દેશમાં 24 કલાકમાં નોંધાયા કોરોનાના 10 હજારથી વધુ કેસ, એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 44 હજારને પાર


  • Published By :
  • Published Date : 2023-04-13 10:03:05

દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. સતત વધી રહેલા કોરોના કેસને કારણે ચિંતામાં વધારો થયો છે. બુધવારે કોરોના સંક્રમિતોનો આંકડો 7 હજારને પાર નોંધાયો હતો જ્યારે આજે તો કોરોના સંક્રમિતોનો આંકડો 10 હજારને પાર નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની વાત કરીએ તો 10158 નવા કેસ સામે આવ્યા છે. આ પહેલા ઓગસ્ટ મહિનામાં કોરોનાના કેસ 10 હજારને પાર નોંધાયા હતા. એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થતાં એક્ટિવ કેસનો આંકડો 44988 પર પહોંચી ગયો છે.

  


એક દિવસમાં નોંધાયા 10 હજારથી વધુ કોરોના કેસ  

પ્રતિદિન કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા આ આંકડો પાંચ હજારની આસપાસ નોંધાતો હતો. જે બાદ 6 હજારને પાર કોરોના કેસનો આંકડો નોંધાયો હતો. પરંતુ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે કોરોના સંક્રમિતોનો આંકડો 7 હજારને પાર નોંધાયો હતો. પરંતુ આજે જે સંક્રમિતોનો આંકડો સામે આવ્યો છે તે ડરાવી દે તેવો છે. છેલ્લા 24 કલાકમાં 10158 કોરોનાના નવા કેસ નોંધાયા છે. એક દિવસમાં આટલા બધા કેસ ઘણાં મહિનાઓ પછી નોંધાયા છે. કોરોના કેસ વધતા કેન્દ્ર સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે. અનેક રાજ્યો માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યો છે.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.