દેશમાં 24 કલાકમાં નોંધાયા કોરોનાના 10 હજારથી વધુ કેસ, એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 44 હજારને પાર


  • Published By :
  • Published Date : 2023-04-13 10:03:05

દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. સતત વધી રહેલા કોરોના કેસને કારણે ચિંતામાં વધારો થયો છે. બુધવારે કોરોના સંક્રમિતોનો આંકડો 7 હજારને પાર નોંધાયો હતો જ્યારે આજે તો કોરોના સંક્રમિતોનો આંકડો 10 હજારને પાર નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની વાત કરીએ તો 10158 નવા કેસ સામે આવ્યા છે. આ પહેલા ઓગસ્ટ મહિનામાં કોરોનાના કેસ 10 હજારને પાર નોંધાયા હતા. એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થતાં એક્ટિવ કેસનો આંકડો 44988 પર પહોંચી ગયો છે.

  


એક દિવસમાં નોંધાયા 10 હજારથી વધુ કોરોના કેસ  

પ્રતિદિન કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા આ આંકડો પાંચ હજારની આસપાસ નોંધાતો હતો. જે બાદ 6 હજારને પાર કોરોના કેસનો આંકડો નોંધાયો હતો. પરંતુ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે કોરોના સંક્રમિતોનો આંકડો 7 હજારને પાર નોંધાયો હતો. પરંતુ આજે જે સંક્રમિતોનો આંકડો સામે આવ્યો છે તે ડરાવી દે તેવો છે. છેલ્લા 24 કલાકમાં 10158 કોરોનાના નવા કેસ નોંધાયા છે. એક દિવસમાં આટલા બધા કેસ ઘણાં મહિનાઓ પછી નોંધાયા છે. કોરોના કેસ વધતા કેન્દ્ર સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે. અનેક રાજ્યો માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યો છે.    



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.