દેશમાં 24 કલાકમાં નોંધાયા કોરોનાના 10 હજારથી વધુ કેસ, એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 44 હજારને પાર


  • Published By :
  • Published Date : 2023-04-13 10:03:05

દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. સતત વધી રહેલા કોરોના કેસને કારણે ચિંતામાં વધારો થયો છે. બુધવારે કોરોના સંક્રમિતોનો આંકડો 7 હજારને પાર નોંધાયો હતો જ્યારે આજે તો કોરોના સંક્રમિતોનો આંકડો 10 હજારને પાર નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની વાત કરીએ તો 10158 નવા કેસ સામે આવ્યા છે. આ પહેલા ઓગસ્ટ મહિનામાં કોરોનાના કેસ 10 હજારને પાર નોંધાયા હતા. એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થતાં એક્ટિવ કેસનો આંકડો 44988 પર પહોંચી ગયો છે.

  


એક દિવસમાં નોંધાયા 10 હજારથી વધુ કોરોના કેસ  

પ્રતિદિન કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા આ આંકડો પાંચ હજારની આસપાસ નોંધાતો હતો. જે બાદ 6 હજારને પાર કોરોના કેસનો આંકડો નોંધાયો હતો. પરંતુ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે કોરોના સંક્રમિતોનો આંકડો 7 હજારને પાર નોંધાયો હતો. પરંતુ આજે જે સંક્રમિતોનો આંકડો સામે આવ્યો છે તે ડરાવી દે તેવો છે. છેલ્લા 24 કલાકમાં 10158 કોરોનાના નવા કેસ નોંધાયા છે. એક દિવસમાં આટલા બધા કેસ ઘણાં મહિનાઓ પછી નોંધાયા છે. કોરોના કેસ વધતા કેન્દ્ર સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે. અનેક રાજ્યો માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યો છે.    



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.