નવસારીમાં 200થી વધુ લોકો AAPમાં જોડાયા !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 16:22:28

વિધાનસભાની ચૂંટણી નજીક આવે છે ત્યારે આપ ગુજરાત જીતવા તમામ પ્રયાસો કરી રહી છે. ત્યારે હાલ નવસારી ખાતે AAP દ્વારા સદસ્યતા અભીયાન ચાલુ કરવામાં આવ્યું કાર્યકર્મ દરમિયાન 200થી વધુ કાર્યકરો આપમાં જોડાયા  ઉલ્લેખનીય છે કે અત્યારે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પણ ગુજરાત પ્રવાસે આવ્યા છે. એની પહેલા સદસ્યતા અભિયાન લગભગ સફળ રહેતા રાજકારણ ગરમાયું છે.

 

નવસારીમાં આપ છવાયું

વિધાનસભા ચૂંટણીને લઈને તડામાર તૈયારીયો કરી રહ્યા છે અને નવસારી માં સદસ્યતા અભિયાન સફળ રહ્યું તેમ કેહવાય કેમકે કાર્યકરમાં 200 નવા લોકોએ આપના ખેસ ધારણ કર્યા.

 

કોળી પટેલ આપ તરફ વળ્યા

નવસારી વિધાનસભા બેઠક પર કોળી પટેલ સમાજના આગેવાનો ગેમ ચેન્જર સાબિત થાય છે. ત્યારે સમાજના દિગ્ગજ આગેવાનો પણ આ અભિયાન દરમિયાન આપમાં જોડાયા અને અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત પ્રવાસે આવ્યા છે અને તે દરમિયાન તેઓ સરકારી નોકરી બેરોજગારી મુદે જાનતાને સંબોધન કરશે 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.