દેશમાં ફરી એક વખત નોંધાયા 1000થી વધુ કોરોના કેસ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો થયા કોરોના સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-03-27 12:42:21

કોરોના સંક્રમણ દેશમાં ફરી એક વખત વધી રહ્યું હોય તેવી રીતે કોરોના કેસોના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના આંકડાની વાત કરીએ તો નવા 1805 કેસ સામે આવ્યા છે. જ્યારે 6 જેટલા લોકોના મોત થઈ ગયા છે. છેલ્લા અનેક દિવસોથી કોરોના સંક્રમિતોનો આંકડા 1000ને પાર પહોંચી રહ્યો છે. વધતા કોરોના સંક્રમણને જોતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય એક્ટિવ મોડમાં આવી ગઈ છે. 


24 કલાકમાં 1805 લોકો થયા કોરોના સંક્રમિત 

થોડા વર્ષો પહેલા આવેલી કોરોના મહામારીએ લોકોના જીવનને પ્રભાવિત કર્યું છે. કોરોનાથી અનેક લોકો સંક્રમિત થયા હતા જ્યારે અનેક લોકોના મોત થયા હતા. કોરોનાની દરેક વેવ લોકો માટે ઘાતક સાબિત થઈ હતી. ત્યારે ફરી એક વખત દૈનિક કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1805 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે જ્યારે 6 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે. ચંડીગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં એક એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે કેરળમાં 2 લોકોના મોત થયા છે. કોરોના સંક્રમિતોના આંકડો સતત વધી રહ્યો છે. દેશમાં એક્ટિવ કેસની વાત કરીએ તો આ આંકડો 10 હજારને પાર પહોંચી ગયો છે.  


સમગ્ર દેશમાં આ તારીખે યોજાશે મોક ડ્રિલ 

દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય વધતા કોરોના કેસને લઈ સતર્ક થયો છે. કોવિડને લઈ આજે સમિક્ષા બેઠક બોલોવામાં આવી છે જેમાં રાજ્યોના આરોગ્ય સચિવો તેમજ વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. આ બેઠકમાં મોક ડ્રિલની પણ જાણકારી આપવામાં આવશે. 10 તેમજ 11મી એપ્રિલના રોજ સમગ્ર દેશમાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસોથી આવતા 1000થી વધારે કેસોને લઈ ચિંતા વધી છે. ડેલી પોઝિટિવિટી રેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.