મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કોંગ્રેસ માટે કહી આ વાત! ભાજપના નેતા સાથેની વાતચીતનો ઓડિયો ક્લીપ વાયરલ! સાંભળો


  • Published By :
  • Published Date : 2023-07-13 15:20:18

ચૂંટણી નજીક આવતા ભાજપમાં ભરતી મેળો થતો હોય છે. કોંગ્રેસમાંથી અનેક નેતાઓ કેસરિયો ધારણ કરી લેતા હોય છે. આ વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ. રાજકીય નિષ્ણાંતો અનેક વખત એવું કહેતા જોવા મળે છે જે કહેતા હોય છે કે ભાજપ ગંગા જેવું પવિત્ર છે. તેમા ડૂબકી લગાવવાથી નેતાઓને પાપમાંથી મુક્તિ મળે છે. અમુક અંશે વાત પણ સાચી છે, કારણ કે ભાજપમાં જોડાયા બાદ નેતાઓ પર લાગેલા ગુન્હાઓ તેમજ આરોપો રફે-દફે થઈ જતા હોય છે. ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહી રહ્યા છે કે કોંગ્રેસમાં ગુંડા ક્યાં રહ્યા છે, ગુંડા બધા ભાજપમાં આવી ગયા છે. જો કે આ ઓડિયો ક્લીપ કાંતિ અમૃતિયાનો છે તે અંગેની પુષ્ટિ જમાવટ નથી કરતું.

  

ચૂંટણી સમયે ભાજપમાં ચાલતો હોય છે ભરતી મેળો 

સોશિયલ મીડિયા પર મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે. આ એ જ કાંતિ અમૃતિયા છે જેમણે મોરબી પુલ દુર્ઘટના વખતે પાણીમાં ઉતરી લોકોનો જીવ બચાવ્યો હતો! મોરબીમાં સર્જાયેલી દુર્ઘટના બાદ એવું લાગતું હતુંકે મોરબીમાં ભાજપ માટે જીત હાંસલ કરવી મુશ્કેલ છે. પરંતુ ભાજપે કાંતિ અમૃતિયાને ઉમેદવાર જાહેર કરી જીત મેળવી લીધી હતી. એમ પણ કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ જતા હોય છે. કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાયેલા નેતાઓને સારી જવાબદારી આપવામાં આવતી હોય છે.

મોરબીના ધારાસભ્યની વાતચીતનો ઓડિયો ક્લીપ વાયરલ!

ભાજપમાં થતા ભરતી મેળાની વાત અહીંયા નથી કરવી. અહીંયા વાત કરવી છે એક ઓડિયો ક્લીપની જે વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા ઓડિયોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઓડિયો મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને માળીયા તાલુકાના યુવા ભાજપના ઉપ પ્રમુખ વચ્ચે થતી ટેલિફોનિક વાતચીતનો છે. વાયરલ થઈ રહેલા ઓડિયોમાં શહેરમાં થતાં ફાયરિંગ અંગેની ચર્ચા કરવામાં આવી રહી છે. ઓડિયોમાં એવું કહેવાઈ રહ્યું છે કે, ધારાસભ્ય દ્વારા ફાયરિંગ થયું તો રાજી થયા અને ફાયરિંગ કરનારને પકડાતા નથી. બીજી ગાડી પકડે છે એ તમને ખબર છેને! કોંગ્રેસમાં ગુંડા ક્યાં રહ્યા છે, ગુંડા બધા ભાજપમાં આવી ગયા છે.  જો કે જમાવટ આ વાયરલ થયેલા ઓડિયોની પુષ્ટિ નથી કરતું.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.