મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કોંગ્રેસ માટે કહી આ વાત! ભાજપના નેતા સાથેની વાતચીતનો ઓડિયો ક્લીપ વાયરલ! સાંભળો


  • Published By :
  • Published Date : 2023-07-13 15:20:18

ચૂંટણી નજીક આવતા ભાજપમાં ભરતી મેળો થતો હોય છે. કોંગ્રેસમાંથી અનેક નેતાઓ કેસરિયો ધારણ કરી લેતા હોય છે. આ વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ. રાજકીય નિષ્ણાંતો અનેક વખત એવું કહેતા જોવા મળે છે જે કહેતા હોય છે કે ભાજપ ગંગા જેવું પવિત્ર છે. તેમા ડૂબકી લગાવવાથી નેતાઓને પાપમાંથી મુક્તિ મળે છે. અમુક અંશે વાત પણ સાચી છે, કારણ કે ભાજપમાં જોડાયા બાદ નેતાઓ પર લાગેલા ગુન્હાઓ તેમજ આરોપો રફે-દફે થઈ જતા હોય છે. ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહી રહ્યા છે કે કોંગ્રેસમાં ગુંડા ક્યાં રહ્યા છે, ગુંડા બધા ભાજપમાં આવી ગયા છે. જો કે આ ઓડિયો ક્લીપ કાંતિ અમૃતિયાનો છે તે અંગેની પુષ્ટિ જમાવટ નથી કરતું.

  

ચૂંટણી સમયે ભાજપમાં ચાલતો હોય છે ભરતી મેળો 

સોશિયલ મીડિયા પર મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે. આ એ જ કાંતિ અમૃતિયા છે જેમણે મોરબી પુલ દુર્ઘટના વખતે પાણીમાં ઉતરી લોકોનો જીવ બચાવ્યો હતો! મોરબીમાં સર્જાયેલી દુર્ઘટના બાદ એવું લાગતું હતુંકે મોરબીમાં ભાજપ માટે જીત હાંસલ કરવી મુશ્કેલ છે. પરંતુ ભાજપે કાંતિ અમૃતિયાને ઉમેદવાર જાહેર કરી જીત મેળવી લીધી હતી. એમ પણ કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ જતા હોય છે. કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાયેલા નેતાઓને સારી જવાબદારી આપવામાં આવતી હોય છે.

મોરબીના ધારાસભ્યની વાતચીતનો ઓડિયો ક્લીપ વાયરલ!

ભાજપમાં થતા ભરતી મેળાની વાત અહીંયા નથી કરવી. અહીંયા વાત કરવી છે એક ઓડિયો ક્લીપની જે વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા ઓડિયોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઓડિયો મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને માળીયા તાલુકાના યુવા ભાજપના ઉપ પ્રમુખ વચ્ચે થતી ટેલિફોનિક વાતચીતનો છે. વાયરલ થઈ રહેલા ઓડિયોમાં શહેરમાં થતાં ફાયરિંગ અંગેની ચર્ચા કરવામાં આવી રહી છે. ઓડિયોમાં એવું કહેવાઈ રહ્યું છે કે, ધારાસભ્ય દ્વારા ફાયરિંગ થયું તો રાજી થયા અને ફાયરિંગ કરનારને પકડાતા નથી. બીજી ગાડી પકડે છે એ તમને ખબર છેને! કોંગ્રેસમાં ગુંડા ક્યાં રહ્યા છે, ગુંડા બધા ભાજપમાં આવી ગયા છે.  જો કે જમાવટ આ વાયરલ થયેલા ઓડિયોની પુષ્ટિ નથી કરતું.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.