દેશમાં ફરી એક વખત નોંધાયા 1000થી વધુ કોરોના કેસ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો થયા કોરોના સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-03-27 12:42:21

કોરોના સંક્રમણ દેશમાં ફરી એક વખત વધી રહ્યું હોય તેવી રીતે કોરોના કેસોના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના આંકડાની વાત કરીએ તો નવા 1805 કેસ સામે આવ્યા છે. જ્યારે 6 જેટલા લોકોના મોત થઈ ગયા છે. છેલ્લા અનેક દિવસોથી કોરોના સંક્રમિતોનો આંકડા 1000ને પાર પહોંચી રહ્યો છે. વધતા કોરોના સંક્રમણને જોતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય એક્ટિવ મોડમાં આવી ગઈ છે. 


24 કલાકમાં 1805 લોકો થયા કોરોના સંક્રમિત 

થોડા વર્ષો પહેલા આવેલી કોરોના મહામારીએ લોકોના જીવનને પ્રભાવિત કર્યું છે. કોરોનાથી અનેક લોકો સંક્રમિત થયા હતા જ્યારે અનેક લોકોના મોત થયા હતા. કોરોનાની દરેક વેવ લોકો માટે ઘાતક સાબિત થઈ હતી. ત્યારે ફરી એક વખત દૈનિક કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1805 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે જ્યારે 6 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે. ચંડીગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં એક એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે કેરળમાં 2 લોકોના મોત થયા છે. કોરોના સંક્રમિતોના આંકડો સતત વધી રહ્યો છે. દેશમાં એક્ટિવ કેસની વાત કરીએ તો આ આંકડો 10 હજારને પાર પહોંચી ગયો છે.  


સમગ્ર દેશમાં આ તારીખે યોજાશે મોક ડ્રિલ 

દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય વધતા કોરોના કેસને લઈ સતર્ક થયો છે. કોવિડને લઈ આજે સમિક્ષા બેઠક બોલોવામાં આવી છે જેમાં રાજ્યોના આરોગ્ય સચિવો તેમજ વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. આ બેઠકમાં મોક ડ્રિલની પણ જાણકારી આપવામાં આવશે. 10 તેમજ 11મી એપ્રિલના રોજ સમગ્ર દેશમાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસોથી આવતા 1000થી વધારે કેસોને લઈ ચિંતા વધી છે. ડેલી પોઝિટિવિટી રેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.  



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.