દેશમાં ફરી એક વખત નોંધાયા 1000થી વધુ કોરોના કેસ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો થયા કોરોના સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-03-27 12:42:21

કોરોના સંક્રમણ દેશમાં ફરી એક વખત વધી રહ્યું હોય તેવી રીતે કોરોના કેસોના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના આંકડાની વાત કરીએ તો નવા 1805 કેસ સામે આવ્યા છે. જ્યારે 6 જેટલા લોકોના મોત થઈ ગયા છે. છેલ્લા અનેક દિવસોથી કોરોના સંક્રમિતોનો આંકડા 1000ને પાર પહોંચી રહ્યો છે. વધતા કોરોના સંક્રમણને જોતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય એક્ટિવ મોડમાં આવી ગઈ છે. 


24 કલાકમાં 1805 લોકો થયા કોરોના સંક્રમિત 

થોડા વર્ષો પહેલા આવેલી કોરોના મહામારીએ લોકોના જીવનને પ્રભાવિત કર્યું છે. કોરોનાથી અનેક લોકો સંક્રમિત થયા હતા જ્યારે અનેક લોકોના મોત થયા હતા. કોરોનાની દરેક વેવ લોકો માટે ઘાતક સાબિત થઈ હતી. ત્યારે ફરી એક વખત દૈનિક કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1805 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે જ્યારે 6 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે. ચંડીગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં એક એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે કેરળમાં 2 લોકોના મોત થયા છે. કોરોના સંક્રમિતોના આંકડો સતત વધી રહ્યો છે. દેશમાં એક્ટિવ કેસની વાત કરીએ તો આ આંકડો 10 હજારને પાર પહોંચી ગયો છે.  


સમગ્ર દેશમાં આ તારીખે યોજાશે મોક ડ્રિલ 

દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય વધતા કોરોના કેસને લઈ સતર્ક થયો છે. કોવિડને લઈ આજે સમિક્ષા બેઠક બોલોવામાં આવી છે જેમાં રાજ્યોના આરોગ્ય સચિવો તેમજ વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. આ બેઠકમાં મોક ડ્રિલની પણ જાણકારી આપવામાં આવશે. 10 તેમજ 11મી એપ્રિલના રોજ સમગ્ર દેશમાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસોથી આવતા 1000થી વધારે કેસોને લઈ ચિંતા વધી છે. ડેલી પોઝિટિવિટી રેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.  



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.