મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કોંગ્રેસ માટે કહી આ વાત! ભાજપના નેતા સાથેની વાતચીતનો ઓડિયો ક્લીપ વાયરલ! સાંભળો


  • Published By :
  • Published Date : 2023-07-13 15:20:18

ચૂંટણી નજીક આવતા ભાજપમાં ભરતી મેળો થતો હોય છે. કોંગ્રેસમાંથી અનેક નેતાઓ કેસરિયો ધારણ કરી લેતા હોય છે. આ વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ. રાજકીય નિષ્ણાંતો અનેક વખત એવું કહેતા જોવા મળે છે જે કહેતા હોય છે કે ભાજપ ગંગા જેવું પવિત્ર છે. તેમા ડૂબકી લગાવવાથી નેતાઓને પાપમાંથી મુક્તિ મળે છે. અમુક અંશે વાત પણ સાચી છે, કારણ કે ભાજપમાં જોડાયા બાદ નેતાઓ પર લાગેલા ગુન્હાઓ તેમજ આરોપો રફે-દફે થઈ જતા હોય છે. ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહી રહ્યા છે કે કોંગ્રેસમાં ગુંડા ક્યાં રહ્યા છે, ગુંડા બધા ભાજપમાં આવી ગયા છે. જો કે આ ઓડિયો ક્લીપ કાંતિ અમૃતિયાનો છે તે અંગેની પુષ્ટિ જમાવટ નથી કરતું.

  

ચૂંટણી સમયે ભાજપમાં ચાલતો હોય છે ભરતી મેળો 

સોશિયલ મીડિયા પર મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે. આ એ જ કાંતિ અમૃતિયા છે જેમણે મોરબી પુલ દુર્ઘટના વખતે પાણીમાં ઉતરી લોકોનો જીવ બચાવ્યો હતો! મોરબીમાં સર્જાયેલી દુર્ઘટના બાદ એવું લાગતું હતુંકે મોરબીમાં ભાજપ માટે જીત હાંસલ કરવી મુશ્કેલ છે. પરંતુ ભાજપે કાંતિ અમૃતિયાને ઉમેદવાર જાહેર કરી જીત મેળવી લીધી હતી. એમ પણ કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ જતા હોય છે. કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાયેલા નેતાઓને સારી જવાબદારી આપવામાં આવતી હોય છે.

મોરબીના ધારાસભ્યની વાતચીતનો ઓડિયો ક્લીપ વાયરલ!

ભાજપમાં થતા ભરતી મેળાની વાત અહીંયા નથી કરવી. અહીંયા વાત કરવી છે એક ઓડિયો ક્લીપની જે વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા ઓડિયોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઓડિયો મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને માળીયા તાલુકાના યુવા ભાજપના ઉપ પ્રમુખ વચ્ચે થતી ટેલિફોનિક વાતચીતનો છે. વાયરલ થઈ રહેલા ઓડિયોમાં શહેરમાં થતાં ફાયરિંગ અંગેની ચર્ચા કરવામાં આવી રહી છે. ઓડિયોમાં એવું કહેવાઈ રહ્યું છે કે, ધારાસભ્ય દ્વારા ફાયરિંગ થયું તો રાજી થયા અને ફાયરિંગ કરનારને પકડાતા નથી. બીજી ગાડી પકડે છે એ તમને ખબર છેને! કોંગ્રેસમાં ગુંડા ક્યાં રહ્યા છે, ગુંડા બધા ભાજપમાં આવી ગયા છે.  જો કે જમાવટ આ વાયરલ થયેલા ઓડિયોની પુષ્ટિ નથી કરતું.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.