નવસારીમાં 200થી વધુ લોકો AAPમાં જોડાયા !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 16:22:28

વિધાનસભાની ચૂંટણી નજીક આવે છે ત્યારે આપ ગુજરાત જીતવા તમામ પ્રયાસો કરી રહી છે. ત્યારે હાલ નવસારી ખાતે AAP દ્વારા સદસ્યતા અભીયાન ચાલુ કરવામાં આવ્યું કાર્યકર્મ દરમિયાન 200થી વધુ કાર્યકરો આપમાં જોડાયા  ઉલ્લેખનીય છે કે અત્યારે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પણ ગુજરાત પ્રવાસે આવ્યા છે. એની પહેલા સદસ્યતા અભિયાન લગભગ સફળ રહેતા રાજકારણ ગરમાયું છે.

 

નવસારીમાં આપ છવાયું

વિધાનસભા ચૂંટણીને લઈને તડામાર તૈયારીયો કરી રહ્યા છે અને નવસારી માં સદસ્યતા અભિયાન સફળ રહ્યું તેમ કેહવાય કેમકે કાર્યકરમાં 200 નવા લોકોએ આપના ખેસ ધારણ કર્યા.

 

કોળી પટેલ આપ તરફ વળ્યા

નવસારી વિધાનસભા બેઠક પર કોળી પટેલ સમાજના આગેવાનો ગેમ ચેન્જર સાબિત થાય છે. ત્યારે સમાજના દિગ્ગજ આગેવાનો પણ આ અભિયાન દરમિયાન આપમાં જોડાયા અને અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત પ્રવાસે આવ્યા છે અને તે દરમિયાન તેઓ સરકારી નોકરી બેરોજગારી મુદે જાનતાને સંબોધન કરશે 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"