Breaking News: મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, 400થી વધુ લોકો ડૂબ્યાં, 40 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા


  • Published By :
  • Published Date : 2022-10-30 20:37:19


મોરબી શહેરની ઓળખસમો ઝૂલતો પુલ તૂટી પડતા 400થી વધુ લોકો નદીમાં ખાબક્યા છે. મણિમંદિર નજીક અને મચ્છ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી બે ટુકડા થઈ ગયા છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, બેસતા વર્ષના દિવસે જ આ ઝૂલતો બ્રિજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દુર્ઘટના સમયે પુલ પર 500 જેટલા લોકો હતા, સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, 400થી વધુ લોકો ડૂબ્યાં છે. અત્યાર સુધીમાં 40 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવી ચુક્યા છે. કેન્દ્ર સરકારે મૃતકોને બે લાખની તથા ઘાયલોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે.



ઓરેવા ગ્રુપે બનાવ્યો હતો ઝૂલતો બ્રિજ


મોરબીનો ઝૂલતો પુલ નવા વર્ષના દિવસે પર્યટકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ બ્રિજને પ્રખ્યાત ઉદ્યોગ ગૃહ ઓરેવા ગ્રુપે તૈયાર કર્યો હતો.  ઓરેવા ગ્રુપના MDએ બેસતા વર્ષના દિવસે જ આ ઝૂલતા બ્રિજ ખુલ્લો મુક્યો છે. આ પુલ રિનોવેશન માટે બંઘ કરવામાં આવ્યો હતો. આ ઝૂલતા બ્રિજનું રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હતું. આ ઝૂલતો બ્રિજ 6 મહિના માટે સમારકામ બાદ ખુલ્લો મૂકાયો હતો. લોકોને બચાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.



સુરત લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા. કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આજે તેમણે વીડિયો બનાવી પોતાની પ્રતિકિયા આપી છે.

આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...