નવસારીમાં 200થી વધુ લોકો AAPમાં જોડાયા !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 16:22:28

વિધાનસભાની ચૂંટણી નજીક આવે છે ત્યારે આપ ગુજરાત જીતવા તમામ પ્રયાસો કરી રહી છે. ત્યારે હાલ નવસારી ખાતે AAP દ્વારા સદસ્યતા અભીયાન ચાલુ કરવામાં આવ્યું કાર્યકર્મ દરમિયાન 200થી વધુ કાર્યકરો આપમાં જોડાયા  ઉલ્લેખનીય છે કે અત્યારે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પણ ગુજરાત પ્રવાસે આવ્યા છે. એની પહેલા સદસ્યતા અભિયાન લગભગ સફળ રહેતા રાજકારણ ગરમાયું છે.

 

નવસારીમાં આપ છવાયું

વિધાનસભા ચૂંટણીને લઈને તડામાર તૈયારીયો કરી રહ્યા છે અને નવસારી માં સદસ્યતા અભિયાન સફળ રહ્યું તેમ કેહવાય કેમકે કાર્યકરમાં 200 નવા લોકોએ આપના ખેસ ધારણ કર્યા.

 

કોળી પટેલ આપ તરફ વળ્યા

નવસારી વિધાનસભા બેઠક પર કોળી પટેલ સમાજના આગેવાનો ગેમ ચેન્જર સાબિત થાય છે. ત્યારે સમાજના દિગ્ગજ આગેવાનો પણ આ અભિયાન દરમિયાન આપમાં જોડાયા અને અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત પ્રવાસે આવ્યા છે અને તે દરમિયાન તેઓ સરકારી નોકરી બેરોજગારી મુદે જાનતાને સંબોધન કરશે 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.