્ક્યુલર એ દેશના તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમિગ્રેશન સત્તાવાળાઓને વિદેશથી મુસાફરી કરવા અથવા પરત ફરવાનો પ્રયાસ કરતી વોન્ટેડ વ્યક્તિ વિશે ચેતવણી છે. તમામ પોલીસ સ્ટેશનોને પણ અલર્ટ જારી કરવામાં આવ્યા છે અને તેમને કહેવામાં આવ્યું છે કે અધિકાર ક્ષેત્રને ધ્યાનમાં લીધા વગર જો તેઓ જયસુખ પટેલને શોધી કાઠે તો તેની અટકાયત કરવામાં આવે. દુર્ઘટનાની તપાસ માટે રચાયેલી ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમે પુલના અધૂરા સમારકામનો પર્દાફાશ કર્યો હતો.


આગોકરા જામીન અગે 1 ફેબ્રુ.એ સુનાવણી થશે


જયસુખ પટેલની આગોતરા જામીન અરજી પરની સુનાવણીની તારીખ મોરબીની કોર્ટે શનિવારે 1 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી છે, કારણ કે ફરિયાદ પક્ષે જવાબ દાખલ કરવા માટે સમય માગ્યો હતો. ઉપરાંત લગભગ 10 પીડિતોના પરિવારો શનિવારે તેમના એડવોકેટ દિલીપ અગેચાનિયા મારફતે મોરબી કોર્ટમાં હાજર થયા હતા અને જયસુખ પટેલના આગોતરા જામીનનો વિરોધ કરવા માટે પક્ષકાર બનવા માટે અરજી કરી હતી. તેઓએ કહ્યું કે, કોર્ટે અમને અમારો વાંધો દાખલ કરવાની મંજૂરી આપી અને 1 ફેબ્રુઆરીએ હાજર રહેવા માટે કહ્યું છે.


 મોરબી બ્રીજ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા 


અત્રે ઉલ્લેખનિય છે કે જયસુખ પટેલની ઓરેવા કંપનીને વિક્ટોરિયન યુગના ઝુલતા પુલના નવીનીકરણ, કામગીરી અને જાળવણીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જે 30 ઓક્ટોબરના રોજ તૂટી પડ્યો હતો અને 135 લોકો મચ્છુ નદીમાં ડૂબી જવાથી મોચ થયા હતા. આ ભયાનક દુર્ઘટના બાદ સમગ્ર રાજ્ય ઉપરાંત દેશભરમાં હકકંપ મચી ગયો હતો.  






ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.